SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજ્યનું ચારિત્રમેાહની ક્ષીણતા કરવા ભણી તેમનું આત્મવીય પરમ ઉલ્લાસથી સતત પ્રવૃત્તિ કરી રહ્યું છે, તેમની વીતરાગતા સમયે સમયે પ્રવમાન થતી જાય છે. પણ ત્યાં માહ્ય ઉપાધિના પ્રારüાદય ઉગ્ર રૂપ પકડે છે, ને તેનો ખેદ શ્રીમદ્દે આ શબ્દોમાં વ્યક્ત કર્યાં છે— ૧૮૫ ત્યાં આવ્યેા રે ઉડ્ડય કારમા, પરિગ્રહ કાય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રીચ રે.... ધન્ય રે દિવસ.' એટલે પરમ ભાવનિગ"થરૂપ અતરંગ આત્મદશા અને વૈશ્ય વેષ, એ ભલભલાને ભૂલાવામાં ને અદેશામાં નાંખી દે એવા અજબ કોયડા આ પરમ અદ્ભુત પુરુષે આપણા માટે ઉકેલવાને રાખ્યા છે! પણ આ જ એમનું પરમ ગૌરવ સૂચવે છે. સંસારમાં રહ્યા છતાં તેમાં અનાસક્ત રહી મેાક્ષમાં ચિત્ત રાખવું, શ્રી હરિભદ્રસુરિ યાગબિન્દુમાં કહે છે તેમ મોક્ષે વિત્તું મળે સનુ -મેાક્ષમાં મન અને સંસારમાં તન' રાખવું, માહ્ય ઉપાધિની મધ્યે પણ અખંડ આત્મસમાધિ જાળવવી, તે બેધારી તલવાર પર ચાલવા કરતાં પણ વિકટ જણાય છે, અત્યંત દુધટ ભાસે છે,—ધાર તરવારની સેાહલી–દોહલી, ચૌદમા જિન તણી ચરણુ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.’ પણ શ્રીમદ્દે તા તે ચરણુસેવા' સેાહલી જ કરી બતાવી છે. એ તે એમના જેવા અપવાદરૂપ (Exceptional) અસાધારણ આલીમ પુરુષ જ કરી શકે, એમના જેવા સિદ્ધહસ્ત પરમયેાગી જ કરી શકે,— મીજાનું ગજું નથી. ૩. ત્રીજો તબક્કો ૧૯૫૩ની સાલના ઉત્તરાધથી (કા. વદ ૧૨)—૧૯૫૭ના ચૈત્ર વદી પાંચમી સુધીના–જીવનના અંત સુધીના કહી શકાય. મામાં વીતરાગ ચારિત્રની ગવેષણા પરાકાષ્ઠાને પામે છે. બાહ્ય વ્યવહારઉપાધિ સમેટી લઈ, સસંગપરિત્યાગની ભાવના અત્ર ઉગ્ર સ્વરૂપ પકડે છે, ને તથારૂપ પ્રવૃત્તિ પણ પ્રારંભાય છે. વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાંહિ રે;.... ધન્ય રે દિવસ. યથાહેતુ જે ચિત્તના, સત્ય ધર્મના ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયા નિરધાર રે;.... ધન્ય રે દિવસ.’ પણ અસેાસ ! જ્યાં તે ભાવના ફલરૂપે પરિપક્વ થવાના સમય આવે છે, ત્યાં ગ'ભીર રાગથી તેમના દેહ ગ્રસ્ત થાય છે, ને અંતે તે પ્રાણહારક નીવડે છે. આ તખક્કામાં તેમણે વીતરાગભાવની સવિશેષ સિદ્ધિ કરેલી જણાય છે. નિષ્પન્ન-સિદ્ધ ચૈાગી જેવી પરિપકવ આત્મદશા તેમની પ્રગટી છે. દેહ છતાં જાણે દેહાતીત સ્થિતિ * અત્રે એ જણાવવું પ્રાસંગિક થઈ પડશે કે રાગ વિના રાગ હાય નહિ.' એ વિધાન કૈવલ ભ્રાંતિમૂલક ને એકાંતિક હાઈ મિથ્યા છે, અસદ્ગુરૂપણારૂપ છે. તેમ કહેનાર કે પ્રરૂપનાર કર્મી ને 'ના સિદ્ધાંતથી સથા અનભિજ્ઞ છે. આઠ પ્રકારના કર્મમાં વેદનીય ' નામનું ફ” છે તેના ખે એદ છે—સાતાવેદનીય અને અસાતાવેદનીય. એમાંથી સાતા કે અસાતા વેનીયનો ઉદય પરમ વીતરાગ ધ્રુવલન'નીને પણ સંભવી શકે. મસાતાવેનીયમાં રાગનો મંતર્ભાવ થાય છે, (જુએ તત્ત્વાર્થસૂત્ર).
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy