SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દનું અસાધારણ જ્યોતિષવિજ્ઞાન ૧૨૯ સ્મૃતિગોચર થયેલ પ્રતીત થવા ગ્ય છે; આત્માની અનંતતા, નિત્યતા, પૂર્વભવાદિની ગવાહી આપવા ગ્ય છે.” આ પ્રસ્તુત ભાઈએ વળતી ટપાલે પોતાના પ્રહ શ્રીમ બીડયા તે બાબત શ્રીમદ્ મુંબઈથી પહાંચ લખતાં તેમને સં. ૧૯૪૩ના પોષ સુદ ૨ સમના પત્રમાં લખે છે કે રજીસ્ટર્ડ પત્ર સજન્મપ્રહ પહોંચ્યો છે. તમારા મને માટે તેમજ દર્શન–સાધના, ધર્મ ઇત્યાદિ સંબંધી વિચારો સમાગમ દર્શાવીશ.” ઈ. આનો મર્મ એમ છે કે બે માસ પહેલાં જેને જોષ આ ચત્રભુજ બેચર તરફથી જોવરાવવામાં આવ્યા હતા, તે જ પુરુષ પોતે માત્ર બે માસના ગાળામાં બીજાના આ જેવરાવનારના જોષ જેવાને સમર્થ થઈ ગયો ! આવા પરમ સમર્થ પ્રજ્ઞાનિધિ શ્રીમદનું તિવિજ્ઞાન સ્વલ્પ સમયમાં એટલી હદ સુધી પહોંચી ગયું કે પૂર્વ ધારી ભદ્રબાહુ સ્વામીકૃત ભદ્રબાહુસંહિતા જે અપૂર્વ અલભ્ય ગ્રંથ પણ તેઓ અવગાહી ગયા. આ અંગે ભરુચનિવાસી શ્રી અનુપચંદ મલકચંદે પોતાના પ્રશ્નોત્તરરત્નચિંતામણિ ગ્રંથમાં “વત્ત માનકાળે આયુષ્ય કેટલું હોય?” તે ૧૨૧માં પ્રશ્નના ઉત્તરમાં ઉલ્લેખ કર્યો છે કે –“કઈ પુરુષનું એકસો વીશ કરતાં અધિક વર્ષનું પણ હોય. તે વાત શતાવધાની શા. રાયચંદ રવજીભાઈએ ભદ્રબાહુસંહિતા જોઈ હતી, તેમાં તેમના કહેવામાં એવું હતું કે જેનો ધન લગ્નમાં જન્મ હોય, ચોથે મીનનો ગુરુ હોય અને અગ્યારમે તુલાને શનિ અને શુક્ર હોય, ગ્રહ અંશે કરી બળવાન હોય, આઠમે કઈ પ્રહ ન હોય અને શુક કે શનિની દશામાં જન્મ હોય, એવી રીતને યોગ હોય તે બને દશ વર્ષનું આયુષ્ય તેનું હોય. ઈ.” આ શેઠ અનુપચંદભાઈને પણ જ્યોતિને કંઈક અનુભવ હતો, એમને ત્યાં ભરુચમાં શ્રીમદ્દ સં. ૧૯૪પના માગશર તથા આષાઢમાં રહ્યા હતા, એટલે પ્રાસંગિક ચર્ચામાં ઉપરોક્ત ભદ્રબાહુસંહિતાની વાતને પ્રસંગ બન્યું હશે. બરાબર એક વર્ષ પછી સં. ૧૯૪૩ના આશે માસમાં શ્રીમદ્દ પુનઃ મુંબઈ જતાં પહેલાં જેતપર આવ્યા હતા, ત્યાં જેણે તેમનું જોષ જોયું હતું તે પૂર્વોક્ત શંકર પંચળને શ્રીમદે જ્યોતિષની ના વિદ્યાના ચમત્કારિક પ્રયોગથી આશ્ચર્યથી હિંગ કરી દીધા. “જ્યોતિષની આ નષ્ટ વિદ્યાને એક પ્રકાર એ છે કે–સાલ-માસ-તિથિ વાર–સમય વિનાની સાચી કુંડલિ પરથી, સાલ-માસ-મિતિ-તિથિ-વાર-સમય બરાબર કહી દેવા.” આ અદ્દભુત પ્રયોગથી આશ્ચર્યચકિત થયેલા પંચોળી એ આ વિદ્યા શિખવવાની શ્રીમદને વિજ્ઞપ્તિ કરી–આ અમારી બ્રાહ્મણની અમૂલ્ય વિદ્યા છે, અમે એ જાણતા નથી; અમારા જેવીઓમાંથી એનો એક જ જાણકાર હાલ કાશીમાં છે, આ વિદ્યાનો જાણકાર દૈવજ્ઞ હજારો રૂપિઆ કમાય અને પૂજાય; મને એ વિદ્યા શિખડાવવા કપા કરો.” શ્રીમદે જણાવેલ કે આ વિદ્યા શિખડાવી શિખડાવાતી નથી. તેમાં અતિશય સ્મરણશક્તિ અને ચિત્તની એકાગ્રતા–સ્થિરતા જોઈએ; એ ગણિતનો વિષય છે, આ વિદ્યાની નિશાળ નથી; ઉગ્ર શક્તિરૂપ ઉપાદાન હોય તો શિખવાડનાર નિમિત્ત ગુરુથી આવડે.’ હસ્તરેખા-મુખપરીક્ષા આદિ સામુદ્રિક વિદ્યાથી પણ શ્રીમદ્દ જ્યોતિ જોઈ શકતા. અ-૧૭
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy