________________
પ્રકરણ વિશમું અવધાનાદિ બાહ્ય પ્રવૃત્તિને તિલાંજલિ આ શતાવધાન આદિ સ્મૃતિચિમત્કારોનું અને તિજ્ઞા અસાધારણ પરિજ્ઞાનનું બાહ્ય પ્રદર્શન શ્રીમદે પ્રાયે ૧૯ભા વર્ષ પછી એકદમ છેડી દીધું. જ્યારે તેમની કત્તિ ભારતના દિગદિગંતમાં પ્રસરી ગઈ હતી, જ્યારે તેઓ કીર્તિની ટોચે પહોંચ્યા હતા, ત્યારે તેઓએ સર્ષ કાંચળી છોડી દીએ તેમ આ તેજ:પુંજથી જગતને આંજી દેનારા (Dazzling) બાહ્ય જગતપ્રદર્શનને તૃણવત્ ત્યાગ કર્યો. જે તેઓ વિલાયતાદિ દેશમાં ગયા હતા, તે એમની કીર્તાિ-માન-પૂજા–પ્રતિષ્ઠાદિ આખા જગતમાં વિસ્તરવાને પૂરે મે હતો; પણ મુંબઈના ચીફ જસ્ટિસ સર ચાર્લ્સ સાજંટ આદિની આગ્રહભરી પ્રેરણા છતાં ધર્મ–આત્માર્થ આદિ ન સચવાય એ કારણે તેઓએ વિલાયતાદિ પ્રત્યે જવાની ઘસીને ના પાડી; અને આમ જગતને મંત્રમુગ્ધ કરનારી આત્માની કેટલીક ચમત્કારિક શક્તિએની વાનકી (Sample) માત્ર ચખાડી તે અવધાનાદિ અદ્દભુત પ્રવેગોને તિલાંજલિ આપી શ્રીમદ જગન્ની દષ્ટિથી લગભગ અદશ્ય-અલેપ જેવા થઈ જઈ પછી તે કેવળ અધ્યાત્મમાં લીન થઈ ગયા હતા, કેવળ આત્મામાં સમાઈ ગયા હતા, એ તેમની ત્યારપછીની વિશિષ્ટ અધ્યાત્મચર્યા પરથી સુપ્રતીત થાય છે,–જેનું અવલોકન આપણે આ ગ્રંથમાં હવે પછી અનુક્રમે કરશું.
આ અંગે જીવનરેખામાં શ્રી મનસુખભાઈ મનનીય શબ્દોમાં લખે છે કે –શ્રીમાનને આત્મલક્ષ થયે હતે આત્મા અનંત શક્તિને ધણી છે; શતાવધાનાદિ એ શક્તિના નમુનારૂપ રજકણે છે, એથી માનમાં આવી જઈ ધર્મ હારી જવા જેવું છે;–આવા સાત્વિક વિચારે એ પ્રયોગોને દબાવી જઈ આત્મસાક્ષાત્કાર કરવામાં શ્રીમદે વીર્ય ફેરવ્યું ! અત્યારે આવી સ્વલ્પ શક્તિ જેને પ્રાપ્ત થઈ હોય તે માન કે અર્થ માટે એને ઉપયોગ કરતા નથી દેખાતા? શ્રીમાન ધારત તે એના પ્રાગથી માન–કીત્તિ –અર્થ સંપાદન કરી શકત. પણ આત્મગુણ વિકસાવવાને મૂળથી જ લક્ષવાળા, આજન્મ વિરક્ત આ પુરુષ એ શક્તિનું પ્રદર્શન નહિ કરતાં એ વડે આત્માની ઉજજ્વલ શક્તિઓ પ્રગટ કરવા મથન કર્યું -આ (જ્યોતિષ) પ્રયોગ પણ એમણે નાનપણમાં જ, માનમાં આવી જઈ ધર્મ હારી જવાના કારણે ત્યજી દીધાં. (વિ. સં. ૧૯૪૫ની સાલમાં).” ઈત્યાદિ.
આ શતાવધાનાદિ પ્રસંગોમાં પણ શ્રીમદની અંતરવૃત્તિ આત્માર્થ ભણી અને વૈરાગ્ય ભણી જ હતી. તેનું એક જ્વલંત ઉદાહરણ શ્રી મનસુખભાઈએ જીવનરેખામાં
ધેલ છે–શતાવધાનથી મુંબઈમાં પ્રખ્યાતિ પામ્યા પછી શ્રીમદ્ રાજચંદ્રને કોઈ માતબર પ્રખ્યાત પારસી પિતાનું સ્થાન જોવા તેડી ગયા, ત્યાં તે શેઠ અમુક વસ્તુ