SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનુભૂતિને દિવ્ય પ્રકાશ ૨૧૯ નેકી શ્યામતા વિષે જે પુતલિયાં રૂપ સ્થિત છે, અરૂ રૂપકે દેખતા હૈ, સાક્ષીભૂત હૈ, સે અંતર કેસે નહીં દેખતા? જે ત્વચા વિષે સ્પર્શ કરતા હૈ, શીતઉષ્ણાદિકે જાનતા હૈ, એસા સર્વ અંગ વિષે વ્યાપક અનુભવ કરતા હૈ જેસે તિલ વિષે તેલ વ્યાપક હતા હૈ, તિસકા અનુભવ કે નહીં કરતા. જે શબ્દ શ્રવણુઈદ્રિયકે અંતર ગ્રહણ કરતા હે, તિસ શબ્દશક્તિકે જાન|હારી સત્તા હૈ, જિસ વિષે શબ્દશક્તિકા વિચાર હેતા હૈ, જિસ કરિ રેમ ખડે હોઈ આતે હૈ, સત્તા દૂર કૈસે હવે? જે જિલ્લાકે અગ્ર વિષે રસાસ્વાદ ગ્રહણ કરતા હ, તિસ રસકા અનુભવ કરણહારી અલેપ સત્તા હૈ, એ સનમુખ કેસે ન હેવે? વેદવેદાંત, સપ્ત સિદ્ધાંત, પુરાણુ, ગીતા કરિ જે શેય, જાનને ગ્ય આત્મા હૈ તિસકે જબ જાન્યા તબ વિશ્રામ કેસે ન હવે?” આત્માનુભૂતિની કઈ ધન્ય પળે અમર વાચા પામેલું શ્રીમદ્દનું આ આત્મસંવેદન જબ જાન્યા” ઈ. શબ્દ પરથી સ્પષ્ટ સૂચવે છે કે—પાંચે ઇંદ્રિયો જેને જાણતી નથી પણ પાંચ ઇંદ્રિયને જે જાણે છે, અને જે સર્વ સુખનું અધિષ્ઠાન–સર્વ સુખને મૂળ ઝરો (main fountain-store) છે, એવા આત્માને શ્રીમદ જાર્યો હતો, –રોમાંચિત ભાવે સાક્ષાત અનુભવ્યું હતું, અને તેમાં વિશ્રામ કર્યો હત–આત્મારામ કર્યો હત; અનંત પરિભ્રમણની રખડપટ્ટીમાંથી વિસામો લેવાનું આ આત્મા જ વિશ્રામસ્થાન બન્યું હતું. આત્માને જાણે આત્મામાં જ રમણ અનુભવનારા આત્મજ્ઞાની આત્મારામ શ્રીમદની આત્માનુભૂતિ અંગે આ માર્મિક વચને કેટલું બધું મૌન ભાષણ કરી જાય છે! આત્માના ગુપ્ત ભેદને પામેલે પુરુષ જ લખી શકે એવા માર્મિક શબ્દોમાં શ્રીમદ્ એક બીજા પત્રમાં (અં. ૩૮) વ્યંગમાં લખે છે –“સહજ સ્વભાવે મુક્ત, અત્યંત પ્રત્યક્ષ અનુભવસ્વરૂપ આત્મા છે તે પછી જ્ઞાની પુરુષોએ આત્મા છે, આત્મા નિત્ય છે, બંધ છે, મોક્ષ છે, એ આદિ અનેક પ્રકારનું નિરૂપણ કરવું ઘટતું નહોતું. આત્મા જે અગમ અગોચર છે. તે પછી કેઈને પ્રાપ્ત થવા ગ્ય નથી, અને જે સુગમ સુગોચર છે તે પછી પ્રયત્ન ઘટતું નથી.”—આત્માના કોઈ વિશિષ્ટ અનુભવરંગની મસ્તીમાં નિકળેલા આ વ્યંગવચને સૂચવે છે, કે અજ્ઞાનદશામાં જે અગમ અગોચર આત્મા છે, તે જ્ઞાનદશામાં સુગમ સુગોચર સહજ સ્વભાવે મુક્ત અત્યંત પ્રત્યક્ષ અનુભવસ્વરૂપ આત્માને હસ્તામલકાવત્ સાક્ષાત્ અનુભવ શ્રીમદને થયો હતો. તેવા અત્યંત પ્રત્યક્ષ અનુભવસ્વરૂપ આત્માના અત્યંત પ્રત્યક્ષ અનુભવ વિના આવી મર્મભેદી પરમાર્થચમત્કૃતિવાળી ચમત્કારિક વાણીનું ઉત્થાન પણ થવું અસંભવિત છે. લઘુવયથી જ શ્રીમદને તત્વજ્ઞાનનો અદ્દભુત-પરમ આશ્ચર્યકારી બંધ થયું હતું જે સંસ્કાર “અતિ અભ્યાસે ઘણું ઘણું અભ્યાસે “કાંઈક” થ ઘટે, તે શ્રીમદ્રને વિના પરિશ્રમે “અતિ'—ઘણે ઘણે થયે હતું, અને એટલે જ આ પરથી શ્રીમદ્રને ભવાંતરમાં ગમનાગમન કરનારા આત્માની સાક્ષાત્ આત્મપ્રતીતિ લgવયથી થઈ હતી,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy