________________
૧૫૧
અધ્યાત્મ રાજથક
ઉપર લક્ષ રાખેા છે. તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ દે તેા હિત થાય. ધ્યાનદશા ઉપર લક્ષ રાખેા છે તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ આપશે. તે ઉપશમભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દૃષ્ટિએ જોશે. એક ચિત્તથી અનુભવ થશે તે તમને એ ઈચ્છા અંદરથી અમર થશે, એ અનુભવસિદ્ધ વચન છે. અભ્યતર યા ચિંતવવી. બાહ્ય કરણી કરતાં અભ્યંતર કરણી પર વધારે લક્ષ આપવું. અન્યને ઉપદેશ આપવાના લક્ષ છે, તે કરતાં નિજધમ માં વધારે લક્ષ કરવા. સંકટ આવ્યે પણ ધ ચૂકશે નહી'. વ્યાવહારિક કામથી જે વખત મુક્ત થાએ તે વખતે એકાંતમાં જઈ આત્મદશા વિચારજો. આત્મદશા નિત્ય અચળ છે, તેના સંશય લાવશે નહીં. પરભાવથી વિરક્ત થા. સ્વ અને પરના નાથ થાઓ. આર્ત્ત-રૌદ્રને ત્વરાથી તો. ધમ ધ્યાનના ઉપયેાગમાં ચાલવું: ધ્યાન જેમ બને તેમ ત્વરાથી કરજે, કાયાત્સગ અને તે। અહારાત્રી કરવા. (નીકર) એક કલાક કરવા ચૂકવું નહી. ધ્યાન એક ચિત્તથી રાગદ્વેષ મૂકીને કરવું. ધ્યાન કર્યો પછી ગમે તે પ્રકારના ભય ઉત્પન્ન થાય તેા પણ ખીવું નહી. અભય આત્મસ્વરૂપ વિચારવું. અમરદશા જાણી ચળવિચળ ન થવું, ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી ટાઢ, તાપ, છેદન, ભેદન, ઇત્યાદિક ઇ. દેહના મમત્વનેા વિચાર લાવશે નહીં.... ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય, તિય ખેંચના પરિસહ પડે તે। આત્મા અવિનાશી છે એવા એક ઉપયેાગથી વિચાર લાવશેા, તેા તમેને ભય થશે નહીં અને ત્વરાથી કખ ધથી છૂટશેા. આત્મદશા અવશ્ય નિહાળશે. અનંત જ્ઞાન, અનંત દન, ઇત્યાદિક ઇ. ઋદ્ધિ પામશેા.’— આ તત્ત્વગ’ભીર સૂત્રેા જાણે કાઇ પરમ જ્ઞાન-ધ્યાનરુચિ અંતરાત્મા જીવનસૂત્રો ઘડી આત્માના ઊંડાણમાં ઉતરી રહ્યો હાય અને આત્મદૃષ્ટિ અનુસાર આત્મચારિત્રસૃષ્ટિ સર્જી રહ્યો હેાય એવા સ્પષ્ટભાસ આપે છે.
C
આમ પરભાવને પરિત્યાગ કરી આત્મામાં નિમગ્ન થવા ઈચ્છતા આ અંતરાત્મા આત્માના વિષય-કષાયાદિ વિકારો અને રાગાદિ દોષાને દૂર કરવા કેવા અપ્રમત્ત જાગ્રત છે અને કેવી ભાવના ભાવે છે તે હવે જોઇએ. · આત્મશ્લાઘા ચિંતવવી નહીં. કાઈ નિંદા કરે તે ઉપર દ્વેષબુદ્ધિ રાખવી નહીં. કેાઇના અવગુણુ તરફ ધ્યાન આપશે નહી, પણ પેાતાના અવગુણુ હાય તે તે ઉપર વધારે દૃષ્ટિ રાખી ગુણુસ્થ થવુ.' આમ આત્મસ્તુતિ ને પનિંદાથી પર સજ્જનનશરાણિ શ્રીમદ્ન નિજ દોષ દેખી ટાળીને ગુણ પામવાના અખંડ નિર્ધાર દર્શાવી, ઇંદ્રિયનિગ્રહની ભાવના કરે છે—આહાર કરવા નહી. આહાર કરવા તે પુદ્ગલના સમૂહને એકરૂપ માની કરવા, પણ લુબ્ધ થવું નહીં. રસાદિક આહાર તજવા. આહાર અનુક્રમે ઓછા કરવા (લેવા). સ્ત્રીનું રૂપ નીરખવું નહી'. સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તેા રાગયુક્ત થવું નહી, પણ અનિત્યભાવ વિચારવે. ક્ષણિક સુખ ઉપર લુબ્ધતા કરવી નહીં. ગીત અને ગાયન વિલાપ તુલ્ય જાણેા. સુગ ંધી પુદ્ગલ સૂંઘવાં નહીં; સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તે રાગ કરવા નહી. દુગંધ ઉપર દ્વેષ કરવા નહી. પુદૂગલની હાનિવૃદ્ધિ ઉપર ખેદ્યખિન્ન કે રાજી થવું નહીં.’–આમ આ પંચઈદ્રિયવિષયે પૌલિક છે—આત્માથી પર છે માટે અત્યંત હેય છે. પેવી