________________
૧૬૦
અધ્યાત્મ રાજચંદ્ર
છોડાવવા ને ગૃહસ્થાશ્રમમાં જોડાવવા ખૂબ ખૂબ દબાણ લાવી રહ્યા હતા તે શ્રીમદને હા” કહેવરાવવાના પિતાના પ્રયત્નમાં આખરે સફળ થયા હોય એમ જણાય છે. શ્રીમદ્દ પરમાર્થ પ્રત્યેને આટલો બધો સંવેગરંગ છતાં–આટલો બધો અંતરંગ ત્યાગવૈરાગ્યરંગ છતાં તેમને એકદમ પોતાનો નિર્ણય ફેરવો પડયો ને બાહ્ય ત્યાગને સંક૯૫ તત્કાળ ખેળ બે પાડી ગૃહસ્થાશ્રમમાં જોડાવા માટે હા પાડવી પડી, તે માટે તેમના ઉપર સંજોગોનું અસાધારણ દબાણ આવી પડયું હોવું જોઈએ,જેથી સંગાધીનપણે–પ્રારબ્બાધીનપણે શ્રીમદને આ અંગે પરાણે સંમતિ આપવી પડી. આ સંજોગોના સંદર્ભમાં એ બન્યું હોવું સંભવિત છે કે પુનઃઅંતરવિચારણાથી આંતનિરીક્ષણ કરતાં શ્રીમદે હાલ તત્કાળ પોતાની આત્મસાધના પરિપૂર્ણ કરતા રહી પોતાની આ સહજ ભાવ ઊર્મિને ઉપશમાવવાનું ત્યારે ઉચિત માન્યું હોય.
જે સંજોગોના દબાણને લઈ શ્રીમને સર્વસંગપરિત્યાગનો પિતાનો દઢ સંકલ્પરૂપ નિર્ણય ફેર પડ્યો, તત્કાળ પૂરત ખેળ બે પાડવો પડયો, તે કયા સંજોગો હશે? તે અંગે યથામતિ વિચાર કરતાં અંતર્ગત સંશોધનથી આ ચાર પ્રકારના સંજોગો સંભવે છેઃ (૧) માતાપિતાદિને અનુરોધ અને અનનુમતિ, (૨) કૌટુંબિક પરિસ્થિતિ, (૩) શ્રીમદનું આંતરનિરીક્ષણ, (૪) સત્સંગ અભાવ. આ ચાર પ્રકારને અનુકમે સંક્ષેપ વિચાર કરશું.
માતા-પિતા-સ્વજનાદિના અનુરોધનું ચિતરફથી આક્રમણ શ્રીમદ પર આવી પડયું હોવું જોઈએ. મહાવીર સ્વામી જેવા આજન્મ વૈરાગીને પણ માતા પિતાદિના અનુરોધથી ત્યાગમાં વિલંબ કરવો પડ્યો હતો અને ગૃહાશ્રમમાં જોડાવું પડયું હતું આ પ્રસિદ્ધ હકીકત છે. શ્રીમદને પણ આ કારણ બન્યું હોવાનું સંભવિત છે. આની સાબીતીમાં એક પ્રસંગનીx નોંધ પ્રાપ્ત થાય છે. શ્રીમદના માતાજી દેવામાં અને શ્રીમદ એક વખત ફડીઆમાં ખાટલા પર બેઠા હતા. શ્રીમદે દેવમાને કહ્યું–માતાજી ! અમને તમે રજા આપો તે જંગલમાં જઈને સાધુ થાવું છે. માતાજીએ કહ્યું –ભાઈ ! અમે તમને રજા કેમ આપીએ ? કાંઈ સાધુ થઈ જવાય ? ભાઈ ! તું એવું કેમ કરે છે ? માતાજીની આંખમાંથી આંસુ પડ્યાં. પછી શ્રીમદે કહ્યું મા ! જીવતા જોગી હશે તો કઈ દિવા તેનું મેટું જેવા તમને મળશે ને તમારા બારણે આવશે; પછી કોઈ રાજાનું દષ્ટાંત આવ્યું. (શું આપ્યું તે મળ્યું નથી. માતાજીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. શ્રીમદે કહ્યું મા ! તમને જેમ ઠાક લાગે તેમ. હવે હું બોલીશ નહિં. તમારે દુઃખ ન લગાડવું.” આ નાનો દેખાતે પ્રસંગ ઘણું ઘણું વાત કહી જાય છે. “જીવતો જોગી ઈ. શબ્દો માર્મિકપણે શ્રીમદની ત્યાગની તીવ્ર તમન્ના સૂચવવા સાથે એમ સૂચવે છે કે તેમને જે માતાજી તરફથી સાધુ થવા માટે રજા આપવામાં આવશે તો એમનું ચિત્ત પ્રસન્ન પ્રફુલ્લ બની ધારેલા જીવનકમમાં જીવનવહન થવાના ઉત્સાહથી દીર્ધાયુ થવા પામી ગીરૂપે મુખદર્શન થવા પામશે; ને રજા નહિં આપવામાં આવે તો અંતરછાને
૪ શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દિ સ્મારક ગ્રંથ, પૃ. ૫૭