________________
૧૮૦
અધ્યાત્મ રાજચંદ્ર મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈતે વસ્તુનું કંઇ પણ પ્રતિપાદન થવાથી કેઈપણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટળી જાય, તે સુલભબધી પણાનું કાર્ય થાય; એમ ગણી ઢંકામાં કેટલાક વિચારો પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છઉં. આવા પરમ ઉપકારી ઉત્તમ આશયથી –ફટિક જેવા પારદર્શી સ્વચ્છ હૃદયથી પોતાના નિખાલસ વિચાર દર્શાવતાં ઋજુમૂત્તિ સમૂત્તિ શ્રીમદ્દ નિરાગ્રહપણે વદે છે—મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરે એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય છે તેમ કરવું. પણ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કે કેટલાંક પ્રમાણે આગમના સિદ્ધ થવા માટે પરંપરા અનુભવ ઈત્યાદિકની અવશ્ય છે. કુતર્કથી, જે તમે કહેતા હે તો આખા જૈનદર્શનનું પણ ખંડન કરી દર્શાવું; "ણ તેમાં કલ્યાણ નથી. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણુથી અનુભવથી સિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષે પોતાનો ગમે તે હઠ પણ મૂકી દે છે. આ મોટા વિવાદ આ કાળમાં જે પડ્યા ન હતા તે ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાત.” આમ જ્યાં અક્ષરે અક્ષરે સચ્ચાઈને રણકે રણકે છે એવા અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલા હૃદયસ્પર્શી વચન આલેખી પરમ શુકલ હૃદયવાળા શ્રીમદ જે પંચ પ્રમાણુથી આ વસ્તુ સિદ્ધ કરવા માગે છે તે રજૂ કરે છે–ટુંકામાં પાંચ પ્રકારનાં પ્રમાણથી તે વાત હું સિદ્ધ કરૂં છઉં. ૧. આગમપ્રમાણ. ૨. ઈતિહાસ પ્રમાણ. ૩. પરંપરા પ્રમાણ. ૪. અનુભવ પ્રમાણ પ. પ્રમાણ પ્રમાણુ.” પછી આગમની વ્યાખ્યા કરતાં–‘જેને પ્રતિપાદક મૂળ પુરુષ આપ્ત હોય તે વચનો જેમાં રહ્યાં છે, તે આગમ છે, એમ કહી સુપ્રસિદ્ધ દ્વાદશાંગીના નામનો નિર્દેશ કરી, આ ગ્રંથની પ્રસ્તાવના પૂર્ણ કરતાં શ્રીમદ આ ત્રણ સામાન્ય મુખ્ય મુદ્દામાં પિતાનું હૃદય ઠાલવે છે–(૧) કેઈપણ વીતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવર્તવું એ મુખ્ય માન્યતા છે. (૨) પ્રથમ પ્રતિમા નહિં માનતે અને હવે માનું છઉં, તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી; પણ મને તેની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છઉં. અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી અને તેમ થવાથી આરાધકતા નથી. (૩) મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષ રહિત થવાની પરમાકાંક્ષા છે; અને તે માટે જે જે સાધન હોય, તે તે ઈચ્છવાં, કરવા એમ માન્યતા છે. અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે.” આટલી પ્રસ્તાવના આલેખી પ્રતિમાસિદ્ધિ ગ્રંથ વિષયને ઉપકમ કરતાં માર્દવભૂત્તિ શ્રીમદ આ સિદ્ધિને મનન કરતાં પહેલાં વાંચનારે લક્ષમાં લેવા યંગ્ય બાર મુદ્દાનું સૂચન કરે છે–
“અત્યારે આટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાયેલી મને જે સિદ્ધિ તે હવે કહું છઉં. તે સિદ્ધિને મનન કરતાં પહેલાં વાંચનારે નીચેના વિચાર કૃપા કરીને લક્ષમાં લેવા–(૧) તમે પણ તરવાના ઈચ્છક છે અને હું પણ છઉં, બને મહાવીરનાં બધ-આત્મહિર્તષિ બોધને ઈચ્છીએ છીએ, અને તે ન્યાયમાં છે