SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમનું શુક્લ અંત:કર્ણ અને અંતરંગ ત્યાગ વૈરાગ્ય ૧૫૯ હશે; અને રાષથી કે માનથી શ્રીમદ્ આમ વતા હશે એમ એમની વિચિત્ર વત્તના અંગે કલ્પના કરતા હશે. પણ તેમ નથી જ એ અત્ર શ્રીમદ્દે સ્પષ્ટ કર્યું છે. સાવચેતી શૂરાનુ ભૂષણ છે' એ માર્મિક વચન અતે લખ્યું છે તે એમ સૂચવે છે કે સંસારના પ્રવાહમાં ન પડી જવાય એની સાવચેતી–સાવધાની રાખવી એ શૂરાનું –આ વૈરાગ્યર’ગી આત્મવીરનું ભ્રષણ છે. ‘જિનાય નમ:’ એ છેલ્લે લખ્યું છે તે તેમની ભક્તિ સૂચવવા સાથે તેમની અતપિરણત ધમમાં—ભક્તિમાં જ વહી રહી છે તેનુ સૂચન કરે છે. આમ શ્રીમને વૈરાગ્યમાંથી પાછા વાળવા માટે અથવા શ્રીમદ્ પર બીજા ખીજા વ્યાવહારિક સ ંજોગાનુ દબાણ લાવવા માટે નિકટના સગાંસ્નેહીએ કાંઇ ખાટું લાગે તેવું કદાચ લખતાં હશે પણ શ્રીમને કાઈપણ પ્રકારે ખાટું લાગતું નથી. છતાં વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શક્તા નથી. ખુલાસા નથી લખી શકાતા તેનું કારણ વૈરાગ્ય છે. આ સૂચવે છે કે શ્રીમદ્ આ સમયે કેાઈ અપૂર્વ વૈરાગ્યદશામાં વી રહ્યા છે, એટલે તે આડે તેમને ખુલાસા લખવા જેટલી ફુરસદ નથી,—અવકાશ નથી. અને આમ હાલ તા શ્રીમદ્ કેવળ હૃદયત્યાગી છે, અને સંસારથી કટાન્ય છે.—કેવળ-માત્ર હૃદયથી અતી ત્યાગી છે, બાહ્યત્યાગી હજી નથી, છતાં તે ત્યાગ કરવાની પૂર્ણ અંતરેચ્છા છે. સંસારથી કંટાળ્યા છે એટલે તે ત્યજવાની પૂરેપૂરી ધારણા છે, અને તેમ કરી-સર્વÖસંગપરિત્યાગ કરી અદ્ભુત આત્મપરાક્રમ સ્ફુરાવવા તત્પર છે. આવા શ્રીમદ્ વૈરાય-તરંગિણીમાં ઝીલી રહ્યા છે—નિમજ્જન કરી રહ્યા છે અને અદ્ભુત વૈરાગ્યદશામાં વત્તી રહ્યા છે. પ્રકરણ પચીશમુ ત્યાગમાં વિઘ્ન આમ શુક્લ અંતઃકરણવાળા અને વૈરાગ્યરસતરંગિણીમાં ઝીલી રહેલા શ્રીમન સસ’ગપરિત્યાગ કરી નિકળી પડવાને મહાન્ મનારથ હતા. શ્રીમદ્નના પત્રો પ્રત્યે દૃષ્ટિપાત કરતાં સ્પષ્ટ જણાય છે કે વૈરાગ્યમાં ઝીલી રહેલા હૃદયત્યાગી શ્રીમદ્ સંસારથી કંટાળ્યા છે, અને સસંગપરિત્યાગની ગવેષણા કરી રહ્યા છે. પણ ત્યાં તા ત્યારે (૧૯–૨૦ વર્ષની વયે) જૂદી જ ઘટના બને છે ને શ્રીમની આ ઉત્કટ ત્યાગભાવનામાં વિઘ્ન નડે છે, હજુ માતાપિતાદિની અનુજ્ઞા મળી શકી ન્હોતી, એટલે આ મહાન્ મનેારથ સફળ થવામાં હાલ તત્કાળ વચ્ચે વિઘ્ન આવે છે, અને શ્રીમને પ્રારબ્ધાયને આધીન થવું પડે છે. આગલા પ્રકરણમાં જણાવ્યું હતું તેમ માતાપિતાદિ સ્વજના ને અન્ય સગાંસંબંધીએ જે શ્રીમને ત્યાગવૈરાગ્ય
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy