________________
પ્રકરણ ચોવીસમું શ્રીમન્નુ શુક્લ અંતઃકરણ અને અંતરંગ ત્યાગ-વૈરાગ્ય શુકલ અંતઃકરણ વિના મારા કથનને કણ દાદ આપશે?’–શ્રીમદ રાજચંદ્ર (વરાનામૃત)
આ આત્મદષ્ટિપૂર્વક આત્મચારિત્રસૃષ્ટિ એ જ શ્રીમદૂનું જીવનસૂત્ર હાઈ એમના અધ્યાત્મપ્રધાન આત્મજીવનની રહસ્યચાવી (Master-key) છે. અધ્યાત્મનિમગ્ન શ્રીમદના જીવનમાં એક પરમોત્તમ કોટિની આત્મપરિણતિ અને આત્મવૃત્તિની ઉત્તરોત્તર પ્રવર્ધમાન ધારા વહી રહી છે તેના મૂલમાં આ જ વસ્તુ છે. કથનમાત્ર કે શબ્દમાત્ર અધ્યાત્મ નહિં, પણ “નિજ સ્વરૂપ જે કિરિયા સાથે તેહ અધ્યાત્મ કહિયે રે’ને ‘ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે તો તેહશું રઢ મડે રે– એ આનંદઘનજીની અમર પંક્તિઓમાં સંગીત કરેલા ખરેખરા પરમાર્થ સત્ અંતરંગ આત્મપરિણામી ભાવઅધ્યાત્મમાં નિમગ્ન શ્રીમદને અંતરંગ વૈરાગ્યરંગ આત્માના પ્રદેશ પ્રદેશે અસ્થિમજજા લાગી ગયા હતા, તેનું અંતર્ગત કારણ આ જ છે. લઘુવયથી લાગેલા દઢ સંગરંગથી શ્રીમદની સર્વ સંગપરિત્યાગની અંતરંગ ભાવના ઉત્તરોત્તર બળવત્તર બની–વચ્ચે અલ્પાયુને અંતરાય ન આવ્યો હોત તો-ફળવતી બનવાની અણી પર હતી તેનું બીજ આ જ છે. આત્માદિ પ્રતિપાદનારા જિનાગમ-ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, ભગવતી, સૂત્રકતાંગ આદિ પ્રત્યે અને પ્રવચનસાર–પંચાસ્તિકાય-સમયસાર આદિ મહાન શાસ્ત્રો પ્રત્યે, તેમજ તે તે શાસ્ત્ર પ્રણેતાઓ પ્રત્યે અને ચિદાનંદજી-આનંદઘનજી–દેવચંદ્રજીહરિભદ્રજી-યશોવિજયજી-હેમચંદ્રજી-સમંતભદ્રજી-સિદ્ધસેનજી-કબીરજી–નરસિંહમહેતાજી-સુંદરદાસજી-અખાજી આદિ આધ્યાત્મિક ગીપુરુષોના વચને પ્રત્યે શ્રીમદને નૈસર્ગિક પરમપ્રેમઉલ્લાસ પ્રગટ્યો હતો તે આ તેમની સહજ સ્વભાવભૂત અધ્યાત્મવૃત્તિને લીધે. તેવું તેવાને ખેંચે Like attracts like તે ન્યાયે તેમની અભિરુચિ આવા આધ્યાત્મિક પુરુષના વચને પ્રત્યે પ્રવર્તી હતી. જીવતત્વ સંબંધી વિચાર, વાજીવવિભક્તિ (ઉત્તરાધ્યયનસૂત્ર અનુસાર) એ એમની લઘુવયની (૧ભા વર્ષની) કૃતિઓમાં પણ એમની આત્મરુચિ જણાઈ આવે છે. ચિદાનંદજી જેવા યોગીપુરુષના સ્વરેાદય જ્ઞાનનું વિવેચન કરવાની વૃત્તિ તેમને ઉદ્દભવી તે તેમને તેવા પુરુષ પ્રત્યેને પરમાદર દાખવે છે. આ વિવેચનગ્રંથને માત્ર પ્રારંભ જ તેમણે કર્યો છે, છતાં તેની ભૂમિકામાં પણ તેમની એક પ્રૌઢ આત્મજ્ઞાની તત્વને છાજે એવી આ અધ્યાત્મપ્રધાન આત્મદષ્ટિ હેજે જણાઈ આવે છેઃ “જગત જ્યારે અનાદિ માટે છે, ત્યારે પછી તેની વિચિત્રતા ભણીમાં વિસ્મયતા શું કરીએ ? આજ કદાપિ જડવાદ માટે સંશોધન ચાલી રહી આત્મવાદને ઉડાવી દેવાનું પ્રયત્ન છે–તે એવા પણ અનંત કાળ આવ્યા છે કે આત્મવાદનું પ્રાધાન્યપણું હતું, તેમ જડવાદ માટે પણ હતું. તત્ત્વજ્ઞાનીઓ એ