SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરંગ નિવૃત્તિ શ્રેણીને અબાધક વ્યવહારવર્તનને કમ ૨૦૮ પિતાને આત્મવિનિશ્ચયરૂપ થયું છે તે સંબંધી કાર્યકાળ– આત્મસાધના સાધવારૂપ કેવળ એક શુદ્ધ આત્માથે કામ કરવાને કાળ, “પૂર્ષિત કર્મોદય કાળ, નિદ્રાકાળ. વ્યવહારમાં પિતે કહે તેમ બીજા પ્રવ અથવા બીજા કહે તેમ પતે પ્રવર્તે એ બે ક્રમમાંથી સામા માણસને રુચે તે પ્રકારે– જેમ તેને સંતેષ ઉપજે તેમ નિરાગ્રહ ઉદાસીનભાવે વ્યવહાર પ્રવર્તાવવા અંગે સાવધાનપણું રાખવા શ્રીમદ્ પિતાના આત્માને જાગ્રત (alet) રાખે છે—જે તારી સ્વતંત્રતા અને તારા ક્રમથી તારા ઉપજીવન-વ્યવહારસંબંધી સંતષિત હોય તે ઉચિત પ્રકારે તારે વ્યવહાર પ્રવર્તાવ. તેની એથી બીજા ગમે તે કારણથી સંતષિત વૃત્તિ ન રહેતી હોય તો તારે તેના કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરી તે પ્રસંગ પૂરો કરે, અર્થાત્ પ્રસંગની પૂર્ણાહુતિ સુધી એમ કરવામાં તારે વિષમ થવું નહીં. તારા કમથી તેઓ સંતષિત રહે તે ઔદાસી વૃત્તિ વડે નિરાગ્રહભાવે તેઓનું સારું થાય તેમ કરવાનું સાવધાનપણું તારે રાખવું.” આમ રસરહિત વ્યવહાર પ્રવૃત્તિમાં પણ શ્રીમની કેવી અદ્ભુત સમવૃત્તિ–દાસીન્યવૃત્તિ ઝળહળે છે ! પરમ સત્ય (આત્મા) પ્રત્યેની કેવી અનન્ય એકનિષ્ઠા પ્રકાશે છે! સામા માણસને–વ્યવહારપ્રસંગીને સર્વ પ્રકારે સંતોષ થાય એવી ઉચિત રીતે વર્તવાની કેવી અપૂર્વ નીતિરીતિ ચમકે છે! વ્યવહારપ્રસંગીઓનું જેમ સારૂં થાય તેવી હિતસ્વિતાની સાવધાનીમાં કેવી હૃદય-સચ્ચાઈ (Earnest sincerity) રણકે છે! ખરેખર! કર્દમ મધ્યે પડેલું સોનું જેમ લેપાય-ખરડાય નહીં, તેમ કર્મમળે પડેલે વીતરાગ જ્ઞાની લેપાય-ખરડાય નહિં - એ સમયસાર–વચનામૃતને સત્યકાર આવા વ્યવહારમાં પણ ખરેખરૂં પરમાર્થ જીવન જીવનારા શ્રીમદ્દ જેવા જ્ઞાની પુરુષ કરાવે છે. શ્રીમનું ખરું જીવન તે પરમાર્થ છે, વ્યવહાર તો “ઉપજીવન’– ગૌણ પેટાજીવન (sub_life, subordinate life) છે, તે અંગે પણ શ્રીમદ કેવી વિવેકી વિચક્ષણતાથી, કેવી અવિષમ સમતાથી, કેવી સમુચિત સંતષિતાથી, કેવી વીતરાગ ઉદાસીનતાથી વર્યા છે, તેને કંઈક ખ્યાલ આ પત્રના પર્યાલેચન પરથી આવશે. વ્યવહાર પ્રસંગ સાથે સમુચિત વર્તાનાનું એક ઉદાહરણઃ શ્રીમદૂતેમના એક ભાગીદાર રેવાશંકરભાઈ બીજે દિવસે આવવાના છે તેની સાથે કેવા પ્રકારે વર્તવું તે અંગે ક્રમ પોતાની નોંધપોથીમાં (રોજનિશી) નોંધે છે–આવતી કાલે રેવાશંકરજી આવવાના છે, માટે ત્યારથી નીચેને ક્રમ પ્રભુ પાશ્વ સચવા. ૧. કાર્યપ્રવૃત્તિ. ૨. સાધારણ ભાષણ-સકાર. ૩. બન્નેના અંતઃકરણની નિર્મળ પ્રીતિ. ૪. ધર્માનુષ્ઠાન. ૫. વૈરાગ્યની તીવ્રતા.” આ જ નેધપેથીમાં બીજી નેધ પણ વ્યવહારવર્તનકમ સૂચવે છે- “નીચેના " णाणी रागप्पजहो सब्वदव्वेसु कम्ममज्मगदो। જે હિ રગન ટુ નમણે ગઠ્ઠા જાય છેસમયસાર ગા, ૨૧૮ " ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः । लिप्यते सकलकर्मभिरेष कर्ममध्यपतितोऽपि ततो न ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસાર કળશ, ૧૯ મ-૧૭
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy