________________
૧૯ર
અધ્યાત્મ રાજચંદ્ર છાનામાના તે વાતને અંતમાં શમાવી દેવારૂપ– ગોપવી દેવારૂપ મૌનભાવ છે, અથવા અંતરથી સમભાવી મૌનરૂપ–ભાવમૌન છે.
આ અંતરંગ વિવેક પર કવચિત્ જે કંઈ પણ આવરણ આવી પડેતો શ્રીમદને કેટલું બધું દુઃખ સંવેદાય છે, કેટલે બધો અકથ્ય ખેદ થાય છે અને કેટલી બધી મુંઝવણ થઈ આવે છે, તે અંગે શ્રીમદ્ પિોતાનું સંવેદન દર્શાવે છે કઈ કઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ તુચ્છ નિમિત્ત થઈ પડે છે, તે વેળા તે વિવેક પર કોઈ જાતિનું આવરણ આવે છે ત્યારે આત્મા બહુજ મુંઝાય છે. જીવનરહિત થવાની, દેહત્યાગ કરવાની દુઃખસ્થિતિ કરતાં તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છે; પણ એવું ઝાઝો વખત રહેતું નથી, અને એમ જ્યારે રહેશે ત્યારે ખચિત દેહત્યાગ કરીશ, પણ અસમાધિથી નહીં પ્રવતું એવી અત્યારસુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે. – શ્રીમદૂના આ આ સ્વસંવેદન ઉગારો દર્શાવે છે કે તે અંતરંગ ત્યાગવૈરાગ્યના અંતરંગ રંગરૂપ વિવેકને જે કવચિત્ કઈ સંગી–પ્રસંગી કઈ પ્રકારના આવરણરૂપ તુચ્છસ્વલ્પ નિમિત્ત થઈ પડતું, તો તે માટે શ્રીમદને પારાવાર–દેહત્યાગ કરતાં અધિક ભયંકર દુઃખ થતું, આત્માને અત્યંત મુંઝવણ થતી. પણ તે સ્થિતિ ઝાઝો વખત રહેતી નહિં, એટલે અસમાધિથી નહિં પ્રવર્તવાની પહેલેથી અત્યારસુધી પિતાની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે —અખંડ અભંગપણે પ્રથમથી હમણાં સુધી પળાતી આવી છે. તાત્પર્ય કે– ક્વચિત્ આવરણરૂપ અપવાદને બાદ કરતાં પ્રાયઃ શ્રીમદ પ્રથમથી અત્યાર સુધી મુખ્યપણે અખંડ અંતસમાધિસ્થિતિમાં– ભાવસમાધિદશામાં જ વત્તી રહ્યા છે, ભાવવિરતિરૂપ- ભાવવિરક્તદશામાં જ અખંડ એકધારી સ્થિતિ અનુભવી રહ્યા છે.
પ્રકરણ સત્તાવીસમું
વ્યાપારમાં ઝંપલાવવું આ વાણીઓ ગ્રામ વવાણુઓને, અપૂર્વ સદ્ રત્નવણિક જાણે, વ્યાપાર રત્નત્રયીને અનન્ય, કરી ગયે આતમ લાભ ધન્ય—(સ્વરચિત)
શ્રીમના આત્માની અંતરવૃત્તિ સહજ સ્વભાવે ધર્મ પ્રવૃત્તિ ભણી વળી રહી હતી, અંતરૂપરિણતિ ત્યાગ-વૈરાગ્યમાં પ્રવહી રહી હતી, છતાં એમને અર્થપ્રવૃત્તિમાં પડવું પડયું–વ્યાપારમાં ઝંપલાવવું પડ્યું, એ કઈ વિધિનું વૈચિય અથવા પ્રારબ્ધનું વૈષમ્ય જ કહી શકાય. ઘણી વખત મનુષ્ય ધારે છે કાંઈ અને બને છે કાંઈ, એની અંતરવૃત્તિ પ્રમાણે બની શકતું નથી, તેમાં પ્રારબ્ધોદય અને પ્રારબ્ધોદયથી પ્રાપ્ત બાહ્ય સંજોગો