________________
૧૪
છપાયા હતા,–અને આ જીવનના છેલ્લા અઠવાડીઆમાં વાંચીને પૂર્ણ કરેલા આ ગ્રંથના છેલ્લા છ પ્રકરણના શ્રીમદ્દ પ્રત્યે ભક્તિસંસ્કારો એમના હૃદયમાં રમ્યા કરતા હતા,–ત્યાં જ દુર્ભાગ્યે ઓચીંતા હૃદયરોગના હુમલાથી તેમનું અચાનક ૭ મી જાન્યુ. આરી ૧૯૬૬–પોષ સુદ પૂર્ણિમાના દિને અવસાન થયું, અને જેની આવી સભાવપૂર્ણ તીવ્ર ઉત્કંઠા હતી એવા આ ગ્રંથના પ્રકાશનનું દર્શન કરવા તેઓ પામ્યા નહિં, એ જ વિધિની વિચિત્રતા ! ભાવિ !
શ્રી મણિભાઈને આ ગ્રંથપ્રકાશનશ્રેયમાં સંવિભાગ પ્રાપ્ત કરવા હારા એક સન્મિત્ર આત્માથી મુમુક્ષુ ભાઈને પણ સહજ ભાવઊર્મિ થઈ આવી, અને તેમણે પણ આ ગ્રંથની પાંચસો પ્રત પોતાના તરફથી છપાય ને તેને ખર્ચ પિતે ઊઠાવે એવી પરમાર્થ પ્રેમથી અંતરેચ્છા વ્યક્ત કરી, એ અર્થે પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા સમસ્ત ગોઠવણ પણ કરી પિતાની સદૂભાવના દર્શાવી, તે માટે આ પરમાર્થ પ્રેમી ખરેખરા આત્માર્થી ભાઈને પણ પુનઃ પુનઃ ધન્યવાદ ! આમ જે પરમાર્થ પ્રેમ, જે ઉલટ, જે ઉલ્લાસ, જે ઉત્સાહ, જે ઉમંગ, જે ઉછરંગ દાખવતા આ બન્ને આત્માથી પરમાર્થ પ્રેમી મહાનુભાવોએ પરમ પરમાર્થ. પ્રેમમય નિઃસ્વાર્થ સમર્પણભાવનાથી પરમ પ્રભાવક મંડળને આ પ્રકાશનકાર્ય અર્પણ કર્યું, તે માટે આ બન્ને પરમાર્થ પ્રેમીઓ-શ્રી મણિભાઈ અને આ આત્માથી ભાઈ પરમ પ્રશંસાને પાત્ર છે.
અને આ બન્ને મહાનુભાવ મુમુક્ષુઓની જે આવી પરમ ઉદાર સમર્પણભાવનાથી આ ગ્રંથનું પ્રકાશનશ્રેય પરમકૃતપ્રભાવક મંડળને (શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-અગાસ સંચાલિત) પ્રાપ્ત થયું તે પણ સમુચિત જ છે. જે પરમકૃતપ્રભાવક મંડળ સંસ્થાનું શ્રીમદ જેવી વિરલ વિભૂતિના વરદ હસ્તે સંસ્થાપન કરાયુ હોય, તે જ સ સ્થાને પિતાના સંસ્થાપક પરમ પુરુષનું ચરિત્ર સંકીર્તન કરતે એક મહાકાય ગ્રંથ-અને તે પણ શતાબ્દિ જેવા મહાન સંસ્મરણીય પ્રસંગે–પ્રકાશિત કરવાનો પરમ ધન્ય પ્રસ ગ પ્રાપ્ત થાય તેના કરતાં બીજો અપૂર્વ અવસર કર્યો હોઈ શકે ? એટલે શ્રીમદ રાજચંદ્ર સંસ્થાપિત આ પરમશ્રતપ્રભાવક મંડળ સંસ્થાએ અને તેના કાર્ય. વાહક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-અગાસના મહાનુભાવ ટ્રસ્ટીમંડળે જે ઉલટ ઉમંગ અને ઉત્સાહથી આ પ્રકાશનનું શ્રેયકાર્ય કર્યું તે માટે તેમને પુનઃ પુનઃ ધન્યવાદ!
આમ આ શતાબ્દિ જેવા પરમ ધન્ય પ્રસંગે આ શ્રીમદ્ રાજચંદ્રશતાબ્દિસ્મારક ગ્રંથ અધ્યાત્મ રાજચંદ્ર પ્રકાશન પામે છે. શ્રીમદ્ રાજચંદ્રનું પુણ્ય નામ અને પુણ્ય ચરિત્ર તે નિરંતર સ્મરણીય છે, પણ આવા વિશિષ્ટ પ્રસંગે તો વિશેષ કરીને આ પરમ જગદુઉપકારી પરમ પુરુષના યથાશક્તિ યથાભક્તિ યથા વ્યક્તિ ગુણગાન કરી, તેમના જીવન અને કવન પરથી પ્રેરણામૃતનું પાન કરવું અને જગતમાં એમના આ દિવ્ય ચરિત્રામૃતની ને વચનામૃતની પ્રભાવના કરી આવા પરમ સત્ પુરુષનો જયજયકાર ઉદ્ઘેષો એ પ્રત્યેક ગુણાનુરાગીની પરમ પવિત્ર ફરજ થઈ પડે છે. અને આ ચરિત્રાલેખકે પણ યથાશક્તિ યથાભક્તિ તેમ કરવાને આ યકિંચિત્ પ્રયાસ કર્યો છે. બાકી આવા પુણ્યક પરમ લકત્તર પુરુષના આપણે ગુણગાન ગાઈએ કે ન