SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ અધ્યાત્મ રાજચંદ્ર તેનું સૂચન તેમના આ સહજ સ્વયંભૂ અનુભવઉગારેમાં સ્વયં જણાઈ આવે છે: લઘુવયથી અદ્દભુત થયો, તત્ત્વજ્ઞાનને બધએ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? જે સંસ્કાર કે ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયે, ભવશંકા શી ત્યાંય ?” તેમજ-આત્મા નામમાત્ર છે કે વસ્તુસ્વરૂપ છે? આત્મા ચક્ષુગેચર થઈ શકે છે કે કેમ? આત્મા સર્વવ્યાપક છે કે કેમ? આત્માને દેહાંતરમાં જવું થાય છે કે કેમ? આત્માનું લક્ષણ શું? કઈ પણ પ્રકારે આત્મા લક્ષમાં આવી શકે એ છે કે કેમ?” ઈત્યાદિ ઊહાપેહરૂપે સ્વયં ઊઠાવેલા પ્રશ્નો સૂચવે છે તેમ શ્રીમદે વસ્તુગતે વસ્તુસ્વરૂપ આત્મા સંબંધી પુષ્કળ તત્વચિંતન કર્યું હતું, પુષ્ટ તત્ત્વમીમાંસા કરી હતી, એટલું જ નહિ પણ આત્માનુભવપ્રત્યક્ષ કરવારૂપ પરીક્ષાપ્રધાનીપણાની દિશામાં અતિ અતિ પ્રગતિ કરી આત્માને અત્યંત અનુભવ પ્રત્યક્ષ કર્યો હતો. આ વસ્તુગતે વસ્તુરૂપ આત્માના અનુભવની કઈ ધન્ય ક્ષણે જન્મ કૃતાર્થતા અનુભવતા શ્રીમદૂના અનુપમ ઉછરંગના આ સહજ ઉદ્ગાર નિકળી પડ્યા છે. આજ મને ઉછરંગ અનુપમ, જન્મ કૃતારથ જગ જણાયે વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક એ કમ સ્પષ્ટ સુમાર્ગ ગણાય.” વાસ્તવ્ય-વસ્તુગતે વસ્તુસ્વરૂપ પરમાર્થ સત્ વસ્તુ, તેને વિવેક, તેને વિવેચક–એ સુમાર્ગને સ્પષ્ટ ક્રમ શ્રીમદ્દને અનુભવસિદ્ધ જણાય, તેથી જન્મકૃતકૃત્યતા અનુભવતાં અનુપમ ઉછરંગમાં શ્રીમના આ ધન્ય ઉદ્દગાર નિકળી પડ્યા છે. અને આમ માર્ગ શોધતાં આત્મસામર્થયેગથી આત્માનુભૂતિની દિશામાં પ્રગતિ કરતા શ્રીમદ્દને સાચે માર્ગ મળી ગયો છે, સંદેહ છૂટી ગયું છે, અન્ય જે હતું તે જલી ગયું–બળી ગયું છે અને અપૂર્વ આત્મપુરુષાર્થથી જ્ઞાનમય “નિજ દેહ” ભિન્ન કર્યો છે, અને તેવા આત્માનુભૂતિના પરમ ઉલ્લાસની ધન્ય ક્ષણે આ આત્મસામગીના અંતરાત્મામાં અનુભવદુગારને ધ્વનિ ઊઠે છે કે – મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ હતા એ તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” અવાચ્ય અચિંત્ય મહિમા છે જેને એ “છે તે”- તત્ સત્ સમ્યગદર્શનને અનુભવઉલ્લાસ દાખવતા પરમ નિર્ભય ધન્ય ઉદ્દગાર શ્રીમદ્ ૧૯૪૬ના કાર્તકમાં લખેલા પત્રાંકમાં (૯૧) કાઢે છે– તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્ણન છે, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત સત નિરુપમ, સર્વોત્તમ, શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યક જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદશિતાની બલિહારી છે. જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢદષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી, છે તે.'
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy