SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ અનુસંધિ દર્શન (ર) શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મજીવનની પૂર્વભૂમિકાના કેટલાક પ્રકરણાનું આલેખન કરી, આ અધ્યાત્મ રાજચંદ્રના અધ્યાત્મજીવનના પહેલા તબક્કાના પ્રથમ આંતર્તમાનું દિગ્દર્શીન કયું; અને તત`ત પ્રકરણેામાં,— પૂના પ્રમળ આરાધક શ્રીમા દિવ્ય આત્માએ પૂર્વે આરાધેલ યાગને આવ્યા અપૂર્વ અનુસાર' તેનું દન કર્યું, અને તેના પ્રથમ અમૃત ફળરૂપે મહાદનપ્રભાવક મેાક્ષમાળાનું જે મંગલ સ`ન શ્રીમદૅ સેાળ વર્ષને પાંચ માસની વયે માત્ર ત્રણ દિવસમાં કર્યું, તેની અદ્ભુત કલામય સંકલના દર્શાવી તેની દનપ્રભાવનાનું સંક્ષેપમાં દિગ્દર્શન કર્યુ.; અને આ મેાક્ષમાળાના અનુસંધાનમાં ઓગણીસસે ને ખેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર –તે વૈરાગ્યઊમિ આને ઠાલવતા વૈરાગ્યના પ્રાભૂત જેવા દર્શનપ્રભાવક ભાવનાબેાધ ગ્રંથનું પણુ દિગ્દČન કર્યું. આ જ મેાક્ષમાળાના સર્જનના અરસામાં શ્રીમદ્નના અદ્ભુત અવધાનપ્રયાગના પ્રારંભ થયા, તે ક્રમે કરી શતાવધાન સુધી પહાંચ્યા, એનું સવિસ્તર દન કરાવતાં, આ ‘સાક્ષાત્ સરસ્વતી' રાજચંદ્રના આ શતાવધાનના વિજય વર્ણવી દેખાડી, અવધાનસમયના કાબ્યાનું રસદર્શન કરાવ્યું, અને તેમાં પણ આ શતાવધાની શીઘ્ર કવિની દૃષ્ટિ સતત ધર્માં ભણી જ પ્રધાનપણે હતી એ પણ દર્શાવી તે પરથી ઉપસી આવતા કવિના ભવ્ય વ્યક્તિત્વના શબ્દચિત્રનું આલેખન કર્યું. તે જ અવધાનઅરસામાં શ્રીમદ્દે અતિ સ્વલ્પ સમયમાં કરેલા અસાધારણ જ્યાતિવિજ્ઞાનના સવિસ્તર ઇતિહાસ આપી,— આ શતાવધાન અને જ્યાતિષાદિના ખાહ્ય જગત્પ્રદનાને શ્રીમદે કેવી લીલામાત્રમાં તિલાંજલિ આપી તે પણુ ખતાવી આપ્યું. આ અસાધારણ આત્મિક શક્તિના ક્ષયાપશમચમત્કારો ઉપરાંત શ્રીમદ્દે જે અતી દ્રિય જ્ઞાનના અને ચેાગશક્તિના ચમત્કાર દાખતા, તેના ઘેાડાક પ્રસંગેા આલેખી, શ્રીમના અંતર્યામીપણાના અનુભૂત અદ્ભુત પ્રસંગા પણ અનુભવનારાઓના તાદૃશ્ય શબ્દોમાં વિવરી દેખાડ્યા. આવી અતી દ્રિય જ્ઞાનશક્તિ અધ્યાત્મપરિણતિપરિણ્ત સમ્યગ્દષ્ટિ જ્ઞાની ચાગી પુરુષમાં સુલભ હાય એ દર્શાવતાં શ્રીમની આત્મષ્ટિ અને ચારિત્રસૃષ્ટિનું દર્શન કરાવી, શ્રીમા શુલ અતઃકરણ અને અંતરંગ ત્યાગવૈરાગ્યનું ચિત્ર પણ આલેખ્યું. આમ વૈરાગ્યવેગમાં શ્રીમદ્ ધસી રહ્યા હતા, ત્યાં ત્યાગમાં આવી પડેલું વિન્ન વિવરી દેખાડી, ગૃહાશ્રમપ્રવેશનું સૂચન કર્યું, અને ગૃહસ્થાવાસ મધ્યે પણ શ્રીમદ્નની વિરક્ત દશા કેવી અદ્ભુત હતી તે પણ વિવરી બતાવ્યું. આ જ અરસામાં પ્રારબ્ધવશાત વ્યાપારમાં ઝંપલાવવાનું બન્યું અને તેમાં પણુ પરમ સત્યનિષ્ઠ પરમ પ્રમાણ પુરુષ શ્રીમદ્દની આદશ નીતિમત્તા–પ્રમાણિકતાદિ વ્યવહારકૌશલ્યનું દિગ્દર્શન કરાવી, પરમા કૌશલ્યમાં પણ પરમ સત્યનિષ્ઠ શ્રીમદ્નની પ્રતિમાસિદ્ધિ અને અનન્ય સત્યનિષ્ઠા બતાવી આપી. આમ પહેલા તખાના પ્રથમ આંતરૢતબક્કાનું આલેખન કરી, હવે બીજા આંતર્તમકાનું (૧૯૪૪ના ઉત્તર ભાગથી ૧૯૪૬ સુધી) આલેખન કરશું; અને તેમાં શ્રીમની ઉત્તરોત્તર વધતી જતી અધ્યાત્મદશાનું તાદ્દશ્ય ચિત્ર આલેખતા પ્રકરણા ચેાજશું અને તે ઉપરથી ઉપસી આવતું અધ્યાત્મ રાજચંદ્રનુ ભવ્ય વ્યક્તિત્વ દર્શાવી આપશું.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy