SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ અધ્યાત્મ રાજક કચિત્ પૂર્ણાંક વશાત્ ઊંડે ઊંડે ખૂણેખાંચરે કાઈ સૂક્ષ્મ દોષ આવી જવાની કંઇપણુ સંભાવના ન રહે એવું તીક્ષ્ણ આંતનિરીક્ષણ તેએ કરી રહ્યા છે; અનેં સ સંગપરિત્યાગની મહાન્ જોખમદારી અને પરમ ગંભીરતા તે પૂરેપૂરી સમજે છે, એટલે એમાં સ્વપ્નાંતરે પણ સમયમાત્ર પણ પરમાણુમાત્ર પણ દૂષણુ ન જ આવવું જોઈએ, એવું તેનું પરમ ગૌરવ તેમના હૃદયમાં વસ્યું છે, એટલે તેવું માટું પગલું ભરતાં પહેલાં પૂરેપૂરા પા વિચાર કરવા જોઈએ, તે ઠેઠ નિર્વાહવાનું આત્મશક્તિનું યથા માપ કાઢવું જોઈએ, અને જેવા ભાવથી ચડાય તેવા ભાવથી ઠેઠ પાર ઉતરે એમ ચઢવું જોઇએ. આ અંગે શ્રીમદ્ પેાતાને માટે પણ બહુ કડક (Cstrict) છે અને તાપી તાવીને આત્માને ને આત્મશક્તિને નિભપણે પૂર્ણ પ્રમાણિકપણે તપાસે છે. શ્રીમના જ નિર્દભ નિખાલસ વચન આની સાક્ષી પૂરે છે—‹ નિત્ર થતા ધારણ કરતાં પહેલાં પૂર્ણ વિચાર કરજો; એ લઈને ખામી આણવા કરતાં અલ્પારલી થો. × × વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશે નહીં. ×× જેવા ભાવથી ચડાય તેવા ભાવથી સકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્ણાંક મળવાનૢ લાગતાં હૈાય તે અત્યાગી દેશત્યાગી રહીને પણ તે વસ્તુ વિસારીશ નહી.' એટલે આત્માને તાવી તાવીને જોવારૂપ તીક્ષ્ણ આત્મનિરીક્ષણથી નિર્દભ નિર્દોષ ગુણધામ શ્રીમદે પેાતાની આત્મસાધના પરિપૂર્ણ કરવા આ સહજ સ્વયંભૂ ભાવઊમિ'ને તત્સમયે ઉપશમાવી પેાતાના પ્રિય નિર્ણયને હાલ તુરત માટે મેાકુફ રાખ્યેા હાય-ખેાળ બે પાડચો હાય એમ પણ સંભવે છે. ચેાથું કારણ એ પણ સંભવે છે કે શ્રીમને ત્યારે આત્મદશાને પેાષક યથાયેાગ્ય સમાધિસ ગની–સંતસંગની પ્રાપ્તિના ચેાગ અલભ્ય થઈ પડયો હોય ને તેથી આ ત્યાગરૂપ તત્ત્વજ્ઞાનના વિવેકને મહાખેદ્રની સાથે ગૌણ કરવા પડચો હાય. આ અંગે તેવા પ્રકારના ઉલ્લેખ તેમના પત્રોમાં જ પ્રાપ્ત થાય છે—' તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દન લેતાં ગૃહસ્થાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂજે છે,-અને ખચિત તે તત્ત્વજ્ઞાનના વિવેક પણ આને ઉગ્યા હતા; કાળનાં બળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયેાગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવા પડચો; અને ખરે ! જે તેમ ન થઈ શકયું હાત તેા તેના જીવનના અંત આવત. (તેના એટલે આ પત્ર— લેખકના. (અ. ૧૭૩) સંતા કયાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પાષણ પામીએ ? ત્યારે હવે કેમ કરવું ?' (અ. ૧૨૮) ઇત્યાદિ. આમ સમગ્રપણે આ ને આવા સ ંજોગેાના દબાણથી શ્રીમને તત્કાળ સ સંગ પરિત્યાગના નિણુ ય હાલ પૂરતા ગૌણ કરવા પડયો—ખાળ બે પાડવા પડચો; સંજોગાધીનપણે-ઉદયાધીનપણે ખાદ્યત્યાગ હાલ નહિ મનવા પામ્યા છતાં શ્રીમદ્નું અંતઃકરણ તા સાચા અંતરંગ ભાવથી તેને જ ઝંખતું હતું, અંતરાત્માથી નિરંતર તેને જ ભાવતું હતું. અને આમ અતરંગ ત્યાગ-વૈરાગ્ય પૂરેપૂરા છતાં બાહ્યત્યાગમાં વિઘ્ન નડવાથી શ્રીમદૂની મનારથ ધારણા જો કે હમણાં તાત્કાલિક ખર ન આવી, હમણાં તે પરિપક્વ સમય ને પરિપક્વ આત્મદશા થતાં સુધી ઉપશમાવી, પણ આ ધારણા શ્રીમદ્નના
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy