________________
૧૭૮
- અધ્યાત્મ રાજચંદ્ર મતાગ્રહથી પર સતગ્રાહી શ્રીમદ્ સદૈવ સતગ્રહણ કરવા તત્પર હતા; એટલે જ પ્રતિમા અને તેનું પૂજન સત્ય લાગતાં તેમણે તે માન્ય કર્યું. સત્યધર્મ ઉદ્ધારાર્થ સર્વસંગપરિત્યાગને મનોરથ શ્રીમદ્ સેવી રહ્યા હતા, લગભગ તે જ અરસામાં–સં. ૧૯૪૩ના અંત ભાગમાં કે ૧૯૪૪ના પ્રારંભમાં શ્રીમદુની પ્રતિમા બા.ની માન્યતામાં પરિવર્તન થયું ત્યારે તેમને પ્રતિમા સર્વથા પ્રમાણસિદ્ધ છે એમ સુપ્રતીત થયું. એટલે વીતરાગદેવની આજ્ઞા પ્રમાણે પ્રતિમાની સિદ્ધિ એમને સર્વથા પ્રમાણસિદ્ધ જણાતાં પરમ ઋજુમૂર્તિ સત્યગ્રાહી શ્રીમદે તેને મુક્તકંઠે સ્વીકાર કર્યો, અને તેનું પ્રમાણસિદ્ધપણું પ્રકાશતા પ્રતિમાસિદ્ધિગ્રંથનું સર્જન કર્યું; સં. ૧૯૪૪માં લખાયેલા આ ગ્રંથમાં આગમપ્રમાણ, ઈતિહાસપ્રમાણ, પરંપરા પ્રમાણ, અનુભવ પ્રમાણ અને પ્રમાણપ્રમાણ એ પાંચ પ્રકારના પ્રમાણથી પ્રતિમાનું પ્રમાણસિદ્ધપણું કરી બતાવ્યું. “જિનપ્રતિમા અને તેનું પૂજન શાકત, પ્રમાણોક્ત, અનુભક્ત અને અનુભવમાં લેવા ગ્ય છે” એમ ડિડિમ નાદથી ઉદ્ઘેષતે આ ગ્રંથ પૂર્ણ લખાયેલું છતાં દુર્ભાગ્યે ઘણી અપૂર્ણ અવસ્થામાં પ્રાપ્ત થયો છે,– તેને પ્રારંભને પ્રસ્તાવનાદિ ભાગ અને ઉપસંહારરૂપ “છેવટની ભલામણ એટલે જ ભાગ ઉપલબ્ધ થયો છે. આ ગ્રંથ પૂર્ણ લખાયે હવે જાઈએ તેની સાબીતી આ ગ્રંથની ‘છેવટની ભલામણ પરથી પ્રાપ્ત થાય છે, અને ત્યાં તેના પ્રજન–ઉદેશ પણ સ્પષ્ટ થઈ જાય છે, તે આપણે પાછળથી જોશું. અત્રે પ્રથમ તે આપણે આ યુગપ્રવર્તક બનવા ગ્રંથની વસ્તુનું સંક્ષેપે દિગ્દર્શન કરશું. - પરમ પ્રૌઢ ગંભીર શાસ્ત્રશૈલીથી વિષયનો પ્રારંભ કરતાં ગ્રંથકારે ઉદુખ્યું છે કે—“વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેંદ્રિયપણું આટલા ગુણે જે આત્મામાં હાય, તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મમરણ કરી ચુકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે કર્મ મુક્ત થવાને જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં
જાય છે, અને એ સાચ જિજ્ઞાસુ-ખરેખર મુમુક્ષુ અધિકારી સુલભબોધી આત્મા મુકત પુરુષોએ ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય.”—એમ પ્રારંભમાં જ ગ્રંથકારે ઉદ્દઘાષણ કરી છે, અને “રાગ, દ્વેષ અને મોહ એ જેનામાં નથી તે પુરુષ તે ત્રણ દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિઃસંદેહપણે પ્રવનારા સત્પરુષે કાં તે માર્ગ ઉપદેશી શકે. સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં નિગ્રંથ દર્શન એ રાગ, દ્વેષ અને મોહરહિત પુરુષનું બધેલું વિશેષ માનવા યોગ્ય છે. એ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થકર દેવ તેણે મોક્ષના કારણરૂપે જે ધર્મ બળે છે, તે ધર્મ ગમે તે મનુષ્ય સ્વીકારતાં હોય પણ તે એક પદ્ધતિએ હોવાં જોઈએ, આ વાત નિઃશંક છે. અનેક પદ્ધતિએ અનેક મનુષ્ય તે ધર્મનું પ્રતિપાદન કરતાં હોય અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તે તેમાં તીર્થંકરદેવની એક પદ્ધતિને દેષ નથી પણ તે મનુષ્યોની સમજણશક્તિને દેષ ગણી શકાય. એ રીતે નિર્ગથધર્મ પ્રવર્તક અમે છીએ, એમ જુદા જુદા મનુષ્ય કહેતા હોય, તો