SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દનું શુક્લ અંત:કરણ અને અંતરંગ ત્યાગ વૈરાગ્ય ૧૫૭ અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. હે જીવ! હવે ભેગથી શાંત થા શાંત થા, વિચાર તો ખરો એમાં કયું સુખ છે? મહાસૌદર્યથી ભરેલી દેવાં. ગનાના ક્રીડાવિલાસ નિરીક્ષણ કરતાં છતાં જેના અંતકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભ્રમાવે છે. સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પણ દાખલ છે. બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં.” –ઈ. વચનો તેની સાક્ષી પૂરે છે. “ઉજજવલ આત્માઓને સ્વત:વેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે” ઈ.-ભાવના બોધના ટકેલ્કીર્ણ વચનામૃતની ચરિતાર્થતા શ્રીમદૂના અધ્યાત્મમય જીવનમાં પદે પદ દશ્યમાન થાય છે. આ અંતરંગ વૈરાગ્યરંગને લીધે શ્રીમદની અંતરંગ ત્યાગભાવના–સર્વસંગપરિત્યાગની અંતરેચ્છા પણ તેવી જ ઉત્કટ હતી. “યુવાવયને સર્વસંગપરિત્યાગ પરમ પદને આપે છે એ મેક્ષમાળાનું વચન તેમજ ભાવનાબધના ત્યાગમાર્ગના પુષ્કળ પ્રશંસાત્મક વચનો શ્રીમદનું લઘુવયથી જ સર્વસંગપરિત્યાગ ભણીનું અંતરંગ વલણ દાખવે છે. “સંયતિ મુનિધર્મ” (અં. ૬૦)એ દશવૈકાલિકમાંથી અવતારેલ વચનામૃત અને જૂઠાભાઈ પરના પત્રમાં (એ પ૯) “દશવૈકાલિક સિદ્ધાંત હમણું પુનઃ મનન કરૂં છું, અપૂર્વ વાત છે,”—એ અંતરોદ્ગાર ત્યાગમાર્ગ અંગેની શ્રીમદની ઉગ્ર ગવેષણ અને સંગરંગી માનસનું તાદશ્ય પ્રતિબિંબ પાડે છે. “સર્વોત્તમ પદ સર્વત્યાગીનું છે. તે સાધન માટે સર્વસંગપરિત્યાગ થવાની આવશ્યકતા છે, નિગ્રંથ સદ્દગુરુનાં ચરણમાં જઈને પડવું યોગ્ય છે;–એ વચનો, તેમજ મનઃસુખરામ સૂર્યરામ પરના પત્રમાં (અં. ૭૧)-“સર્વ શાસ્ત્રના બેધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યુગનું અને ભક્તિનું પ્રયોજન સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે; અને એ સભ્ય શ્રેણિઓ આત્મગત થાય, તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે, પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે; નિર્જનાવસ્થા ગભૂમિકામાં વાસ,-સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગપરિત્યાગમાં નિયમા વાસિત છે–એ અંતરઊર્મિઓ શ્રીમદની સર્વસંગપરિત્યાગ પ્રત્યેની તીવ્ર ઉત્કંઠા દાખવે છે. આ અંતરંગ ત્યાગ–વૈરાગ્ય અંગે તેમના બીજા પત્રોમાં પણ સીધું -આડકત સૂચવન જોવા મળે છે. જેમકે-છે. રવજી દેવરાજ પ્રત્યેના પત્રમાં આ એક માર્મિક પંક્તિ શ્રીમદના અંતરંગ ત્યાગ-વૈરાગ્યનું આડકતરૂં સૂચન કરે છે–તેર મહિના થયાં દેહ પાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂક્યા જેવી જ થઈ ગઈ છે (બાવન જેવાં સે અવધાન તો હજુ પણ થઈ શકે છે). આ પત્ર વવાણી આથી મિ. ૨-૬-૧-૮-૪૨ના દિને એટલે કે સં. ૧૯૪૨ના આઠમા માસના-જેઠ શુદ ૧ના દિને અને જાણે બીજો જન્મ પ્રાપ્ત હોય એવા “અપૂર્વ અનુસારના બીજા વર્ષના ૬ઠ્ઠા માસમાં (‘અપૂર્વ અનુસાર આવ્યો ૧૯૪૧ના માગસરમાં) લખાયેલ છે. અત્રે તેર મહિના થયાં' એટલે ૧૯૪૧ના વૈશાખ માસથી (“અપૂર્વ અનુસાર આવ્યા પછી પાંચ માસથી) શ્રીમદને “દેહો પાધિ –શરીર સંબંધી કઈ ઉપાધિ આવી પડી છે, તેમજ માનસિક વ્યાધિકોઈ ચિંતારૂપ માનસિક વ્યાધિ આવી પડી છે, તેના પરિચયથી –
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy