________________
૧૪૦
અધ્યાત્મ રાજચંદ્ર પછી રાત્રે સાત વાગ્યાના સુમારે કવિરાજ ઘેર દેવ આવ્યા. કવિરાજે પૂછયુંટોકરશી મહેતાને કેમ છે? દેવચંદભાઈ એ કહ્યું- માંદગી વધતી જાય છે ને શક્તિ ઘટી ગઈ છે. કવિરાજે કહ્યું – તમે બધા વધારે અળગા ખસી જાઓ. એટલે અમે બધા દીવાનખાનાની ભીંત સુધી હઠીને ઊભા. કવિરાજ ઢળણી પાસે બેઠા, ને કાંઈક હાથના, આંખના અને હોઠના ઈશારા કરતા હતા. પાંચેક મિનીટમાં ટેકરશીભાઈ શુદ્ધિમાં આવ્યા. ટોકરશીભાઈએ વિનયપૂર્વક પૂછયું- કવિરાજ, તમે ક્યારે પધાર્યા છે ? કવિરાજે કહ્યું – પાંચેક મિનીટ થઈ, તમે કેમ છે ? ટોકરશીભાઈએ કહ્યું- ઠીક છે, હવે ગાંઠની પણ પીડા નથી. ત્યારપછી ડીવાર રહી ભાઈ કરશી કેટલાક સંસ્કૃત કલેક બેલ્યા. કવિરાજે પૂછયું- એ તમે કયાં સાંભળ્યા છે? ટેકશીભાઈએ કહ્યુંદશેક વર્ષ થયા ત્યારે આપ, હું અને દાકતર શ્રી (ડૉ. પ્રાણજીવનદાસ જ) ઈડરના જંગલમાં ગયેલ ત્યારે એ કે આપ બોલ્યા હતા. એ બહુ સારા છે, લખી રાખવા જેવા છે. તે પછી થોડીવારે કવિરાજે પૂછયું- હવે તમને કેમ છે? ટેકરશીભાઈએ કહ્યું- “આનંદ છે. તે પછી થોડીવાર રહી કવિરાજે પૂછ્યું- હવે તમને કેમ છે? ટેકરશીભાઈએ કહ્યું- “આનંદ આનંદ છે. આવી સ્થિતિ મેં કઈ વખત અનુભવી નથી. આનંદ આનંદ છે. એટલામાં જ કવિરાજે એક જ વખત ટોકરશી મહેતાની નાભિ ઉપરથી પિતાનો હાથ તેઓના માથા સુધી અદ્ધર ફેરવ્ય ને દૂર બેઠા. કવિરાજે અમને (દેવચંદભાઈને) કહ્યું- ટોકરશી મહેતાને દેહ છૂટી ગયે, પણ તમે લગભગ પોણે કલાક કઈ તેઓની નજીક જાશે નહીં. આ વખત રાતના પણ આઠ વાગ્યા સુમાર હતો. પછી કવિરાજ સ્મશાને ચાલ્યા હતા.
આમ દેવચંદભાઈ પાસેથી જાણેલી હકીકત નેંધી પદમશીભાઈ લખે છે- હું તરત શેઠ રેવાશંકર જગજીવનની કુ. ની પેઢી ઉપર ગયે. ત્યાં પૂજ્યશ્રીના દર્શન કરી તરત તેઓશ્રીને સવાલ કર્યો કે ટોકરશીભાઈના સંબંધમાં આપે કેઈક અજાયબીભરેલું કરેલું છે તે મને સમજાવશે ? પૂજ્યશ્રીએ કહ્યું – હા, એમ બની શકે છે. પ્રાણવાયુ અપાનવાયુના સંબંધથી રહેલ છે. દરેક વખતે શ્વાસને અપાનવાયુ શરીરની અંદર ખેંચે છે તે શ્વાસ કહેવાય છે ને પ્રાણવાયુ શ્વાસને અંદરથી બહાર ખેંચે છે તેને ઉચ્છવાસ કહેવાય છે. પ્રાણ અને અપાનની સંધિ છે. એ બંને વાયુનો સંબંધ જ્યારે છૂટે પડે છે ત્યારે પ્રાણ છૂટી ગયા એમ કહેવાય છે. તે વખતે જીવને જેવી લેશ્યા હોય તેવી ગતિ થાય છે, ને શક્તિબળે જીની લેશ્યા ફેરવી શકાય છે. વધારે સમજવાની તમારામાં શક્તિ નથી. અનુભવથી સમજાય તેમ છે.