SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દનું અસાધારણ તિવિજ્ઞાન ૧૩૧ –તેમાં પણ હાલ તે અધિક જ રહે છે. જે પ્રાણીઓ એવા (જ્યોતિષાદિના) પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે, તેઓ મહાધીન છે; અને તેઓ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે, એમ માન્યતા છે, તે તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી, પણ પરમાર્થ હેતુએ પ્રવૃત્તિ કરવી પડશે, તે પ્રસંગે કંઈ કરીશ. ઈચ્છા તો થતી નથી. દેહભાવ દેખાડો પાલવ નથી. ઈ.” (૩) મુંબઈથી ફાગણ વદ ૮ બુધ ૧૯૪૭ના પત્રમાં શ્રીમદ્દ લખે છે–આપે તિષાદિકની પણ હાલ ઈચ્છા કરવી નહિં, કારણ કે તે કલ્પિત છે, અને કલ્પિત પર લક્ષ નથી. (૪) કલ્પિત એટલે શું અને તિષ્ય કલ્પિત શા માટે એ જણાવતા પત્રમાં મુંબઈથી ફા. વ. ૧૧ ૧૯૪૭ના દિને લખે છે – જ્યોતિને કલ્પિત કહેવાને હેતુ એ છે કે એ વિષય પરમાર્થિકજ્ઞાને કલ્પિત જ છે; પરમાર્થિક જ સત્ છે; અને તેની જ રટના છે. શ્રીમદના આ પત્ર અંગે ટિપ્પણું કરતાં શ્રી મનસુખભાઈ કિરચંદ સાચું જ કહે છે–“ચિત્તની ઉદાસીનતા જોવા જેવી છે. જ્યોતિષાદિક ચમત્કારિક ભાસતા નથી, પણ કદાપિ ચમત્કારિક હોય તો પણ બજારૂપ ભાસે છે! અંશે પણ દેહાધ્યાસ જેને ટો હોય, અંશે પણ જે વિદેહીવત્ થયેલ હોય, તે પુરુષની આવી આચરણ–ચેષ્ટા સંભવે. કેટલી બધી ઉદાસીનતા! જ્યોતિષના વિષયમાં શ્રીમદ્ કરતાં ઓછે અંશે નિષ્ણાત પણ પહેલી પંક્તિએ પૂજાય, મનાય અને તેને ઘેર પૈસાની રેલ ચાલે,છતાં એ વિષયમાં અનિષ્ણાત એવા શ્રીમદ્દને દેહભાવ (Ego, Personal Identity) દેખાડવો પાલવ નથી ! જોતિષાદિ વિષયને અપરમાર્થરૂપ ગણુ ગૌણ કરે છે, ધકેલે છે! ઉચ્ચ કોટિના અને આત્માની ઉચ્ચ કક્ષાએ પહોંચેલ પુરુષની એ ચે સંભવે.” શ્રીમદના જીવનના અઠંગ અભ્યાસી શ્રી મનસુખભાઈના આ ઉદ્ગાર અક્ષરે અક્ષર સત્ય છે. આમ છે શ્રીમદ્દના અસાધારણ તિવિજ્ઞાનના ઈતિહાસની ઈતિશ્રી!
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy