SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. અધ્યાત્મ રાજચંદ્ર “રાગભારે જન મન રહે, પણ તિહું કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રન, કેઈ ન પામે હો તાગ.શ્રી શ્રેયાંસકૃપા કરો”. શ્રીયશોવિજયજી “यदा मरुन्नरेंद्रश्रीस्त्वया नाथोपभुज्यते ।। વત્ર તત્ર તત્તમ વિસાયં તવાપિ તે —શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત શ્રી વીતરાગસ્તવ અને એવું જ ઉજજવલ જીવતું જાગતું જવલંત દૃષ્ટાંત વર્તામાનયુગમાં શ્રીમદ્ રાજચંદ્રજી જેવા પરમ અધ્યાત્મની સમ્યગ્દષ્ટિ વીતરાગ પુરુષે પોતાના ઉત્તમ અધ્યાત્મચરિત્રથી પૂરું પાડ્યું છે. તે તેમનું અધ્યાત્મજીવન જેમાં ઓતપ્રોત ગુંથાયેલું છે એવા તેમના વચનામૃતને મધ્યસ્થ ભાવથી સાવંત અવલોકનારને સહેજે પ્રતીત થાય છે. અત્રે ટાંકેલ ઉપરોક્ત તીવ્ર સંવેદનમય પત્રમાં સ્વસંવેદનશીલ શ્રીમદની અત્યંત અનાસક્તિ ઝળહળે છે એટલું જ નહિં પણ પરમ વિરક્તિ પ્રકાશે છે. ગૃહસ્થાશ્રમને લગતા બીજા પત્રોમાં પણ આવા જ આત્યંતિક વિરક્તભાવનું પ્રગટ દર્શન થાય છે. જેમ કે – એક પરિચયી ભાઈ પ્રત્યે શ્રીમદ ૧૯૪૬ના પત્રમાં (અં. ૧૧૩) પોતાના ગૃહસ્થાશ્રમ અંગેનો અનુભવ લખે છે –“આપના પહેલાં, આ જન્મમાં હું લગભગ બે વર્ષ થી કંઈક વધારે કાળથી ગૃહાશ્રમી થયો છું એ આપના જાણવામાં છે. ગૃહાશ્રમી જેને લઈને કહી શકાય છે, તે વસ્તુ અને મને તે વખતમાં કંઈ ઘણે પરિચય પડે નથી, તો પણ તેનું બનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણુંખરૂં સમજાયું છે, અને તે પરથી તેને અને મારો સંબંધ અસંતોષપાત્ર થયો નથી; એમ જણાવવાનો હેતુ એવો છે કે ગૃહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપગી થાય છે; મને કંઈક સાંસ્કારિક અનુભવ ઊગી નિકળવાથી એમ કહી શકું છું કે મારો ગૃહાશ્રમ અત્યારસુધી જેમ અસંતોષપાત્ર નથી તેમ ઉચિત સંતોષપાત્ર પણ નથી, તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ હોવામાં પણ મારી કેટલીક ઉદાસીન વૃત્તિની સહાયતા છે.” તત્વજ્ઞાનની ઊંડી ગુફાનાં દર્શન કરવામાં નિમગ્ન થયેલા વૈરાગ્યમૂર્તિ શ્રીમદ્ આ જ પત્રમાં આગળ પિતાની વિરક્તતા ઉલ્લેખે છે– તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે, અને ખચીત તે તત્ત્વજ્ઞાનનો વિવેક પણ આને ઊગ્યે હતો; કાળના બળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડવો; અને ખરે ! જે તેમ ન થઈ શક્યું હોત તો તેના જીવનનો અંત આવત. (તેના એટલે આ પત્રલેખકના.) જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરે પડ્યો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે, બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અચ્ય ખેદ થાય છે. તથાપિ જ્યાં નિરુપાયતા છે, ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મીનતા છે.' શ્રીમદના આ તીવ્ર સંવેદનમય અંતરોદ્ગારો તેમની ગૃહાશ્રમથી અત્યંત વિરક્તિ દર્શાવવા સાથે અંતરંગ પરમ વિરક્ત દશા અંગે ઘણો ઘણો પ્રકાશ નાંખે છે. તત્ત્વ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy