________________
૧૩
કાકદષ્ટિ સ્વયં નિધ, કૃશતા ગુણદર્શને; હંસદષ્ટિ સ્વયં વંધ, હર્ષતા ગુણદર્શને. ગુણે જે કંઈ “હ્યાં તે સકળ ગણજો સંતજનના, અને દો કે તે સકલ પણ હું પામર તણા; કરી દે દૂર સુગુણ ચરજો હંસ સુમતિ !
અમદષ્ટિ ધારી સુણ જ ભગવાનદાસ વિનતિ–(સ્વરચિત)
આ અધ્યાત્મ રાજચંદ્ર મંથના હજુ ડાક–લગભગ ૪૦ પ્રકરણ આલેખાયા હતા, ત્યારે સદ્. શ્રી મણિભાઈ કલ્યાણજી શેઠને આ ચારિત્રાલેખન હું કરી રહ્યો છું તે અનાયાસે સહજ જાણવામાં આવતાં તે જોવાની જિજ્ઞાસા થઈ. માત્ર નમુનારૂપ બે-ચાર પ્રકરણ જોતાં જ તેમને અત્યંત ભાવઉલાસ પ્રગટયો, અને પછી તે હારી પાસેથી મગાવી જેટલા પ્રકરણ લખાયા હતા તે બધા તેઓ જોઈ ગયા અને જેમ જેમ નવા લખાતા જાય તેમ તેમ તેની શાહી હજુ સુકાઈ ન હોય ત્યાં તો તીવ્ર જિજ્ઞાસાથી મગાવી મગાવીને પૂર્ણરસથી–પરમ આત્મભાલાસથી રોમાંચિત આનંદિત ભાવે તે વાંચતા ગયા. યાવતું એકસો આઠે આઠ પ્રકરણ તેઓ વાંચી ગયા અને આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથના પ્રથમ વાંચક–પ્રથમ શ્રેતા બન્યા. શ્રી મણિભાઈને થોડાક જ-બેચાર પ્રકરણ અવલોકતાં જ એ ભાવઉલ્લાસ પ્રગટયો કે આ ગ્રંથના પ્રકાશનનું શ્રેય પિતાને પ્રાપ્ત થાય એવી સહજ ભાવઊમિ થઈ, અને પોતાની આ પરમ પ્રશસ્ત ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા તેઓએ—મને પૂછવાની પણ રાહ જોયા વિના–એક હજાર પ્રતનો બધો ખર્ચ પોતે ઊઠાવશે એવી ઉદાર ભાવનાથી પરમશ્રતપ્રભાવક મંડળ દ્વારા આ પ્રકાશન કરવાનો નિર્ણય લેવરાવ્યો, અને તે લેવાયા પછી મને તેની જાણ કરી. કહેવા કરતાં કરી દેખાડવાના સિદ્ધાંતમાં માનનારા શ્રી મણિભાઈની આવી આ સદુભાવપૂર્ણ પરમાર્થ પ્રેમમય ઈછાજન્ય આ નિર્ણયને તેમની ઈચ્છાને માન આપી મેં સાભાર સહર્ષ માન્ય કર્યો. શ્રી મણિભાઈની આ સભાવપૂર્ણ પરમ પ્રશસ્ત ભાવના પરમ ધન્યવાદને પાત્ર છે! એક સાચા આત્માથી–સાચા મુમુક્ષુ ભક્તિમાન શ્રી મણિ ભાઈએ શ્રીમદ્દ જેવા પરમ પુરુષનું આ ચરિત્રસંકીર્તન પુરુષ પ્રત્યેની પરમ ભક્તિથી–પરમ પ્રેમર થી હારી પાસેથી હસ્તપ્રત મંગાવી મંગાવીને આદિથી અંત પર્યત વાંચતાં અપૂર્વ આનંદભાલ્લાસ પામી - પરમ પ્રકુલિત ચિત્તપ્રસન્નતા અનુભવી અપૂર્વ આત્મલાભ ઊઠાવે, એટલું જ નહિં પણ પોતાને અપૂર્વ પ્રતીત થયેલ આ ચરિત્રઅંકીત્તનના પ્રકાશનને શ્રેયલાભ પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા પોતાને મળે એ સમસ્ત પ્રબંધ કરી શ્રીમદ્ પુરુષ પ્રત્યે ને તેમના પવિત્ર ચરિત્ર પ્રત્યે પોતાનો ગુણપ્રદઅતિશય દાખવ્યું, તે માટે તેમને પુનઃ પુનઃ ધન્યવાદ ! શ્રીમદ રાજચંદ્રના અધ્યાત્મચરિત્રનું સંકીર્નાન કરતા આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથનું જેમ બને તેમ શીધ્રત્વરિત પ્રકાશન થાય તે જોવાની સદ્. મણિભાઈની પરમ પ્રશસ્ત પૂર્ણ અંતરછા હતી. પણ ભાવિના ગર્ભમાં જૂદું જ નિર્માણ હતું. આ ગ્રંથના હજુ -૧૦ ફર્મા જ