SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર (૭) આજ રાજ સાંજે શ્રીમને વવાણીએ પધારવાનું હતું. વવાણી તરફથી ગાડી આવી જવાના વખત સાંજના છના હતા. તે જ ગાડી પાછી સાત વાગ્યે વવાણીઆ તરફ વળતી. પ્રથમ સ્ટેશન પર શ્રીમદ્ સાથે હું એકલા ગયા હતા. ગાડી આજે મેાડી હતી. ઘણી જ્ઞાનવાર્તાના લાભ મળ્યેા. ભાઇએ એક પછી એક આવવા માંડયા. આઠે થયા. ગાડી ન આવી. ઉનાળા અને અજવાળીચું હતું. સ્ટેશન પાસે ચાકમાં બધું મડળ (ઝાઝું થતાં) બેઠું. નવ થયા. ગાડી આવી. હવે હમણાં ગાડી આવશે અને શ્રીમદ્ વવાણી તરફ પધારશે એમ થતું હતું. જ્ઞાનવાર્તાના રસ જામ્યા હતા. શ્રીમદ્ સમીપેથી ઊઠવાનું મન થતું ન હતું. હું સાંભળી શકું' તે પ્રકારે શ્રીમદ્ વાણી પ્રકાશતા હતા. નવ થવા આવ્યા હતા. ગાડી આવવાની તૈયારીમાં હતી. ત્યાં મને કોઈ મેલાવવા આવ્યું. મારે જવું. પડયુ'! મન શ્રીમદ્ તરફ હતું, તન ઘર તરફ જતું હતું. દુઃખ બહુ થયું. હું દરવાજે પહેાંચ્યા હઈશ એટલામાં શ્રીમદ્, ગાડી આવી ગઈ હતી છતાં, અધેા સંગાથ લઇ શહેર ભણી પાછા પધાર્યાં! હું તેા ઘેર ગયા હતા. શ્રીમદ્દ પાછા પધાર્યાની ખબર મને ખીજે દિવસે સવારે પડી. આ પણ અંતર્યામીપણું, જ્ઞાનીના નિષ્કારણ કરુણાશીલ સ્વભાવ. ૧૪૪ (૮) આ વરસના અષાઢમાં શ્રીમદ્ વવાણીએથી મારખી પધાર્યા છે. એ અરસામાં એક દિવસ અપેારે ઘેરથી મારા કામ પ્રસંગે હું ટપાલ સેિ ગયેા. ત્યાં પાસ્ટ માસ્તર મારા પિતાશ્રીએ શ્રીમનું એક રજીસ્ટર મુકપાસ્ટ તેમને તરત પહેાંચે તેટલા માટે મને આપ્યું. હું તે લઇ શ્રીમદ્ પાસે જઉં છું, ત્યાં મેાટા રસ્તા ઉપર ડેલી મ્હાર ટોપી પહેરેલ શ્રીમદ્ મારી રાહ જોઈ ઉભા છે, જતાં જ શ્રીમદ્દે કહ્યું તમે અમારૂ પુસ્તક લઈને આવા છે તેની રાહ જોતા ઉભા છીએ. આ પણુ અંતર્યામીપણું. આમ ઋનુભૂતિ મનસુખભાઈ એ ઋજુ નિખાલસભાવે શ્રીમદ્નના અંતર્યામીપણા અંગેના આ તાદૃશ્ય વર્ણવેલા સ્વાનુભવપ્રસંગેા પરથી સુજ્ઞ વાંચકા સ્વયં જોઇ શકશે કે શ્રીમમાં મનેાગત ભાવ જાણી શકે એવા કેાઇ અતીદ્રિય જ્ઞાનવિશેષ હતા. શ્રીમદ્નના પ્રથમ દશનાર્થે જતાં રસ્તામાં મનસુખભાઈ જે વિકલ્પતરંગામાં ઝોલા ખાતા હતા, તે વિકલ્પ તર’ગે। અન્યત્ર બિરાજમાન અંતર્યામી શ્રીમદ્નના અંતમાં ઝીલાયા હતા! એ ખરેખર! અદ્ભુત આશ્ચર્ય કારક ઘટના હતી! પતિ-પત્ની વચ્ચેના વાર્તાલાપના ‘વાયરલેસ’ પણ તેમના મન:-જ્ઞાનકેન્દ્રમાં ઝીલાયા હતા એ પણ અદ્ભુત ઘટના હતી ! તેમજ-પૂછવા ધારેલ પ્રશ્નો પૂછવા જ ન પડે એમ વગર પૂછયે સમાધાન કરી ઘે એવી મનેાગત ભાવ જાણુવારૂપ શ્રીમની અદ્ભુત અતીન્દ્રિય જ્ઞાનશક્તિ મનસુખભાઇને વારંવાર દર્શીન દેતી ! તિથિ સંબંધી વિકલ્પતરંગ મનસુખભાઇના મનમાં ઊચો અને શમાઇ ગયા, તે પણ શ્રીમના સ્વચ્છ જ્ઞાનદČણુમાં પ્રતિષ્ઠિ'ષિત થયા ! શ્રીમથી સથા અપરિચિત એક સ્નેહીએ મેારખી મનસુખભાઈ પર મેારીથી ૨૫ માઈલ દૂર આવેલા વાંકાનેરથી લખેલા પત્રની વિગતવાર હકીકત શ્રીમના અત ંદ્રિય જ્ઞાનમાં પ્રતિભાસિત થઈ! શ્રીમદ્દની વચનપ્રસાદી પ્રાપ્ત થાય તે કેવું સારૂં એવા મનસુખભાઈના મનના મનારથ મનેાગત ભાવ જાણનારા મનેાવિજ્ઞાની
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy