SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદુના અંતર્યામીપણાના અનુભૂત અદ્દભુત પ્રસંગે ૧૫ શ્રીમદ્દની વચનામૃતપ્રસાદીથી શીધ્ર પૂર્ણ કરા! તેમજ-વાંકાનેર સ્ટેશને શ્રીમદ્ તરફથી મનસુખભાઈને પૂર્વાપર વિરોધ અવેલેકવા ગીતાના પુસ્તકનું પ્રાપ્ત થવું, મનસુખભાઈના મને ગત ભાવ જાણી શ્રીમદ્દનું નિષ્કારણ કરુણથી મેરબી રોકાઈ જવું, પુસ્તક માટે શ્રીમદ્દનું રાહ જોતા ઊભા રહેવું–એ આદિ અદ્ભુત ઘટનાઓ અતીંદ્રિયજ્ઞાની શ્રીમદ્દનું કેવું અદ્ભુત અંતર્યામીપણું પ્રકાશે છે! ૨. મણિભાઈના અનુભવ પ્રસંગે , , - શ્રી મનસુખભાઈની શ્રીમદ્દન અંતર્યામીપણા અંગેની આ અનુભવકથા ઉપરાંત એક બીજી અનુભવકથા બોટાદના મણિલાલ રાયચંદ ગાંધીની સ્મૃતિનેંધમાં પ્રાપ્ત થાય છે. આ મણિલાલ રાયચંદ ગાંધીએ બે વાર દીક્ષા લેવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ થયે. એક વખત સૌભાગ્યભાઈ બોટાદ આવ્યા ને સગાસંબંધીઓની સૂચનાથી તેમણે મણિલાલને યુક્તિથી સમજાવ્યા અને શ્રીમદને પત્ર લખવા જણાવ્યું. એટલે મણિલાલે પત્ર લખ્યો તેના ઉત્તરમાં શ્રીમદે ૧૯૪૮ના ભાદ્ર. સુદ ૧ના પત્રમાં (અં. ૪૧) લખ્યું—“જીવને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ; અને તે સાથે શમ, દમ, વિવેકાદિ સાધને અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જોગ પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે, એમ જાણીએ છીએ. ઈ. સતશિક્ષા લખી મોકલી. એટલે દીક્ષા સંબંધી વૃત્તિ ક્ષોભ પામવાનું લખા મણિલાલે શ્રીમના સમાગમની ઈચ્છા લખી જણાવી. તેના ઉત્તરમાં (અં. ૪૦૭) શ્રીમદે કેટલીક સશિક્ષા લખી જણાવ્યું—“અમારૂં તે પ્રદેશની લગભગથી કઈવાર જવા આવવાનું હોય ત્યારે વખતે સમાગમગ થવા જોગ હશે તે થઈ શકશે.” આમ બે-ત્રણ વર્ષ વીતી ગયા. તે પછીની હકીકતના સાદા સામાન્ય લાગતા પ્રસંગે શ્રીમદ્દના મને ગત ભાવ જાણવારૂપ અસામાન્ય અંતર્યામીપણું પર અદ્ભુત પ્રકાશ નાંખે છે. એટલે આગળ પાછળના સંબંધને–પૂર્વ પશ્ચાત્ ભૂમિકાને (Background) પૂરેપૂરો ખ્યાલ આવે એ અર્થે તે તાદશ્ય વર્ણનની કહાણી મણિલાલ ગાંધીના પિતાના જ શબ્દોમાં રજૂ કરશું. તે પછી સં. ૧૯૫૧ની સાલમાં સાહેબજી હડમતાલે પધાર્યા. સાથે શ્રી સભાગભાઈ, ગૌશાળીઆ ડુંગરશીભાઈ તથા શ્રી લીંબડીવાળા મુમુક્ષુભાઈઓ હતા. મને શ્રી બોટાદમાં ત્રીજે દિવસે ખબર મળ્યા, પરંતુ તે દિવસે મારા વડીલ શ્રી ભાવનગર ગયેલા હોવાથી ભાવનગર પત્ર લખી શ્રી હડમતાલે જવાની રજા મગાવી. જવાબમાં મારા વડીલે લખ્યું કે અમે શ્રી બોટાદ આવ્યા પછી તેને શ્રી હડમતાલે મોકલશું. એ પત્ર વાંચી ઘરની મેડી ઉપર બેસી બહુ દીલગીર થઈ ગયે અને આંખમાંથી આંસુ નિકળી ગયા. તે વખતે માત્ર હું એકલે હતે. પછી હિંમત રાખી બીજે પત્ર રજા મંગાવવા માટે લખે. જવાબમાં શ્રી હડમતાલે જવાની હા, બેચાર સંબંધીઓ સાથે લઈ જવાની રજા આવી. એટલે ઘણી ખુશી સાથે રાતની મીકસ ગાડીમાં જવા તૈયાર થયો. તૈયાર થતી વખતે દઢ પ્રતિજ્ઞાથી નિશ્ચય કર્યો હતો કે મારા વગર બેલ્વે સાહેબ બજી મારા મનને ખુલાસે–સમાધાન કરે તે જ અનાજ ખપે. ફક્ત પાણી મોકળું રાખ્યું હતું. અ-૧૯
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy