SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ અધ્યાત્મ રાજચંદ્ર લાંબા વખતની સ્થિતિથી કેટલીક શક્તિ”—અવધાન–ોતિષાદિ શક્તિ “દાટી મૂકયા જેવી”—અંદરમાં ભંડારી દીધા જેવી થઈ ગઈ છે, ગૌણ કરી દીધી છે–દબાવી દીધી છે. અત્રે “માનસિક વ્યાધિ-માનસિક ચિંતા તે કઈ હશે ? આર્થિક-વ્યાવહારિક સંજોગોની સંકડાશને લઈ મન ચિંતામાં પડ્યું હશે ? કૌટુંબિક ફરજેને લઈ ચિંતામાં પડ્યું હશે? કેઈ પરમાર્થ સંબંધી ચિંતા-તત્વમંથનરૂપ ચિંતનને લઈ ચિંતામાં પડયું હશે ? કે સંસાર પ્રત્યેના વૈરાગ્યને લઈ તેના ત્યાગ સંબંધી ચિંતામાં પડયું હશે ? આ છેલા બે કારણ અથવા છેલ્લા બે પ્રકારની ચિંતા વિશેષ સંભવિત લાગે છે. કારણ કે આ સમયે તેમની વૈરાગ્યદશા વધતી જતી હતી— ઓગણીસસેં ને બેતાલીસે અદ્દભુત વૈરાગ્ય ધાર રે', એટલે ચોગવાસિષ્ઠમાં જેમ રામચંદ્રજી વૈરાગ્ય ઉપજતાં ઉદ્વેગમાં પડ્યા હતા, તેમ રાજચંદ્રજી અદ્ભુત વૈરાગ્ય ઉપજતાં સંસારથી ઉદ્વેગ પામી તેના ત્યાગની ચિંતામાં પડયા હતા. એટલે જ આ અવધાનાદિ ચમત્કારિક બાહ્ય પ્રગમાં પણ તેમને રસ રહ્યો હતો અને તેથી વિરક્ત બન્યા હતા, અને એટલે જ કેટલીક શક્તિઓ દાટી મૂક્યા જેવી જ થઈ ગઈ છે” એમ અત્ર પત્રમાં મર્મમાં લખ્યું છે. શ્રીમદની આ “માનસિક ત્રાધ” ત્યાગ-વૈરાગ્યચિંતા સંબંધિની જ હેવી જ જોઈએ તે નીચેના પત્રથી ઓર સ્પષ્ટ થશે. સં. ૧૯૪૩માં વવાણઆ બંદરથી શ્રીમદ્દ એમના એક નિકટના સગા પરના પત્રમાં લખે છે–પત્રને ઉત્તર નથી લખી શક્યો. તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. રોષ કે માન એ બેમાંનું કાંઈ નથી. કાંઈક સંસારભાવની ગમગીની તો ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. ક્ષમા ચાહીએ. વાતનું વિસ્મરણ કરવા વિનંતિ છે. ૪ ૪ સાવચેતી શૂરાનું ભૂષણ છે. જિનાય નમઃ.” આ વચનો સૂચવે છે કે શ્રીમદ આ સમયે કોઈ વિચિત્ર મનોદશામાં વત્તતા હતા. તેથી આ અત્યંત નિકટના સગાને પણ પત્રનો ઉત્તર નથી લખી શકયા. આ વિચિત્ર દશા શી હશે ? વૈરાગ્યરંગી શ્રીમદ્દનું અધ્યાત્મનિમજજન એટલું બધું હશે કે તેમની બાહ્ય પ્રવૃત્તિ ઢંગધડા વિનાની-અસ્તવ્યસ્ત હશે અને તે બીજાને વિચિત્ર ભાસતી હશે એટલે નહિં ઓળખી શકનારા બીજાઓ એને માટે ગમે તે ખ્યાલ બાંધી લેતા હશે. આનો ખુલાસો આ જ પત્રમાં લખે છે –“રેષ કે માન એ બેમાંનું કાંઈ નથી.” રેષથી કે માનથી આમ વિચિત્ર વર્તાય છે એમ નથી, ત્યારે શું છે? “કાંઈક સંરગારભાવની ગમગીની તો ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. ક્ષમા ચાહીએ. વાતનું વિસ્મરણ કરવા વિનંતિ છે.” અત્રે કાંઈક સંસારભાવની ગમગીની-સંસાર પ્રત્યેની ઉદાસીનતા-વૈરાગ્યદશા તે ખરી. આમ છે માટે વિચિત્ર ભાસતી પોતાની વાર્તાના માટે ક્ષમા માગી છે. આ નાનો પત્ર એટલું માર્મિક સૂચન કરી જાય છે કે-(૧) શ્રીમદ્ ત્યારે કોઈ વિચિત્ર મનોદશામાં વત્તતા હતા, તે તેમના અધ્યાત્મનિમજજનને લીધે હતી. (૨) રોષથી કે માનથી આમ વર્તાન હોતું પણ તેમને ખરેખરો અંતરંગ તીવ્ર વૈરાગ્ય વર્તાતો હતો. (૩) બીજાઓ-ગાં સંબંધીઓ આ વૈરાગ્યમાંથી-ઉદાસીન દશામાંથી શ્રીમદને પાછા વાળવા પ્રયત્ન કરતા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy