________________
૧૫
ગાઈએ, ચરિત્ર સંકીર્નાન કરીએ કે ન કરીએ, જયંતિએ શતાબ્દિઓ કે અર્ધશતાબ્દિમાં ઉજવીએ કે ન ઉજવીએ, પણ તે તો પોતાની અમર સુકૃતિઓથી સદા જયવંત ને જીવંત જ છે. “રાત સુરનો તે સિદ્ધાર #વશ્વઃ, તત એક વાર screeni મા ” (ભર્તૃહરિ). સોળે કળાએ પૂર્ણ શ્રીમદ્ રાજચંદ્રની કીર્તાિકૌમુદી વિસ્તારતી–શાંતસુધારસ વર્ષાવતી અમૃતમાધુરી ભરી અમૃત કૃતિઓ (Immortal, nectarlike) એ જ એમની જયવંતી જયંતિઓ છે ! ભવ્યજનેની આત્મકળાને સોળે કળાએ વિકસાવવાને સમર્થ આ પૂર્ણ આત્મચંદ્ર રાજચંદ્ર આ અમૃત કૃતિઓમાં સર્વત્ર આત્માર્થે અમૃતપાન જ બોધ્યું છે અને સતધર્મનું સતત્વ શોધ્યું છે, એ જ આ વિશ્વની વિરલ વિભૂતિનો વિશ્વ પર પરમ ઉપકાર છે. આવા વિશ્વકલ્યાણદશ વિશ્વવત્સલ શ્રીમદ્દનું વિશ્વ સમસ્ત છે અને શ્રીમદ્દ સમસ્ત વિશ્વના છે. કૃતિઓ જે સુકૃતી તણું જ જયંતિ રે,
કીર્તાિ કૌમુદી વિસ્તારતી જયવંતી રે; આત્મકળા સોળે કળા વિકતી રે,
શાંત સુધારસ ધારને વરવંતી રે....જે ધર્મમૂત્તિ સંત જ્ઞાનાવતારે રે. આત્માથે અમૃતપાન જેણે બોધ્યું રે,
સધર્મનું સત્તત્ત્વ જેણે શેઠું રે...જે ધર્મમૂર્તિ–(સ્વરચિત) આ પરમ વિશ્વકલ્યાણદશ ધર્મમૂર્તિ શ્રીમદ રાજચંદ્ર જેવો જ્ઞાનાવતાર પુરુષ સેંકડો-હજારો વર્ષોમાં કઈ વિરલા જ પાકે છે. આવા નિર્મલ ગુણમણિના રોહણાચલ ને મુનિજનના માનસહંત શ્રીમદ જેવા સંતશિરોમણિ મહાત્મા જગમાં જડવા દુર્લભ છે. અને એટલે જ આજે સર્વ સંતસમાજ આ પુણ્યક પુરુષની ગુણગણગાથા ગાય છે અને જયજયકાર પોકારે છે.
જે પુણ્યશ્લેક પુરુષના, પુણ્ય નામની આજ; ગુણગણગાથા ગાય છે, સર્વે સંત સમાજ–(સ્વરચિત).
આમ જે પ્રાતઃસ્મરણીય પુણ્યક પુરુષનું પુણ્ય નામ એમના વિશ્વકલ્યાણકર કામને લઈ શાશ્વત યશનું ધામ બની અમર રહેવા સર્જાયેલું છે, તે શ્રીમદ્ રાજચંદ્ર વિશ્વમાં પરમ ધર્મામૃતની વૃષ્ટિ વર્ષાવનારા–શિવપંથને-મોક્ષમાર્ગને ઉજાળતી શાંતસુધારસમથી દિવ્ય જ્ઞાનચંદ્રિકા રેલાવનારા પરમ અમૃત પુરુષ થઈ ગયા. આવા પુણ્યલેક પુરુષના દેવદુર્લભ દિવ્ય ચરિત્રનું સંકીર્તન કરવાનો મને આ “અપૂર્વ અવસર પ્રાપ્ત થયે તે માટે સ્વધન્યતા ચિંતવી, સર્વ સજજનોને આ “અધ્યાત્મ રાજચંદ્રમાં નિમજજન કરી આ પવિત્ર ચરિત્રામૃતનું રસપાન કરવાનું સપ્રેમ આમંત્રણ કરું છું!
રાજચંદ્ર ગુણ ગાવત, અધ્યાત્મ રાજચંદ્ર;
પદે પદે પોકારતો, જય જય જય રાજચંદ્ર !—(સ્વરચિત) પ, ચોપાટી રોડ, મુંબઈ, ૭
ડૅ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, ૨૦૨૨, ચૈત્ર વદ પંચમી
એમ. બી. બી. એસ. ૧-૪-૬૬