SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાસિદ્ધિ અને શ્રીમની અનન્ય સત્યનિષ્ઠા ૧૭૯ તેમાંથી તે મનુષ્ય પ્રમાણાબાધિત ગણી શકાય કે જે વીતરાગદેવની આજ્ઞાના સભાવે પ્રરૂપક અને પ્રવર્તક હોય.—એમ સૂત્રાત્મક કેલ્કણું અમૃત (Immortal, nectarlike) વચનમાં સામાન્ય પ્રસ્તાવ રજૂ કર્યો છે. પછી આ દુસમ કાળમાં અત્યારે વીતરાગદેવને નામે જૈનદર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વીતરાગદેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં,”—એમ વચનટંકાર કરતા ગ્રંથકારે તે મત પ્રવર્તાનમાં મુખ્ય કારણોની સૂમ તલસ્પર્શી મીમાંસા કરી, “એટલા બધા મત સંબંધી સમાધાન થઈ નિઃશંકપણે વીતરાગની આજ્ઞારૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તે મહાકલ્યાણ”—એમ પરમ પ્રશસ્ત ભાવના દર્શાવી છે; અને તેના ફળીભૂત થવામાં વિઘભૂત વર્તમાનકાલીન સમાજની પરિસ્થિતિનો કરુણ હૃદયદ્રાવક તાદશ્ય ચિતાર રજૂ કરતાં, “દુલ્લભબોધી ગુરુઓની”—દીક્ષિત વર્ગની અને તેના પંજામાં પડેલા સમાજના શિક્ષિત-અશક્ષિત વર્ગની સ્થિતિનું દિગ્દર્શન કરાવી કરુણામય ખેદ દર્શાવ્યું છે કે – સંશોધક પુરુષે બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્ય જેવાં કે સદ્ગુરુ, સત્સંગ કે સન્શાસ્ત્રો મળવાં દુલભ થઈ પડયાં છે. જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પિોતપોતાની ગાય છે. પછી સાચી કે જૂઠી તેને કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકપ કરી પિતાની સંસારસ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તો તેને અપ્રજનભૂતરૂપ પૃથ્વિી ઇત્યાદિક વિષમાં શંકાએ કરી રેકાવું થઈ ગયું છે. અનુભવધર્મ પર આવવું તેમને પણ દુલભ થઈ પડ્યું છે. આ પરથી મારૂ એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈનદર્શનના આરાધક નથી; છે, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ. અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા અને વીતરાગની આજ્ઞામાં જેણે પિતાને આત્મા સમર્યો છે તેવા; પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તો દર્શનની દશા જોઈ કરુણા ઉપજે તેવું છે; સ્થિર ચિત્તથી વિચાર કરી દેશે તે આ મારું કહેવું તમને સપ્રમાણુ લાગશે.” આમ સામાન્યપણે મતભેદોનો નિર્દેશ કરી મુખ્ય વિવાદનો ઉલ્લેખ કરે છે– એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે, બીજા તેને કેવળ ઉત્થાપે છે.” આ બીજા વિભાગમાં પ્રથમ પોતે પણ ગણાયા હતા એ નિખાલસપણે જણાવી પિતાને પ્રતિમા સિદ્ધિ શી રીતે થઇ તે સત્યતાથી જણાવવાની ઈચ્છાથી શ્રીમદ પિતાના વિચાર દર્શાવે છે—બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણા હતા. મારી જિજ્ઞાસા વીતરાગદેવની આશાના આરાધન ભણી છે. એમ સત્યતાની ખાતર કહી દઈ દર્શાવું છઉં કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિનપ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોકત, પ્રમાણેકત, અનુભક્ત, અને અનુભવમાં લેવા વૈપે છે. મને તે પદાર્થોને જે રૂપે બોધ થયે અથવા તે સંબંધી
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy