________________
૧૨૨
અધ્યાત્મ રાજચંદ્ર ધર્મના સારા પાસા પડવાના નથી, એમ અત્ર “રાય” વણિકે ઉપદેશ્ય છે. મેટાઈ સંબંધી કાવ્યમાં–કાયા જતાં વેણ કદી ન જાશે, પૃથ્વી પ્રમાણે ક્ષમતા ધરાશે”. તેમજ ગાંભીર્યતાદિ પ્રકારે કવિએ સાચી મેટાની રીતિ બતાવી છે. નિંદકની ભારેભાર નિંદા કરતા અવધાનકાવ્યમાં કવિ કહે છે—–મતિથી મંડિત મહાપંડિતને જે પાપી કહે છે. સાધુઓને અદેખા સ્વભાવથી જે સોદા કહે છે, ભલાઓને જે આ તો પૂરા પ્રપંચી ભાખે છે, કેવળ કુભાવથી ગંભીરને જે દંભી દાખવે છે, “એવા નિંદાનિપુણને પ્રભુ પણ પહોંચે નહીં,'—જેના પાદથી–ચરણથી પૃથ્વી અરે! પાપથી ભરાય છે,–“રાય” વદે છે કે એવા નિંદકને દ્વેષભાવ વિના એને ચગ્ય પચીશ જેડા ગણીને શિર પર શિરપાવ દઉં ! એ બરાબર ગણીને એના માથા પર પચીશ જેડા મારવાને એને લાયક શિરપાવ આપું! આમ નિંદકની ખે ભૂલાવી ઘે એવી નિંદા કરી–નિંદકના નિંદક બની કવિએ કેવી અદ્ભુત કાવ્યચમત્ કૃતિ દાખવી છે!
“એવા નિંદાનિપુણને પ્રભુ પણ પચે નહીં, પૃથ્વી ભરાય અરે પાપે જેના પાદથી, વદે રાય એને ગ્ય શિર દઉં શિરપાવ, પચીશ પંજાર ગણી વિના દ્વેષભાવથી.”
કેરે કાગળ કાવ્યમાં કવિ કેરા કાગળ પાસે બોલાવરાવે છે—કેરો કાગળ આગળ આવી આમ વદે છે,–પોતાનું દષ્ટાંત દઈ કથા બનાવીને કહે છે –“અહો ચીથરા ચીજ થકી ઉત્પત્તિ મારી, મેળવણીથી આમ થઈ છે અધિક સુંવાળી”,–અહો ! ચીંથરા જેવી ચીજ થકી હારી ઉત્પત્તિ આમ મેળવણીથી અધિક સુંવાળી થઈ છે, માટે તમે પણ જે સાવ નીચી પદવી થકી ઉંચી પદવી પામવા ધારતા હો તે હારી જેમ સર્વદા સદ્ગુણની મેળવણી”—મિલનપણું-એકત્રપણું થવા દેજે !–“જે ધારો ધર નીચી થકી ઊંચી પદવી પામવા, તે દેજે મુજ સમ સર્વદા સદ્દગુણ મેળવણી થવા. કેરા કાગળને પણ કવિએ કે બોલતો કાગળ બનાવી દીધો! ત્રણ દરવાજા કાવ્યમાં પરમાર્થ ઉતાર્યો છે કે–ત્રણ દરવાજા એમ સૂચવે છે કે સ્વર્ગ નરક ને મોક્ષ એ ત્રણ કામ માટે મનુષ્યને જવા આ ત્રણ દરવાજા છે,–“સ્વર્ગ નરક ને મોક્ષ છે, જવા મનુષ્ય ત્રણ કામ, –આ પરથી ધ્વનિત કર્યું કે મનુષ્યગતિમાંથી સ્વર્ગ નરક કે મોક્ષ એ ત્રણે પ્રાપ્ત થઈ શકે છે, ત્રણે દરવાજા ખુલ્લા છે, માટે જે દરવાજેથી જવું હોય તે દરવાજેથી જાઓ! તંબુ પર કાવ્ય કરવાનું કહેવામાં આવતાં શીઘ્ર કવિએ કવ્યું કે આ તંબુ તે “હવા મહેલને લાયક અને લલિત નમૂને છે! એમાં કાંઈ ખામી કે ખેંચ નથી. અહે! શું આ ગગનનગર ઉભું કરી દે એવા ઇંદ્રજાલીઆ મયદાનવથી રચવામાં આવેલ છે? હા, હા, એ બરાબર છે, એ કારણે જએટલા માટે જ તંબુ કર્યા છે, વિચાર કરી ઘર નથી કર્યા, કારણ કે અસ્થિરને કાજે-માટે ઘર કશાં? એ જગમાં સિદ્ધ છે તે ખરૂં–સાચું છે,–“અસ્થિર કાજે ઘર કશાં? ખરૂં જગતમાં સિદ્ધ” જુઓ ! આ તંબુ જ્યારે ઉપડી જાય છે, ત્યારે હવે અહીં–આ તંબુની જગ્યાએ પશુ પક્ષી ને કંઈ છોડ જ રહેલા છે,-એમ ચિત્તમાં ચિંતવીને આ વર્ણન પૂરું કર્યું. જુઓ ! આ જ સ્થળે કાંદા, ડુંગળી, વાવણગ, વાલોર એ ઊગી નિકળ્યા છે, એ બાકી નથી રાખ્યા, સર્વથી