________________
૧૮૨
અધ્યાત્મ રાજચંદ્ર જબીપણું શાસ્ત્રવિચક્ષણ, અને ન્યાયસંપન્ન પુરુષે જવાનું છે. અને પછી સપ્રમાણ લાગે તેમ પ્રવર્તાવું કે પ્રરૂપવું એ તેમના આત્મા પર આધાર રાખે છે. આ વિષયને પૂર્ણ કર્યો એમ અત્રે કહ્યું તે પરથી સહજ સમજાય છે કે શ્રીમદે આ ગ્રંથ પૂર્ણ કરેલ હતો અને આ છેવટને અંશમાત્ર છે. આ પુસ્તકને પ્રસિદ્ધ કરવાનું પ્રજન અને ઉદ્દેશ પણ આ છેવટની ભલામણમાં નિખાલસ સરલ ભાવે રજુમૂત્તિ શ્રીમદ્ આ વેધક વચનોમાં કહી દીએ છે—“આ પુસ્તકને હું પ્રસિદ્ધ કરત નહીં, કારણ કે જે મનુષ્ય એક વાર પ્રતિમાપૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છઉં કે મારા ભણી છેડા વખત પહેલાં એવી સ્થિતિમાં આવી ગયા હતા, તે વેળા જે આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હોત તો આપના અંતઃકરણો વધારે દૂભાત અને દૂભાવવાનું નિમિત્ત હું થાત, એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલેક વખત વીત્યા પછી મારા અંતઃકરણમાં એક એવા વિચારે જન્મ લીધે કે તારા માટે તે ભાઈઓને સંક્લેશ વિચારો આવતા રહેશે, તેં જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હદયમાં રહી જશે, માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધો. ત્યારે તેમાંથી ઘણું નિર્મલ વિચારની પ્રેરણ થઈ તે સંક્ષેપમાં જણાવી દઉં છઉં. પ્રતિમા માનો એ આગ્રહ માટે આ પુસ્તક કરવાનો કંઈ હેતુ નથી, તેમજ તેઓ પ્રતિમા માનો તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી, તે સંબંધી જે વિચારે મને લાગ્યા હતા—(અપૂર્ણ મળેલ).–શુદ્ધ અંતરાત્માના અંતઃકરણના ઊંડાણમાંથી નિકળેલા આ છેવટની ભલામણના વચન કોઈપણ સુજ્ઞ આત્માના હૃદય સેંસરા નિકળી જાય એવા વેધક અને આત્મસ્પશી છે. આ વચનમાં કે મતભેદાતીત નિરાગ્રહભાવ ઝળકે છે! કેવું માર્દવ-કેવું આજવ ચળકે છે! અક્ષરે અક્ષરે કેવું પરમ સત્ય નિઝરે છે! આ પરમ અમર કૃતિને આટલે જ અંશ-મંથના અંત ભાગને અલ્પ અંશ મળે છે, તે પરથી સ્પષ્ટ સમજાય છે કે આ ગ્રંથ તેમણે સંપૂર્ણ તૈયાર કરી કઈ પરિચય (અજ્ઞાત) ગૃહસ્થને જોવા માટે વિશ્વાસુપણે મોકલ્યો હશે, પણ તેમની પાસેથી કદાચ આ ગ્રંથ “ગુમ થયે હશે. આ ગમે તેમ છે, પણ આટલું આ પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે શ્રીમદના પ્રતિમાવિષયક વિચારપ્રવર્તનથી આ પ્રતિમા ઉત્થાપક પક્ષના પરિચય ભાઈઓ ભડક્યા હશે, શ્રીમદથી વિમુખ થયા હશે, તેઓને શ્રીમદ્દ પ્રત્યે કટાક્ષ અને ખેદ થયેલ હશે, સંકલેશ વિચાર પણ આવ્યા હશે એટલે તેમના સંકલેશ વિચારે દૂર કરવાના શુદ્ધ આશયથી અને પિતાને પ્રતિમાનું પ્રમાણસિદ્ધપણું જે પ્રમાણોથી પ્રતીત થયું તે પિતાના હૃદયમાં જ ન રહી જવા પામે એવા ઉત્તમ ઉદેશથી સ્ફટિક સમા સ્વચ્છ હદયવાળા શ્રીમદે આ પરમ પ્રમાણભૂત પ્રતિમાસિદ્ધિ ગ્રંથનું સર્જન કર્યું.
આ ગ્રંથના પ્રારંભરૂપ પ્રસ્તાવના ભાગ પ્રત્યે છેવટની ભલામણરૂપ ઉપસંહારભાગ પ્રત્યે દષ્ટિ કરતાં સહજ જણાઈ આવે છે કે તેમણે આ ગ્રંથ પૂર્ણ” લખેલ પણ