________________
૧૯
આટલા ત્વરિત અધ્યાત્મનિમજ્જનનું રહસ્યકારણુ છે. આ અધ્યાત્મદૃષ્ટિના અનુસારે જ એમની આત્મપરિણતિ અને આત્મવૃત્તિ ઉત્તરોત્તર વિકાસ પામતી ગઈ હતી,- -આ આત્મદૃષ્ટિ પ્રમાણે જ એમની આત્મચારિત્રસૃષ્ટિ સર્જાતી ગઈ હતી.
જે આ નિર ંતર આત્મા ભણી દૃષ્ટિ ઠેરવી શ્રીમદ્ પેાતાનું ચારિત્રનિર્માણ કરી રહ્યા હતા, તે આ આત્મદૃષ્ટિ એ જ શ્રીમદ્નના અધ્યાત્મજીવનના પાયા છે અને તેના ઉપર જ શ્રીમદ્નના ભવ્ય અધ્યાત્મજીવનપ્રાસાદનું નિર્માણ થયેલું છે; આત્મા એ જ શ્રીમના જીવનના ધ્રુવતારક છે, અને તેને અનુલક્ષીને જ શ્રીમદ્નની સમસ્ત પ્રવૃત્તિ છે; સમસ્ત દેહાથ કલ્પના પરિત્યજી એક શુદ્ધ આત્માની સાધનામાં જ શ્રીમનું આત્મસમર્પણ છે. ‘અનંતવાર દેહને અર્થે આત્મા ગાન્યા છે, જે દેહુ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવાયેાગ્ય જાણી સ` દેહાની કલ્પના છેડી દઈ એક આત્મા માં જ તેના ઉપયાગ કરવા એવા મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઇએ’—એ એમના જ જીવનસૂત્રને ચરિતાર્થ કરવામાં જ શ્રીમદ્નના આત્મચારિત્રમય ચરિત્રનું મૂળ સૂત્ર છે.
આમ આત્મદૃષ્ટા શ્રીમની આ જીવનવ્યાપક આત્મદૃષ્ટિને અનુલક્ષીને એમને અધ્યાત્મજીવનવિકાસ કેમ થતા ગયા એ જ મુખ્યપણે દર્શાવવાનું આ ગ્રંથનું પ્રયાજન છે. આ ગ્રંથનું નામ અધ્યાત્મ રાજચંદ્ર' રાખવામાં આવ્યુ છે તે સહેતુક અને એ જ પરમા પ્રત્યેાજનભૂત છે. કારણ કે અત્રે શ્રીમદ્ રાજચંદ્રનું મુખ્યપણે અધ્યાત્મ ચરિત્ર આલેખવાનું છે,તે પરથી ઉપસી આવતું શ્રીમના આધ્યાત્મિક વ્યક્તિત્વનું સકલનાબદ્ધ કળામય ચિત્ર આલેખવાનું છે; અને આ પરમ પુરુષ શ્રીમદ્નના અંતગત પુરુષનું—શ્રીમદ્ના દિવ્ય આત્માનું દČન કરાવી, શ્રીમની અધ્યાત્મદશા ઉત્તરોત્તર કેવી વમાન થતી ગઇ તેનું દર્શન કરાવવાનું છે. અને તે યત્કિંચિત્ કરાવતા આ મંથની વસ્તુનું દિગ્દર્શન કરવા શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મજીવનવિકાસક્રમનું સ ંક્ષેપમાં દન કરીએ.
શ્રીમદ્દન અધ્યાત્મજીવનના સમગ્રપણે (as a whole, total) સામાન્ય વિચાર કરતાં તેમના અધ્યાત્મજીવનવિકાસના મુખ્ય ત્રણ તબક્કા (stages, milestones) વા વિભાગ (broad divisions) અત્ર પાડવામાં આવ્યા છે : (૧) સ. ૧૯૪૧ થી ૧૯૪૬ સુધીના સમય,--સ’. ૧૯૪૭ પહેલાના સમય,-ઓગણીસસે ને સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે' તે પૂના સમય. (ર) સ. ૧૯૪૭ થી ૧૯૫૩ના પૂર્વ ભાગ સુધીના સમય,—એગણીસસે'ને સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્યું ' ત્યારથી માંડી ૧૯૫૩ના ફા. વદ ૧૧ સુધીનો સમય. (૩) સ. ૧૯૫૩ના ઉત્તર ભાગથી૧૯૫૭ના ચૈત્ર વદી ૫ સુધીને સમય, ધન્ય રે દિવસ આ અહે !” એ જીવનધન્યતા કાવ્ય શ્રીમદ્દે સંગીત કર્યું તે દિનથી (૧૯૫૩ ફા. વ. ૧૨) જીવનના અંત પર્યંતના સમય.—આ ત્રણ તબક્કામાં શ્રીમની અધ્યાત્મદશાના વિકાસ કેમ થતા ગયા તેનું અત્ર અનુક્રમે દર્શન કર્યુ છે અને તેમના અધ્યાત્મજીવનવિકાસક્રમ પર યથાસ્થાને યથાસ્થિત પ્રકાશ