________________
પ્રતિમાસિદ્ધિ અને શ્રીમદની અનન્ય સત્યનિષ્ઠા
૧૮૧ માટે જ્યાં સત્યતા આવે ત્યાં બન્નેએ અપક્ષપાતે સત્યતા કહેવી. (૨) કોઈપણ વાત
જ્યાં સુધી એગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી, તે સંબંધી કંઈ કહેતા મૌન રાખવું. (૩) અમુક વાત સિદ્ધ થાય તે જ ઠીક, એમ ન ઈચ્છવું, પણ સત્ય સત્ય થાય એમ ઈચ્છવું. પ્રતિમા પૂજવાથી જ મોક્ષ છે, કિંવા તે નહીં માનવાથી મેક્ષ છે, એ અને વિચારથી આ પુસ્તક એગ્ય પ્રકારે મનન કરતાં સુધી મૌન રહેવું. (૪) શાસ્ત્રની શૈલી વિરુદ્ધ, કિંવા પિતાના માનની જાળવણી અર્થે કદાગ્રહી થઈ કંઈ પણ વાત કહેવી નહીં. (૫) એક વાતને અસત્ય અને એકને સત્ય એમ માનવામાં જ્યાં સુધી અત્રુટક કારણ ન આપી શકાય, ત્યાં સુધી પોતાની વાતને મધ્યસ્થ વૃત્તિમાં રોકી રાખવી. (૯) કેઈ ધર્મ માનનાર આ સમુદાય કંઈ મેક્ષે જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી, પણ જેને આત્મા ધર્મત્વ ધારણ કરશે, તે સિદ્ધિસંપ્રાપ્ત થશે; માટે સ્વાત્માને ધર્મબંધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. તેમાંનું એક આ સાધન પણ છે. તે પક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાખવા યોગ્ય નથી. (૭) જો તમે પ્રતિમાને માનનાર હે તે તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લે; અને જે તમે પ્રતિમાના ઉત્થાપક છે તે આ પ્રમાણોને એગ્ય રીતે વિચારી લેજે. બન્નેએ મને શત્રુ કે મિત્ર કંઈ માન નહીં. ગમે તે કહેનાર છે, એમ ગણું ગ્રંથ વાંચી જે. (૮) આટલું જ ખરૂં અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તો અમે માનીએ એમ આગ્રહી ન થશે. પણ વીરનાં બધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ ઈચ્છશે. (૯) એટલા જ માટે વીરનાં બેધેલાં શાસ્ત્ર કોને કહી શકાય, અથવા માની શકાય, તે માટે પ્રથમ ધ્યાનમાં લેવું પડશે; એથી એ સંબંધી પ્રથમ હું કહીશ. (૧૦) મને સંસ્કૃત, માગધી કે કઈ ભાષા મારી ગ્યતા પ્રમાણે પરિચય નથી, એમ ગણી મને અપ્રમાણિક ઠરાવશે તો ન્યાયની પ્રતિકૂળ જવું પડશે, માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મમધ્યસ્થતાથી તપાસશે. (૧૧) યોગ્ય લાગે નહીં, એવા કેઈ મારા વિચાર હોય તે સહર્ષ પૂછશે; પણ તે પહેલાં તે વિષે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશે નહીં. (૧૨) ટુકામાં કહેવાનું છે કે જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તાવા સંબંધમાં મારું કહેવું અગ્ય લાગતું હોય, તે તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું.”
- આમ અક્ષરે અક્ષરે જ્યાં સત્યને ટંકાર રણકે છે એવા આ કેલ્કીર્ણ અમર શબ્દોમાં સમસ્ત મતાગ્રહને વિધ્વંસ કરનારી શુદ્ધ વિચારણારૂપ સતપ્રરૂપણ કરી શ્રીમદ શાસ્ત્ર-સૂત્ર કેટલાં તે બા. સૂચન કર્યું છે. ગ્રંથારંભને આટલે જ ભાગ ઉપલબ્ધ થયો છે.
તે પછી ગ્રંથના અંતે શ્રીમદ્દ છેવટની ભલામણ કરે છે–“હવે એ વિષયને સંક્ષેપમાં પૂર્ણ કર્યો. પ્રતિમાથી એકાંત ધર્મ છે, એમ કહેવા માટે અથવા પ્રતિમાના પૂજનનો જ ભાગ સિદ્ધ કરવા મેં આ લઘુ 2 થમાં કલમ ચલાવી નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણે જણાયાં હતાં તે ટુંકામાં જણાવી દીધાં. તેમાં વ્યાજબી ગેરવ્યા