________________
આત્માનુભૂતિના દ્વિવ્ય પ્રકાશ
૧૧
દાખવતા
આવું અચિંત્ય મહિમાવાન પવિત્ર દર્શન શ્રીઅને અનુભવપ્રત્યક્ષ થયું છે; સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય દનજ્ઞાન; સમ્યક્ જ઼્યાતિમય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સતસ્વરૂપદશિતાની ખલિહારી શ્રીમને પ્રગટી છે; શંકા, કાંક્ષા આદિ ષણ્ણા દૂર થઈ નિઃશંકતા, નિઃકાંક્ષતા, નિવિ તિગિચ્છા, અમૂઢદૃષ્ટિ આદિ સમ્યક્ત્વના પરમ ભૂષણા જ્યાં ઝળહળે છે એવું શુદ્ધાત્માનુભૂતિમય તનાતીતવચનાતીત–મનાતીત સમ્યગ્દČન શ્રીમદ્ભુને પ્રગટયું છે; અનુભવગેાચર થયેલું તે ‘સત્’– સ્વરૂપ જેમ છે તે’ કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન મનન કરી શકતું નથી; અને તે તેા છે’~ જેમ છે તેમ અસ્તિત્વસ્વરૂપ સત્ તે’ તત્ છે, તે શ્રીમને અનુભવસિદ્ધ થયું છે. શ્રીમદ્દને સમ્યગ્દર્શન તા પ્રથમથી છે, તે ઉત્તરોત્તર શુદ્ધિ પામતું જાય છે, અને શ્રીમદ્ અનુક્રમે દનવિશુદ્ધિના માર્ગે કેટલા વેગે આગળ ધપી રહ્યા છેતેના નિર્દેશ શ્રીમના આ પરમ નિર્ભીય ઉદ્ગારો પરથી મળી આવે છે. અને આમ દČનવિશુદ્ધિના માર્ગે આગળ વધતાં જ્યાં આત્માના અનુભવપ્રત્યક્ષ સાક્ષાત્કાર થાય છે એવા વિશિષ્ટ સમ્યગ્દર્શનની પ્રાપ્તિને પરમ ઉલ્લાસ ટૂંકા પત્રમાં (અં. ૯૫, પાષ ૧૯૪૬) શ્રીમદ્ આત્માનુભવ આલેખે છે આવા પ્રકારે તારા સમાગમ મને શા માટે થયેા ? કયાં તારૂં ગુપ્ત રહેવું થયું હતું? સ`ગુણાંશ તે સમ્યક્ત્વ.’ કોઈ મિત્ર ગહન ગુફામાં ગુપ્ત થઈ ગયા હાય–સંતાઈ ગયા હાય, તેનું અચાનક દન-સાક્ષાત્કાર થતાં જેમ કેાઈ હર્ષોલ્લાસથી ઉછળી પડે અને તેના સાનંદાશ્ચય ઉદ્ગાર નિકળી પડે તેવા વિશિષ્ટ આત્માનુભવ ભાવ દનવિશુદ્ધિના માગે વેગે ધસતા શ્રીમદે આ પત્રમાં દાખવ્યેા છે. અત્રે શ્રીમને સમ્યગ્દર્શનના કાઇ વિશિષ્ટ અનુભવ થયા સંભવે છે, એટલે જ શ્રીમદ્ સમ્યગ્દર્શન મિત્રને ઉદ્દેશીને કહે છે કે ‘આવા પ્રકારે’— પૂર્વે કદી અનુભૂત નહિં એવા કેાઇ વિશિષ્ટ પ્રકારે તારો સમાગમ–સંચાગ મને મ્હારા આત્માને શા માટે થયા ? અત્યારસુધી ત્હારું' કયાં ગુપ્ત રહેવું થયું હતું ? તું કાં સંતાઈ ગયા હતા? આત્માની કઈ ઊંડી ગુફામાં તું ગુપ્ત થઈ ગયેા હતા? કઈ ગહન ગુહામાં તું ગયા’તે લપાઈ?’ કેવળજ્ઞાન-કેવળદર્શીન આદિ સ ગુણના અંશ–અનુભવાસ્વાદરૂપ વાનકીરૂપ અંશ જ્યાં પ્રગટ્યો છે– આવિર્ભાવ પામ્યા છે એવું સવગુણાંશ તે સમ્યક્ત્વ શ્રીમદ્દને અત્ર પ્રગટયુ છે. અને આવા ત્રિકાળાબાધિત પરમ સત્યના વિશિષ્ટ અનુભવથી જ શ્રીમદ્નના દિવ્ય આત્મા ત્રણ વાર પાકારી (પત્રાંક ૧૧૧) ઊઠયા છેઃ ‘પરમ સત્ય છે. પરમ સત્ય છે. પરમ સત્ય છે. ત્રિકાળ એમ જ છે.’ઇ.
આ આત્માનુભૂતિથી શ્રીમદ્દને આધ્યાત્મિક શક્તિની અભિવ્યક્તિ થતી જતી હતી અને કેટલાક ગ઼મત્કારિક અનુભવદને પણ થતા હતા. તે પૈકી એક ‘વામનેત્ર સંબંધી ચમત્કાર'ના ઉલ્લેખ પત્રાંક ૩૨ તથા ૩૪માં પ્રાપ્ત થાય છે: આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી ચાર પાંચ દિવસ થયાં એક નાના ચક્ર જેવા વીજળી સમાન ઝબકારો થયા કરે છે, જે આંખથી જરા દૂર જઈ એલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે કે દેખાવ દે છે, મારી દૃષ્ટિમાં વારવાર તે તેવામાં આવે છે. તે ખાતે