SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ અધ્યાત્મ રાજચંદ્ર છંદમાં કાવ્ય કરવાનું કવિને (શ્રીમદ રાજચંદ્રને) કહેવામાં આવતું અથવા કઈ કાવ્યપંક્તિ આપી તેની સમશ્યાપૂર્તિ કરવાનું કહેવામાં આવતું, ત્યારે અવધાનના જુદા જાદા વિષય પ્રત્યે ધ્યાન આપે જતાં પણ શ્રીમદ્ તે તે માગેલા વિષયો પર શીઘ કવિતા રચના કરી સર્વ કોઈને આશ્ચર્યમાં ગરકાવ કરી દેતા અને તેની શબ્દચમત્કૃતિ –અર્થચમત્કૃતિમય કાવ્યચમત્કૃતિથી સર્વને ચમત્કાર પમાડતા. આ અવધાનકાવ્યોમાં પણ શ્રીમદૂની નૈસર્ગિક કવિપ્રતિભા ઝળકી ઊઠે છે, એટલું જ નહિં પણ કાંકરાપીચકારી-ઈંટ આદિ જેવા તુચ્છ નિર્માલ્ય દેખાતા વિષય પરથી પણ અદ્દભુત પરમાર્થ બોધ અવતારતા, તે પરથી ધર્મ–વૈરાગ્ય ભણી તેમને નૈસર્ગિક ઝોક જણાઈ આવવા સાથે એમના ધર્મ–વૈરાગ્યમય માનસનું પ્રતિબિંબ પડે છે. આના કેટલાક નમૂના આપણે અત્ર તપાસશું. ' ધર્મ વિષે કવિતા કરવાનું કહેવામાં આવતાં પીસ્તાલીશ “ધ-ધા'ના ધમધમાટવાળી શબ્દઝમકવાળા શીઘકાવ્યમાં શ્રીમદ્દ એક મહાસંગી ધર્મધુરંધરને છાજે એવી જોશીલી વેગવાન પ્રાણવાન શૈલીમાં કરે છે—ધર્મ વિના ધન ધામ ધાન્ય ધૂળધાણી ધારે, ધર્મ વિના ધરણીમાં ધિક્કતા ધરાય છે...ધારે ધાર ધવળ સુધર્મની ધુરંધરતા, ધન્ય ધન્ય ધામે ધામે ધર્મથી ધરાય છે.” તેમજ-ધર્મ વિના ધ્યાન નહિ ધર્મ વિના જ્ઞાન નહિ, ધર્મ વિના ભાન નહિં આવ્યું કે ના કામનું.” ઈત્યાદિ દ્વાદશ વિનક્તિવાળી કડીમાં સુંદર અર્થચમત્કૃતિ પણ દાખવે છે. ગુચ્છા પર કાવ્ય કરતાં બોધ ઉતાર્યો છેરે! રક્ષા કરવી ઘટે શરણની એવું સદા સૂચવે.” કાંકરા પર કવિતા કરતાં સૂચવ્યું છે–આ કાંકરો એમ સૂચવે છે કે હે મનુષ્ય ! તું હારી મનોદષ્ટિ ખોલીને–ઉઘાડીને દેખ! મનુષ્યમાં જે ધર્મ વિનાના છે તે હારા સમાન-કાંકરા સમાન લેખ! “મનખા કેરા મુજ સમા, વિના ધર્મથી લેખ.” પીચકારી પરથી પરમાર્થધ પ્રકા છે–આ કેવી સુઘડ પીચકારી બનાવી છે જે સૂચવે છે કે આ બધી જૂઠી માયા છે એવું તું મનથી મનન કર—“બધી જૂઠી માયા મનન કર એવું મન વતી.” હારી ચટક જેમ સાચી નથી, મહારો (પીચકારીને) રંગ જેમ સાચે નથી, તેમ આ સંસારની માયાને રંગ સારો નથી. કર્મની ગતિ એ કાવ્યમાં ગતિ વિચિત્ર કર્મની તું હર્ષ શોક શું ધરે ?” એમ બોધ દઈ તેના સમર્થનમાં સયાજીરાવ રાજ્યાધિપતિ થયા અને મલ્હારરાવ પોતે ધણી છતાં કેદમાં ગયા એ પ્રસિદ્ધ તાજું દષ્ટાંત રજૂ કર્યું છે. મુનિને પ્રણામ એ શબ્દ–અર્થ ચમત્કૃતિપૂર્ણ કાવ્યમાં–શાંતિકે સાગર અરુ નીતિકે નાગર નેક, દયાકે આગર જ્ઞાન ધ્યાન કે નિધાન હો,’–શાંતિના સાગર, નીતિના નાગર, દયાના આગર, જ્ઞાન–ધ્યાનના નિધાન, ધર્મના ઉદ્યાન ઈ. અનેક ગુણસંપન્ન મુનિની ભારોભાર સ્તુતિ કરી તેને નિર્માનીપણે પ્રણામ કર્યા છે,–“મુનિ તુમ આગે મેરે પ્રનામ અમાન હે; તેમજ-માયા માન મનેજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી ધારેલ શૈર્ય ધુની”—એમ આઠ “મ-મા અને આઠ “ધ-ધાવાળી તથા સાત સ–સા'વાળી શબ્દઝમકવાળા કાવ્યમાં આવા ગુણસંપન્ન મુનિને “કટિ કરૂં વંદના” એમ ભાવથી કહ્યું છે.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy