SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગમાં વિઘ્ન ૧૬૧ સમાવતાં અંતમાં એટલા બધા અકથ્ય ખેદ થશે કે તેની અસર જીવન પર થશે. અને બન્યું પણ તેમ જ. અનિચ્છાથી અનુત્સાહથી કરવામાં આવતી વેઠ જેવી પ્રવૃત્તિરૂપ ગૃહસ્થાશ્રમના વ્યવસાયના પરિશ્રમ શ્રીમદ્ન એટલે બધા પડચો કે તેમના શરીરને ઘસારા લાગ્યા અને તેની અસર જીવન પર પડી હાય એમ ખનવા જોગ છે. માતાજીને મેાહને લીધે જો કે આ વાત તે વખતે ન સમજાઈ પણ પાછળથી તેમને પણ સમજાઇ ને શ્રીમના દેહત્યાગ પછી ચિત્ અસેાસ પણ કરતા કે મેં ભાઈને સાધુ થવાની રજા આપી હાત તેા ભાઇની ઉમર વધારે હતી, એમ ભાઈ કાઇક વખત કહેતા.' આ વાત શ્રીમના મ્હેનની પાસે માતાજીએ કરી હતી. આ ઉપરેાક્ત પ્રસંગ સૂચવે છે કે શ્રીમનું પરમ કરુણાળુ હૃદય માતાજીના અનુરોધથી દ્રવી ગયું હશે અને તેએ અનિચ્છતાં છતાં પરાણે ગૃહાવાસમાં જોડાવા સંમત થયા હશે. બીજું કારણ કૌટુંખિક પરિસ્થિતિનું-વ્યાવહારિક-આર્થિક સ્થિતિનું સભવે છે. આ અંગે પૂર્વે પણ આગલા એક પ્રકરણમાં કહેવાઈ ચૂકયુ છે. એક વખત સારી સ્થિતિવાળા રવજીભાઇને મોટું કુટુંબ ને આર્થિક સ્થિતિ સાંકડી થઈ પડી હતી. આવેı રાયચંદ જેવા મહાબુદ્ધિશાળી પુત્ર મને હવે સહાયરૂપ થઇ પડી મારો ભાર હળવા કરશે એવી પિતૃસુલભ મેાટી મેાટી આશાથી રવજીભાઇએ શ્રીમદ્ પર મીટ માંડી હશે. પિતાને અર્થાપાનમાં ને વિશાળ કુટુંબનિર્વાહનમાં સહાયક થવાની પવિત્ર ફરજ શ્રીમા માથે આવી પડી હતી. એક તરફ અંતરંગ ત્યાગવૈરાગ્ય સ`સગપરિત્યાગને માટે પાકાર પાડતા હતા અને બીજી તરફ આ કૌટુ ંબિક સ્થિતિ અને આર્થિક સંકડામણુ ફરજ અદા કરવાની ચીસા પાડતી હતી, આ ધ`સંકટ શ્રીમને માથે આવી પડયું. એક સામાન્ય મનુષ્ય પણ પોતાના કુટુંબને રખડતું રઝળતું બીજાની દયા પર પરાશ્રયે મૂકી, પાતાની ફરજને ઠાકર મારી ભાગવાના વિચાર સુદ્ધાં ન કરે, તો શ્રીમદ્ જેવા અસામાન્ય અસાધારણ વિજ્ઞ પ્રશ્ન પુરુષ તેમ કેમ કરે ? એટલે જ શ્રીમદ્નના પત્રોમાં આવતી સૂચક પંક્તિ સૂચવે છે કે શ્રીમદ્ન પેાતાની કૌટુંબિક આદિ વ્યાવહારિક ફ્રજ અંગે પૂરેપૂરા સભાન અને સાગર હતા. શ્રીમદ્નના એક ખાલમિત્ર પેાપટ મનજીએ પેાતાના સંસ્મરણેામાં લખ્યું છે કે— તેમને માતુશ્રી-પિતાશ્રી કહેતા કે ભાઈ, આપણી સ્થિતિ સારી નથી માટે કાંઇ ઉપાય કરો તા ઠીક. ત્યારે કહેતા કે, સ્થિતિ જેવી જોઇએ તેવી સારી થશે. તે વિષે કાંઈ ફીકર કરશે નહિં. સારી રીતે નિભાવ થાય તેવું થશે. ૧૯૪૨માં સાહેબજી વવાણી ખંદરથી મુંબઈ પધાર્યાં હતા. આ બધું સૂચવે છે કે આવી પડેલી કૌટુંબિક ફરજ એ ખીજું કારણ બન્યું હશે. ત્રીજું કારણ શ્રીમદ્ભુનું આંતનિરીક્ષણ સંભવે છે. આપણે પૂર્વે ચારિત્રસૃષ્ટિના અને અંતરંગ ત્યાગવૈરાગ્યના પ્રકરણમાં જોયું તેમ શ્રીમદ્ પેાતાના દોષ દેખીને ટાળવામાં અત્યંત જામત છે. પેાતાના સ્વલ્પ દોષ પણ ઘણા માટે ભાસવા એ મહાપુરુષનું લક્ષણ છે, તેમ શ્રીમદ્ભુને પેાતાના અતિ અતિ સ્વલ્પ દોષ પણ ઘણા મેાટા ભાસે છે. એટલે તીવ્રવૈરાગ્યભાવનાથી શ્રીમદ્ રહ્યાસહ્યા સૂક્ષ્મ દોષ ટાળવાને પૂરા અપ્રમત્ત છે, છતાં અ૨૧
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy