________________
પ્રકરણ આગણત્રીશમુ
શ્રીમના અધ્યાત્મ જીવનવિકાસના ત્રણ તબક્કા
· શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુતિ ગતિ ગામી રે.”- શ્રી આનંદઘનજી
આટલા પ્રકરણા આલેખી આપણે જરા ઊભા રહીએ અને શ્રીમદ્રના સમગ્ર જીવનના થાડા વિચાર કરી પછી ક્રમશઃ આગળ વધીએ. શ્રીમદ્નના અધ્યાત્મજીવનના સમગ્રપણે (as a whole, total) સામાન્ય વિચાર કરતાં તેમના અધ્યાત્મ જીવનવિકાસના મુખ્ય ત્રણ તમક્કા (stages, milestones) વા વિભાગ (Broad divisions) પાડી શકાય : (૧) સ. ૧૯૪૧ અને પછી ૧૯૪૭ પહેલાંના સમય. (૨) સં. ૧૯૪૭ થી ૧૯૫૩ના મધ્ય (પૂર્વાર્ધ) સુધીના સમય. (૩) ૧૯૫૩ના ઉત્તરાથી જીવનના અંતપંતના સમય. આ ત્રણ તબક્કામાં શ્રીમની અધ્યાત્મદશાના વિકાસ આ પ્રકારે:
૧. સ’. ૧૯૪૧થી ૧૯૪૬ સુધીના સમય. સ. ૧૯૪૧માં આન્યા અપૂર્વ અનુસાર રે' ત્યારથી માંડી સં. ૧૯૪૭ પહેલાંના સમય, ઓગણીસસે ને સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાસ્યું રે’– તે પૂના સમય. આમાં ક્ષયેાપશમભાવની મુખ્યતા છે. ઉત્તરોત્તર બળવત્તર બનતા જતા ક્ષયાપશમ અત્ર ઝળહળી ઊઠે છે. તેમાં ઉત્તમ કુશાગ્રબુદ્ધિના સ્વામિપણાને લીધે પરીક્ષાપ્રધાનીપણે સ્વસમય-પરસમયના તલસ્પર્શી અવગાહન, ષડ્. દનના સુક્ષ્મ ઊહાપેાહ, સ્વયં સમાધાન આદિ દ્રષ્ટિગાચર થાય છે. પરમ વૈરાગ્યની સ્ફુરણા વર્તે છે. ઓગણીસસે ને બેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર રે’. વીતરાગમાગની અનુપમ દૃઢ શ્રદ્ધા છે.
૨. સ. ૧૯૪૭થી ૧૯૫૩ના પૂર્વાધ (ફા. વ. ૧૧) સુધીના સમય, ઓગણીસસે ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે'.-આમ અત્રે શુદ્ધ સમકિત પ્રકાશ્યું છે, પ્રત્યક્ષ નિશ્ચયરૂપ આત્માનુભવ થયા છે, સ્વસંવેદનજ્ઞાન ઉપજ્યું છે, નિશ્ચયવેધસ વેદ્યપદ પ્રગટયુ છે, ગ્રંથિભેદ થઈ દનમેાહ નાશ પામી ચૂકયો છે, સ્થિરા આદિ દૃષ્ટિમાં સ્થિરતા–સ્થિતિ થઈ ચૂકી છે, પ્રત્યક્ષ આત્માનુભૂતિ થતાં દર્શન સંબંધી સ` વિકલ્પ ઉપશમી ગયા છે. એવી નિવિકલ્પ દશા અત્ર આવિર્ભૂત થઇ અપ્રતિપાતી નિશ્ર્ચયસમ્યક્ત્વ સાંપડયું છે, અને તે તેમણે ધન્ય રે દિવસ આ અહે। !’– નામના અદ્ભુત આત્માનુભવના ઉદ્ગારરૂપ પરમ આત્મલ્લાસમય કાવ્યમાં અમર કયુ છે. આ બીજા તબક્કામાં તેમની દનશ્રદ્ધા સાક્ષાત્ નિશ્ચય-અનુભવરૂપ હાઇ અત્યંત વજ્રલેપ ગાઢ બની છે. વીતરાગના તે પરમ અનુયાયી, અનન્ય ભક્ત પ્રતીત થાય છે. આ દશનમેાહુ વ્યતીત થયા પછી