SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અવધાન કાવ્યોનું રસદર્શન અને શતાવધાની કવિનું ભવ્ય વ્યક્તિત્વ ૧૨૧ આકાશપુષ્પ થકી વંધ્યસુતા વધાવી ”—એ પંક્તિની સમશ્યાપૂર્તિ કરવાનું કહેવામાં આવતાં કવિએ અર્થ ગંભીર શીધ્ર કાવ્ય રચ્યું હતું : અરે મન ! તું સંસારમાં કેમ દેહ પામે છે? વિરાગ્યમાં શીધ્ર ઝંપલાવતાં એ જ ગતિ જામે છે – અહે! માયાને આપ દિલમાં–અંતરમાં આવી ગણી લે-આકાશપુષ્પ થકી વંધ્યસુતા વધાવી, જેનું અસ્તિત્વ જ નથી એવા આકાશ કુલ વડે જેનું પણ અસ્તિત્વ નથી એવી વંધ્યસુતાને–વાંઝિયાની પુત્રીને વધાવી છે એવી. અર્થાત્ વૈરાગ્યવિચાર કર્યો માયારૂપ આ જગતનું અસ્તિત્વ છે જ નહિં, તે આકાશપુષ્પ જેવું ને વંધ્યસુતા જેવું છે. ત્રહ્મ રહ્યુંનમિચ્છા. આ શીધ્ર કાવ્યમાં પણ કવિએ કે ગંભીર તત્ત્વવિચાર રમતાં રમતાં ગોઠવી દીધો છે ! સંસારમાં મન અરે કામ મોહ પામે? વૈરાગ્યમાં ઝટ પડયે ગતિ એ જ જામે; માયા અહો ! ગણી લહે દિલ આપ આવી, આકાશપુષ્પ થકી વંધ્યસુતા વધાવી.” બીજી એક પંક્તિ—“અગનિમાં પ્રીતે પડી પંકતિ દ્વિરેફની’–એની સમશ્યાગૃત્તિ કવિએ આ માર્મિક ભાવપૂર્ણ કાવ્યમાં કરી હતી-મેહથી મચેલો એવો એક મધુકર હતો, કારણ કર્તાએ તેની એવી જાતિ કરી હતીતે પોતે અટવીને અતિશય ભટકી ભટકીને આવ્યા, તેને પવપુષ્પ શોધ્યાની મતિ થઈ–હું પવપુષ્પ શેધું એવી બુદ્ધિ ઉપજી; અને એ અર્થે આથડી આથડીને તેના અંગ સંકેચાયા તે પણ પદ્મ ન મળ્યાથી તેને મેહ-કેફની–મોહમદિરાના મદની ધૂન લાગી, એટલે નાતમેળી ન મળ્યાથી ક્રોધ કરી તુચ્છકારીને દ્વિરેફની-ભ્રમરની પંક્તિ પ્રીતથી અગ્નિમાં પડી, અગનિમાં પ્રીતે પડી પંકતિ દ્વિરેફની', અર્થાત્ પિતાના પ્રિયપાત્ર પદ્યની અપ્રાપ્તિથી 'વિરહ ન સહી શકવાથી અગ્નિમાં ઝંપલાવ્યું. કવિએ કેવી સરસ અદ્દભુત સમશ્યાપૂર્તિ મેહથી મચેલે એવો એક મધુકર હતા, કારણ કર્તા કરી એવી જાતિ તેમની ભટકી ભટકી આવ્યો અટવી તે આ૫ અતિ, પદ્મપુષ્પ શેધ્યા તણી થઈ મતિ તેહની; આથડી આથડી અંગ સંકોચાય તેને તોય, પદ્મ ન મલ્યાથી લાગી ધૂન મોહ કેફની, નાતળી ન મળ્યાથી કાધ કરી તુચ્છકારી, “અગનિમાં પ્રીતે પડી પંકતિ દ્વિરેફની.” ધનમદ, યૌવનમદ, વિદ્યામદ અને રાજમદ એ ચાર મદને નિષેધ કરતા અવધાનકાવ્યમાં કવિ માર્મિક ટકેર કરે છે–તજ રાજમદ હેવાન નિત અમલ ન કેઈના બાપનો.” સુંદર ત્રિભંગી છંદથી સંગીત કરેલા દોલત વિષેના કાવ્યમાં કવિએ-દેવત દુનિયાનું, જે નથી છાનું, નાણું નાનું, કોણ કહે?” એમ “નાણું' શબ્દ પર લેષ કરી દોલતનો મહિમા ગાયો છે, અને સર્વ કઈ એને ચાહે છે–ચાણ શ્રીમંતો, શઠ ધીમંતે, સૌ જીવ જંતે, એમ લહે,” એવી લક્ષમીની બલિહારી બતાવી છે. તૃષ્ણ અંગેના કાવ્યમાં કવ્યું છે કે—પાંચ મળે પચીશ ઈચ્છ, પચીશ મન્થ વધવાની આશા થાય, એમ “વ્યાજ સમાન સદા વધતી, ઘટતી નથી; રે! મન દેખ તમાશા' માટે એ તૃષ્ણા તજીએ દિલથી, નહિ તો પડવા નથી ધર્મ સુપાસા'—નહિં તે અ-૧૬
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy