SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમની આત્મદૃષ્ટિ અને થારિત્રસૃષ્ટિ ૧૫૩ તત્ત્વદ્રષ્ટિપૂર્ણાંક વિષયત્યાગભાવના ચિંતવી કાય-રાગાદિત્યાગભાવના ભાવે છે. ત્વરાથી નિરભિમાની થવું. અહુંકાર કરશે નહીં. મ્હાર લડે છે તે કરતાં 'અભ્યંતર મહારાજાને હરાવા. ક્ષણે ક્ષણે મેહનો સંગ મૂકે. રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યાન. ખાહ્ય કુટુંબ ઉપર રાગ કરશે! નહી. અભ્યંતર કુટુંબ ઉપર રાગ કરશેા નહી. કુટુંબપરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશેા નહીં. કેઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશે! નહીં. કેાઈ તારા ઉપર દ્વેષબુદ્ધિ કરે, પણ તું તેમ કરીશ નહિ. કોઈ ઉપર જન્મ પંત દ્વેષબુદ્ધિ રાખશેા નહીં, કોઇને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તેા પશ્ચાત્તાપ ઘણા કરો, અને ક્ષમાપના માગો, પછીથી તેમ કરશો નહીં.' --આ સૂત્રેામાં રાગ-દ્વેષમેાહ-માનાદિ આંતર્શત્રુએ સાથે શૂરવીરતાથી લડાઇમાં ઉતરેલા—વીતરાગતા ભણી દોટ મૂકી રહેલા એક મહા વીર યેદ્ધાનું દર્શન થાય છે. અને આંતયુદ્ધમાં આંતર્ શત્રુઓને હણવા ઉદ્યત થયેલા છતાં આ ચોદ્ધો સમભાવ ભાવે છે—સમદ્રષ્ટિમાં ગજસુકુમારનું ચરિત્ર વિચારવું. સર્વાંને સમદ્રષ્ટિએ જુએ, વિષમપણું મૂકવું. ચેતનરહિત કાષ્ઠ છેદતાં કાષ્ઠ દુ:ખ માનતું નથી, તેમ તમે પણ સમદ્રષ્ટિ રાખો. કોઇએ કૃતઘ્ધતા કરી હેાય તેને પણ સમષ્ટિએ જુએ. સમ ક્રમ ખમ એ અનુભવા. શરીર પર મમત્વ રાખશે! નહી', મમત્વ એ જ બંધ. આત્માથી કક્રિક અન્ય છે, તે! મમત્વરૂપ પિર ગ્રહના ત્યાગ કરો.’આ મેધવચનના (અં.-૫) સૂત્રામાં સમભાવભાવી મહાત્મા શ્રીમદ્દની સમત્વ-નિમત્વ ભાવના એર ઝળહળે છે; અને તે વચનામૃતાંતગ ત સમત્વને આદર્શ સૂચવતા આ સૂત્રેાથી એર પુષ્ટ બને છે ‘ગજસુકુમારની ક્ષમા અને રાજેમતી રહેનેસીને એધે છે તે બેધ મને પ્રાપ્ત થાએ. મને કેાઈ ગજસુકુમાર જેવે વખત આવે. કોઇ રાજેમની જેવા વખત આવેા. જડભરત અને જનકવિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ.'—આ સૂત્રોમાં શ્રીમદ્ રાજચંદ્રનું તત્ત્વકળાથી ગૂંથેલું જીવનસૂત્ર દૃશ્ય થાય છે, અને એમણે સ્વહસ્તે આલેખેલ આ શબ્દચિત્રમાં એમના ચારિત્રમય ચરિત્રનું સુંદર ચિત્ર આપણી દૃષ્ટિસન્મુખ ખડું થાય છે. આમ નિર'તર આત્મા ભણી દૃષ્ટિ ઠેરવી શ્રીમદ્ પેાતાનું ચારિત્રનિર્માણ કેવી રીતે કરી રહ્યા હતા તેની ઝાંખી આ અગત એધરૂપ બાધવચનના આ સવિસ્તર અવતારેલ સૂત્રેામાં થાય છે. આ આત્મદ્રષ્ટિ એ જ શ્રીમદ્નના અધ્યાત્મજીવનના પાચે છે અને તેના ઉપર જ શ્રીમહૂના ભવ્ય અધ્યાત્મ-જીવનપ્રાસાદનું નિર્માણ થયેલું છે; આત્મા એ જ શ્રીના જીવનના ધ્રુવતારક છે, અને તેને અનુલક્ષીને જ શ્રીમદ્નની સમસ્ત પ્રવૃત્તિ છે; સમસ્ત દેડા કલ્પના પરિત્યજી એક શુદ્ધ આત્માની સાધનામાં જ શ્રીમનું આત્મસમર્પણ છે. · અન તવાર દેહને અર્થે આત્મા ગાન્યા છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર પામવાયેાગ્ય જાણી સવ દેહા ની કલ્પના છેડી ઇ એક માત્ર આત્મા માં જ તેના ઉપયાગ કરવા એવા મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઇએ’એ એમના જ જીવનસૂત્રને ચરિતાર્થ કરવામાં જ શ્રીમના આત્મચારિત્રમય ચરિત્રનું મૂળ સૂત્ર છે. 24-20
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy