________________
અવધાનાદિ બાહ્ય પ્રવૃત્તિને તિલાંજલિ
૧૩૩ અમુક સ્થળેથી અમુક પૈસા ખર્ચા આણી છે, અમુક બહુ Rare દુર્લભ છે, ઈત્યાદિ વૃત્તિને ઘટતું ગૌરવ દાખવતા હતા. સમય જાણી જન્મથી જ વૈરાગી શ્રીમદે તે શેઠને પૂછયું: આ આવાસ છેડી કેઈ બેહસ્તનશીન થયું છે?—આ પ્રશ્ન સાંભળતાં જ તે શેઠને ગાલે શેરડા પડે, અને તરત જ કહ્યું–મને આવા નીડરપણે મરણને ભય અને આવી વસ્તુઓનો આવા અભિમાનપૂર્વક મેહ નહિ કરવાનું કેઈએ કહ્યું ન હતું.” આમ આ પ્રસંગ પરથી શ્રીમદની અંતર્દશા જોઈ શકાય છે કે આ પ્રયોગો મધ્યે પણ તેઓ સદા સજાગર જ હતા, પરંતુ આ ઝાઝા લોકપ્રસંગથી કવચિત માનમાં આવી જઈ આત્માને પતનનું સ્થાન પણ થઈ પડે અને કદાચ આત્માથે ચૂકી જવાય; અને કદાચ આત્માર્થ ન ચૂકી જવાય તે પ્રધાન એવા આત્માર્થમાં જે સમય ગાળવો જોઈએ તે આવા સાધારણ બાહ્ય પ્રયોગોમાં ખર્ચાઈ જાય, તે આત્માથીને પાલવે નહિ –પરવડે નહિં. ઇત્યાદિ અંતર્મુખ વિચારણાથી શ્રીમદે આ બાહ્ય પ્રવેગોને તિલાંજલિ આપવાનું ઉચિત માન્યું. શ્રીમદે આ શતાવધાનાદિ અનન્ય અદ્દભુત પ્રયોગો કરી દેખાડ્યા તેમાં એમની મહત્તા તો છે જ, પરંતુ તેને પણ તૃણુ - દિત્યાગ કર્યો એમાં એમની અનંતગુણવિશિષ્ટ એર વિશેષ મહત્તર મહત્તા છે. જગના પૂરની સાથે તણાતા અનુસ્રોતગામી તો સર્વ કેઈ હોય, પણ સામે પૂર જનાર પ્રતિશ્રોતગામી તે કેઈ વિરલે જ હેય; અતિતર્પણ તે સર્વ કે કરે, પણ પરિસર્ષણ તો કઈ વિરલે જ કરે.
શ્રીમદ્દ પ્રથમથી જ આત્મલક્ષી હતા, એટલે સગવશાત્ સહજ સ્વભાવે બતાવવામાં આવતા આત્મવૈભવના અંગરૂપ આ બુદ્ધિવૈભવનું આ બાહ્ય પ્રદર્શન અંતરથી એમને રુચતું નહોતું-પણ ખૂંચતું હતું, તે હવે તેમણે એકદમ ફગાવી દીધું અને પછી તે સતત આત્મલક્ષી શ્રીમદ નિરંતર અધ્યાત્મમાં જ નિમગ્ન થઈ ગયા, –એ તેમના જીવનના પછીના તબક્કા પરથી સ્પષ્ટ જણાય છે. આ અપૂર્વ આત્મસંયમ શ્રીમદ્દ જે કઈ વિરલે ઓલીઓ પુરુષ જ દાખવી શકે. જેનામાં માનાદિની અપેક્ષા હોય ને જગની વાહવાહની પરવાહ હોય, એ કદી આ અપૂર્વ આત્મસંયમ દાખવી શકે? અને તેમાં પણ શ્રીમદ્દ જેવો અસાધારણ પ્રતિભાસંપન્ન, આચાર્યને આચાર્ય થવા ગ્ય પુરુષ જે ધારે તે જગતમાં પોતાનો ડંકો વગડાવી શકે. અરે ! એમનાથી લક્ષાંશ ચેગ્યતા પણ જેનામાં નથી, એવા સામાન્ય પ્રાકૃતજને પોતાની લેખકતા–વસ્તૃતા વગેરે શકિતની વર્તમાનમાં કેટલી બધી જાહેરાત કરી, કેટલા બધા નગારાં વગાડી, કેટલી બધી કૂદાકૂદ કરે છે !—એ શું હમણાં આપણે પ્રત્યક્ષ નથી જેતા ? એવાઓ સાથે જ્યારે શ્રીમદૂના અસાધારણ અભુત આત્મસંયમની-આત્મગુપ્તિની તુલના કરીએ છીએ, ત્યારે શ્રીમદ મેરુ સમા મહાન જણાય છે. શ્રીમદૂની અપૂર્વ આત્મલીનતાથી ખરેખર! સાનંદાશ્ચર્ય અનુભવાય છે. શ્રીમદને તો આત્મકલ્યાણ જ કરવું હતું, એમને કઈ જગને રૂડું દેખાડવા પ્રયત્ન ન્હોતું કરવું. તેની સાક્ષી તેમના જ વચને પૂરે છે. જેમ કે–જગને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું,