________________
અવધાનાદિ બાહ્ય પ્રવૃત્તિને તિલાંજલિ
૧૩૫ એ આ અસકલપનારૂપ હાઈ પરમાર્થથી અબોધ સ્વરૂપ વા કુબોધસ્વરૂપ જ હોય છે. આમ જો કે ઈનામાં તેવું તેવું યોગબળ હોય છે તો પ્રાયે તેની સાથે સાથે વાસનાઅહંકાર, મમકાર, માન, પૂજા, લૌકિક પ્રતિષ્ઠાદિની વિષ સમાન કામના-પણ તેવી જ તરતમ પ્રકારની હોય છે; જે મનવચન-કાયાની ક્ષચોપશમશક્તિ તેવી પ્રબળ હોય છે, તો વાસના પણ તેવી તરતમતાવાળી પ્રબળ હોય છે. જેમકે-કેઈનામાં વચનગ પ્રબળ છે, તો તે કવચિત્ તેના અહંકારને વશ થઈ વક્તાબાજી વડે વાચસ્પતિપણું દાખવી જનમનરંજન કરવા પ્રયાસ કરે છે ! અથવા તે અભિમાનના અભિનિવેશમાં કે અસતવના કદાપ્રહમાં તે કવચિત્ પિતાની હોશિયારી બતાવવા અસત્ પ્રરૂપણ પણ કરે છે! અથવા કવચિત વાચાલતા દાખવી પરવંશનાર્થે વૈરાગ્યરંગ ૪ બતાવે છે અને જનરંજનાથે ધર્મોપદેશ કરે છે ! અરે ! પાણી જેવા વાણીના પ્રવાહમાં તણાતો તે પામર પ્રાણ ચિંતામણિ કરતાં અધિક મૂલ્યવંતા ધર્મનું કાણી કેડીના મૂલે વેચાણ કરતાં પણ આંચકો ખાતો નથી ! વળી કેઈનામાં મને યોગનું પ્રબલપણું હોય છે, તો તે ક્વચિત્ પોતાની બુદ્ધિમત્તાનું અભિમાન ધરાવતો રહી, પિતાની મતિની ચમત્કૃતિથી બીજાને આંજી નાંખવાનો પ્રયાસ કરવા તત્પર જણાય છે! પિતાના મતક્ષયોપશમના અહંભાવથી–પાંડિત્યના ગર્વથી મંદમતિ જનોને તિરસ્કાર કરી લોકેષણાની આકાંક્ષા સેવત રહી તે લોકારાધન કરવાનો પ્રયત્ન કરે છે! પોતાની બુદ્ધિના મિથ્યાભિમાનથી આવિષ્ટ થઈ અનેકવાર કુયુક્તિ પ્રયુક્ત કરવામાં પણ પોતાની કુશળતા માને છે! મનાવા-પૂજાવાની તુચ્છ કામનાના કુગ્રહથી ગ્રસ્ત થઈ પોતાની મનઃશક્તિને ફાકે રાખનારા તે સ્વછંદી વંચક જીવ આત્મભાન ભૂલી આત્મશ્રેયથી વંચિત થાય છે!-ઇત્યાદિ અનેક પ્રકારે ‘તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર’ તરતમ ચોગે તરતમ વાસનાના આવિકારે જગમાં દેખાય છે.
આવી અસવાસનાને લીધે જ ભવને અભિનંદના ભવાભિનંદી જીવ માનાર્થનેલેકેષણાનો ભૂખ્યો હોઈ લેકપંકિતમાં–લેકની પંગતમાં બેસનારો હોય છે, અર્થાત્ લકારાધનહેતુઓ–લેકને રીઝવવા ખાતર મલિન અંતરાત્માથી સતક્રિયા કરે છે, અને તેથી તે એને મહાઅનર્થ કર—દુરંત ફલદાયી થઈ પડે છે, કારણકે જગને રૂડું દેખાડી ધમીમાં ખપવા ખાતર ભવાભિનંદી જીવ, આત્માર્થે જ કરવા ગ્ય એવી ધર્મક્રિયાનો પણ માનાથે ઉપયોગ કરે છે, અને તુચ્છ એવા લૌકિક માન-પૂજા-સત્કારાદિ ખાતર મહત એવી તે ધર્મક્રિયાનું લીલામ કરવા જેવો હીન ઉપગ કરે છે, અને આમ તેનું ખુલ્લું અપમાન કરી ઘોર આશાતના કરે છે. આવી લોકેષણારૂપ લોકપંક્તિ અને લોકોત્તર એવું આત્મકલ્યાણ બેને કદી મળતી પણ આવે નહિં. અને પરમાર્થ વિચારીએ તો લોકોત્તર કલ્યાણરૂપ આત્માર્થ પાસે લેકેષણારૂપ માનાર્થનું મૂલ્ય બે બદામનું પણ નથી. છતાં મહદ્ આશ્ચર્ય છે કે એક ભવના તુચ્છ કલિપત લાભની ખાતર અનંત ભવનું દુઃખ હાલું ગણું “ભવાભિનંદી પોતાના નામને સાર્થક કરે છે ! તે લેકેષણને લાલચ