________________
પ્રકરણ બાવીશમુ શ્રીમા અંતર્યામીપણાના અનુભૂત અદ્ભુત પ્રસંગા
શ્રી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે’— શ્રી આનંદઘનજી
શ્રીમમાં લઘુવયથી કાઈ અતી દ્રિય જ્ઞાનશક્તિ હતી તેના કેટલાક પ્રસંગોનું આગલા પ્રકરણમાં દિગ્દર્શન કર્યું. તે સૂચવે છે કે શ્રીમદ્ કેાઈ અદ્ભુત વિશિષ્ટ અતીદ્રિય જ્ઞાની હતા અને તે કઈ કાટિના ? તે હાલ આપણે ચાક્કસપણે કહી શકતા નથી, કારણ કે તેવા વિશિષ્ટ જ્ઞાની જ તેમની આત્મદશાનું યથાર્થ મૂલ્યાંકન-માપ કરી શકે. શ્રીમની આ અતીદ્રિય જ્ઞાનશક્તિ અંગેની એક એર વિશિષ્ટતા એ છે કે શ્રીમદ્જી સામા માણસના મનઃપરિણામ-અતપિરણામ જાણી શકતા, સામા માણસના હૃદયમાં હાય તે પ્રશ્નોના વગર પૂછ્યું ઉત્તર-સમાધાન આપી દેતા,-એ તે ઘણા પરિચયીએએ—સત્સ’ગપ્રસંગીએએ અનેકવાર અનુભવ્યું છે. આ ચરિત્રાલેખકના પૂ. સદ્. પિતાશ્રીએ (મનઃસુખભાઈ કરચંદ મહેતાએ) પણ તેવા પેાતાના જાતિઅનુભવના કેટલાક (તેર) પ્રસંગેા ‘ જીવનરેખા' માં ‘ અંતર્યામીપણું' શીર્ણાંક પ્રકરણમાં તાદૃશ્ય આલેખ્યા છે. તેમાંથી ઘેાડાક પ્રસ ંગાના સાર ભાગ અત્ર અવતારશું. તેમજ મેાટાદના શ્રી મણિલાલ ગાંધીએ પેાતે જાતે અનુભવેલા પ્રસંગની નોંધ લખી છે, તેના પણ સારસક્ષેપ અત્ર આપશું. આ બન્ને મહાનુભાવા શ્રીમદ્નના સત્સંગપ્રસ`ગમાં કઇક મેાડા આવ્યા હૈાવાથી તેમણે નાંધેલા શ્રીમદ્નના અંતર્યામીપણાના આ અનુભૂત પ્રસંગેા જો કે આગળ ઉપર અન્યા છે તે પણ પ્રસ્તુત વસ્તુને લગતા હેાઇ એના અનુસ ́ધાનમાં જ અત્ર આ પ્રકરણમાં આપ્યા છે. તેમાં પ્રથમ શ્રી મનઃસુખભાઈના અનુભૂત પ્રસંગો રજૂ કરશુ.
૧. મનસુખભાઇના અનુભવ પ્રસંગે
શ્રી મનસુખભાઇને શ્રીમદ્ સમીપે વવાણીએ જવા તીવ્ર ઉત્કંઠા હતી. તેવામાં ૧૯૫૫ના ચૈત્ર વદ ૬ ના દિને શ્રીમદ્ પેાતે જ મેારખી પધાર્યાં. તેના ખબર મળતાં મનસુખભાઇને દેશનાથે શ્રીમદ્ સમીપે જતાં રસ્તામાં જે વિકલ્પે ઉત્પન્ન થયા અને પછી જે પ્રસંગેા બન્યા, તેનું પૂર્વાપર સંબંધ સહિત તાદૃશ્ય રોચક શબ્દચિત્ર મનઃસુખભાઈએ આલેખ્યું છે તે તેમના જ શબ્દોમાં આ રહ્યું —
[૧] જતાં રસ્તામાં વિકલ્પ થયા કરતા હતા કે મને મળશે કે નહિ ? મારી સાથે એલશે કે નહિ' ? મને આદરભાવ આપશે કે નહિ? કાનની બહેરાશ આ સાલથી જ આવી છે, તેઓશ્રીનું ખેલવું હું સાંભળી શકીશ કે નહિં ? ત્યાં તે કોઈ શ્રીમ'ત, ધીમંત, પ્રતિષ્ઠિત, અધિકારી, વકીલ, વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ વગેરેના સમુદાય મળ્યે હુશે; હું સ કાચ