SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત “જેનાતમાકુષ્યતા, નૈવ જામ્ અક્ષયાનંતોષાક, તર વિસ્તારને નમઃ –શ્રી પૂજ્યપાદસ્વામી વિશ્વ વિરલ વિભૂતિ છે, ભારત તિર્ધાર; દિવ્ય તિ રાજચંદ્ર જે, ધન્ય! ધન્ય! અવતાર. (સ્વરચિત) સંતતત્ત્વોની ભૂમિ તરિકે સુપ્રસિદ્ધ આ ભારતભૂમિને પાવન કરી ગયેલા એક પરમતત્વદષ્ટા શ્રીમદ રાજચંદ્રનું દિવ્ય અધ્યાત્મચરિત્ર વર્ણવવાને અત્ર “અધ્યાત્મ રાજચંદ્રમાં ઉપક્રમ છે. આ પરમ અલૌકિક સાધુચરિત સત્ પુરુષના પરમ અલોકિક અદ્ભુત આત્મચારિત્રમય ચરિત્રને માત્ર સ્થળ ઉપરછલો જ ખ્યાલ આપી શકાશે એવા આત્મશક્તિની મર્યાદાના પૂરા ભાન સાથે આ ચરિત્રાલેખકે આ પુણ્યશ્લેક પુરુષનું ચરિત્ર સંકીર્તન કરવાને આ નમ્ર પ્રયત્ન કર્યો છે. લેકદષ્ટિપ્રધાન આ પ્રસિદ્ધિના જમાનામાં પ્રસિદ્ધિની ભૂરકી એટલી બધી છે કે ભલભલા મહાત્માઓ પણ તેની મોહિનીથી અંજાઈ જઈ તેના પડછાયાની પાછળ દોડી રહ્યા છે, ત્યારે અલૌકિક આત્મદષ્ટિસંપન્ન ખરેખર આત્મપરિણત અધ્યાત્મમૂત્તિ સ્વરૂપગુપ્ત શ્રીમદ રાજચંદ્ર તે ગુપ્તતા જ ઈચ્છતા રહી–અધ્યાત્મનિમગ્ન થઈ સ્વયં પ્રસિદ્ધિથી દૂર જ ભાગતા રહ્યા,-એ જ એમને મહિમાતિશય પિકારે છે; એ જ પરમ સત્તમ પરમ મહત્તમ સ્વરૂપગુપ્ત શ્રીમદનું પરમ સત્પણું–પરમ મહપણું પ્રકાશે છે. જ્ઞાનાર્ણવમાં કહ્યું છે તેમ–પરબ્રહ્મની વાતો વિસ્તારનારા તે જગમાં અસંખ્ય હોય છે, પણ તેની સાક્ષાત્ પ્રાપ્તિ કરનારા તે દુર્લભ-વિરલા હોય. શ્રીમદ્ રાજચંદ્ર આવા વિરલા, પરબ્રહ્મની સાક્ષાત્ અનુભૂતિ કરનારા-પરબ્રહ્મના ભગી વિરલા ગી હતા. તેની સાક્ષી આ તેમના હૃદયદર્પણ સમી હાથધના (Private Diary) આત્મસંવેદનશીલ અનુભવદુગાર જ પૂરે છે–કેઈ બ્રહ્મરસના ભેગી, કેઈ બ્રહ્મરસના ભોગી; જાણે કઈ વિરલા એગી, કઈબ્રહ્મરસના ભોગી.” અને તેવા સેંકડો આત્માનુભવદુગારે તેની પુષ્ટિ કરે છે. આમ પરમ આત્માની સાક્ષાત્ પ્રાપ્તિ-સિદ્ધિ કરી–આત્મસિદ્ધિ કરી આત્મા સાક્ષાત્ અનુભવસિદ્ધ કર્યો છે એવા આત્મદષ્ટા શ્રીમદ્દ જેવા જોગીન્દ્ર જગતમાં ખરેખર! વિરલ જ છે. આવા દિવ્ય દૃષ્ટા જીવતા જાગતા જવલંત જોગીન્દ્રનું દિવ્ય જીવન જગતને બેધપ્રદ–રસપ્રદ થઈ પડે એવું અપૂર્વ દૈવત ધરાવે એમાં આશ્ચર્ય શું? શ્રીમદ્ રાજચંદ્રનું જીવન એ ખરેખરા અર્થમાં એક આત્માનું જીવન છે,– આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિને માટે સતત મથતા અને એમ અપૂર્વ આત્મપુરુષાર્થમય આત્મપરાક્રમથી સાક્ષાત્ આત્મસિદ્ધિને પામેલા એક પરમ ઉચ્ચ કોટિના દિવ્ય આત્માનું જીવન છે. શ્રીમદ્દનું આ દિવ્ય આત્મજીવન સમજવા માટે પ્રથમ એમની જીવનદષ્ટિ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy