SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ અધ્યાત્મ રાજચંદ્ર શ્રીમદના આ અસાધારણ જયોતિર્વિજ્ઞાનની ખ્યાતિ સર્વત્ર પ્રસરી ગઈ એટલે સ્નેહી-સંબંધીઓએ તેમજ બીજા લોકોએ તેમને આ બા. “પજવવા” માંડયા—ખૂબ હેરાન કરવા માંડયા. “પરમાર્થમાં વિઘભૂત આ પ્રતિબંધ શ્રીમદને ન પરવડ્યો.” એટલે પરમાર્થને બાધક આ વિષયને “અપરમાર્થરૂપ-કલ્પિત’ ગણી શ્રીમદે ગૌણ કરી દીધો. સં. ૧૯૪૫માં અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડે શ્રીમદે અવધાનપ્રયોગ કરી દેખાડ્યો હતો. ત્યારે કઈ બીમાર માણસ માટે પ્રશ્ન કરવામાં આવતાં તેનું અનિષ્ટ દેખી દયા શ્રીમદને ખૂબ લાગી આવ્યું ને સખેદ જવાબ આપે –અમારે આવા દુઃખદ સમાચાર આપવા ?” આ પ્રસંગે પણ શ્રીમદના કરુણાદ્રિ અંતરુ પર અસર કરી ને શ્રીમદૂની જ્યોતિષ વિષય પ્રત્યેની ઉપેક્ષા વધતી ગઈ, ને છેવટે સં. ૧૯૪૭ પછીથી તો તે વિષયને તેમણે સાવ છોડી દીધો. ત્યાર પછી એક વખત કેઈ માંદા માણસ અંગે તેમના પૂજ્ય માતુશ્રીએ ફલાદેશ પૂછતાં શ્રીમદે ઉત્તર આપેલ–અમે એ જોવાનું છોડી દીધું છે, પ્રારબ્ધગ્ય થશે અને તેને સારા-માઠાને સમ્યક પ્રકારે, વિક૫ કર્યા વિના, સમપણે વેદી લેવું એ ધર્મ છે, એ વિદ્યા છે, એ જેષ છે, અને એ ફલશ્રુતિ છે, અને એ છૂટવાનો રસ્તો છે.” આમ પરમાર્થ કરત શ્રીમને આ જ્યોતિમ્ વિષય શીખતાંય વાર ન લાગી, અને છોડતાંય વાર ન લાગી. શ્રીમદે આ વિષયને અપરમાર્થભૂત-કલ્પિત કેમ ગણ્યો તેને ખુલાસે તેમના પરમાર્થ સુહદ્ પરમાર્થ સત્સંગી શ્રી સૌભાગ્યભાઈ પરના પત્રોમાં પ્રાપ્ત થાય છે. શ્રી સૌભાગ્યની વ્યાવહારિક સ્થિતિ પ્રારબ્દાનુસારે સં. ૧૯૪૭માં સાંકડી વર્તાતી હતી, તેથી તેઓ વારંવાર ગભરાઈ જઈ આકુલ થઈ જતા, અને પોતાની સ્થિતિ શ્રીમદને લખી જણાવી જ્યોતિષાદિથી ફલાદેશ બા. વિજ્ઞપ્તિ કરતા. શ્રીમદ તેમને આકુલતા ત્યજી પ્રાપ્ત સ્થિતિ સમપણે વેદી લેવાનો બોધ લખતા. અને એ વિષયનું અપરમાર્થ. ભૂતપણું સમજાવતા. જેમ કે-(૧) મુંબઈથી શ્રાવણ સુદ ૧૯૪૬માં શ્રીમદ સૌભાગ્યને લખે છે—“તિની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણે ભાગ તેને જાણવામાં આવે છે, તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી, અને તે વિષેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હોય, તો પણ બોજારૂપ લાગે છે; થોડી પણ તેમાં રુચિ રહી નથી. અમને તો માત્ર એક અપૂર્વ એવા સત્વજ્ઞાનને વિષે જ રુચિ રહે છે. બીજું જે કંઈ કરવામાં આવે છે કે અનુસરવામાં આવે છે, તે બધું આસપાસનાં બંધનને લઈને કરવામાં આવે છે. હાલ જે કાંઈ વ્યવહાર કરીએ છીએ તેમાં દેહ અને મનને બાહ્ય ઉપગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વત્ત નથી.” (૨) વવાણીઆથી સં. ૧૯૪૬ બીજા ભાદરવા સુદ ૨ ભોમના પત્રમાં લખે છે ....તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે, તે માટે શોક તે નથી, તથાપિ સહન કરવા જીવ ઈચ્છતો નથી ! પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ? અને એ જ કારણથી જ્યોતિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવા ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે,
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy