________________
૧૨૮
અધ્યાત્મ રાજચંદ્ર છે. જોતિ બાબતમાં પણ એક સહજ સામાન્ય નિમિત્ત મળતાં શ્રીમદ્દ અસાધારણ તિવિજ્ઞાનમાં શીધ્ર આગળ વધી ગયા તેનું દિગ્દર્શન અત્રે આ પ્રકરણમાં કરાવશું.
અવધાનપ્રગાથે શ્રીમદ્દ સં. ૧૯૪રના આશેમાં મુંબઈ ગમન થયું તે પૂર્વે તેઓ જેતપર (મોરબી તાબે) તેમના બનેવી શ્રી ચત્રભુજ બેચરને ત્યાં ગયા હતા. શ્રીમદ્દની વ્યવહારિક-આર્થિક સ્થિતિ સાંકડી હતી. મુંબઈ જવામાં આર્થિક લાભને પણ ઉદ્દેશ હતો. એટલે સહજ સ્વાભાવિક રીતે શ્રી ચત્રભુજ બેચરે જેતપુરના એક સારા તિષના જાણકાર ગણાતા શંકર પંચળી જેશીને શ્રીમના મુંબઈગમન અને અર્થલાભ બા.માં પ્રશ્ન પૂછયું. શંકર પંચોળીએ મુંબઈગમન અને અમુક મુદતમાં સાર અર્થલાભ થશે એમ ફલાદેશ કહ્યો. શ્રીમદનું મુંબઈગમન તે થયું પણ વિતેલે અર્થ લાભ ન થયા. આ અંગે પ્રસ્તુત ચત્રભુજ બેચરને શ્રીમદ્ મુંબઈથી ૫-૧૧-૮૬ (સં. ૧૯૪૩ના કા. શુદ ૯) શુક્રવારના પત્રમાં લખે છે કે શંકર પંચાળીએ લીધેલું પ્રશ્ન હજુ સુધી પરિણામભૂત થયું નથી. થયે લખીશ. વિજય ઉત્તમ થયે છે. અનુભવ-અવલોકનના આધારે રચાયેલું જોતિષશાસ્ત્ર, એક વિજ્ઞાન (Science) છે; આ વૈજ્ઞાનિક શાસ્ત્રને યથાર્થ અભ્યાસ હોય તે તેને ફલાદેશ પણ યથાર્થ થવું જોઈએ, તો પછી પંચાળીને ફલાદેશ અમુક ફ અમુક ન ફળે તેનું શું કારણ? એ સહજ કુતૂહલવિચારથી શ્રીમદને યથાર્થ ફલશ્રુતિ થાય એમ તિવિજ્ઞાનને યથાર્થ અભ્યાસ કરવાની તીવ્ર જિજ્ઞાસા થઈ, અને તેનું તેવું નિમિત્ત પણે સહજ સ્વભાવે બની આવ્યું. “વિજય ઉત્તમ થયો છે એમ જેને ઉપરમાં ઉલ્લેખ કર્યો છે, તે શતાવધાનના પ્રયોગ પ્રસંગે છાવર્ગમાં મુંબઈને અગ્રગણ્ય શ્રીમંતે-ધીમંત હતા, તેમાં સારા જ્યોતિષીઓ પણ હતા. તે જ્યોતિષીઓને આટલી લઘુવયે આવા અદભુત પ્રયોગો કરનારા શ્રીમદ્દ પ્રત્યે સહજ આકર્ષણ થયું, અને તેમના તરફથી શ્રીમદને
તિષવિજ્ઞાનની જિજ્ઞાસા સંતોષાય એવા નિમિત્તસાધનની પ્રાપ્તિ થઈ. આ અદ્ભુત વ્યક્તિ કેણ છે એ તપાસવાનું આ તિષીઓને સહજ કુતૂહલ થતાં દશ વિદ્વાનોએ મળી શ્રીમદ્દન ગ્રહ જોયા અને એ પ્રહ “પરમેશ્વરગ્રહ ઠરાવ્યા. આ અંગે શ્રીમદ્ મુંબઈથી પિતાના બનેવી શ્રી ચત્રભુજ બેચરને (જેતપર) સં. ૧૯૪૩ના માગસર વદ ૧૨ બુધના પત્રમાં લખે છે કે –“મારા ગ્રહ દશ વિદ્વાનેએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. વૈરાગ્યમાં ઝીલું છઉં...તમારા ગ્રહ વળતીએ અહીં બીડી દેશો. લા. આશુપ્રજ્ઞ ત્યાગી. આમ તજજ્ઞ તિષીઓનું સહજ નિમિત્ત મળતાં શ્રીમદને જ્યોતિવિજ્ઞાન જાણવાનું સાધન પ્રાપ્ત થયું અને જેના થકી તે સાધન પ્રાપ્ત થયું તે નિમિત્તભૂત સમિત્તિક કરતાં પણ તે જ્યોતિષ વિષયમાં સ્વલ્પ સમયમાં એકદમ કયાંય આગળ વધી ગયા. આ અંગે સદ્. શ્રી મનસુખભાઈ સૂમ મીમાંસા કરે છે– તિષ કાવ્યાદિ, વર્તમાન દેહે અપરિચિત એવી સંસ્કૃત–માગધી આદિ ભાષામાં ગુંથાયેલા ધર્મશા આદિને અ૫ વયે અલ્પ વિષયમાં અને તે તે વિષયોની આસ્નાયપૂર્વક વિશિષ્ટ બંધ થઈ જવો, એ તે તે વિષયે ભૂત ભવમાં અનુભવેલ અને વર્તમાનમાં