SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શતાવધાન : ‘ સાક્ષાત્ સરસ્વતીના દિગ્વિજય ૧૧૯ એક વખત એલી જાએ તે તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી મેલી દેખાડવાની સમતા આ લેખનારમાં હતી. અને તે માટે તથા અવધાનને માટે સરસ્વતીના અવતાર' એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવધાન એ આત્મશક્તિનું કે વ્ય મને સ્વાનુભવથી જણાયું છે. આપના પ્રશ્ન એવા છે કે એક કલાકમાં સે। ક્ષેાક સ્મરણભૂત રહી શકે ? ત્યારે તેના માર્મિક ખુલાસેા ઉપરના વિષયેા કરશે, એમ જાણી અહી આગળ જગા રોકી નથી. આશ્ચય, આનંદ અને સ ંદેહમાંથી હવે જે આપને ચેાગ્ય લાગે તે ગ્રહણ કરો.’ આમ એક જિજ્ઞાસુની પૃચ્છાથી નિરહનિર્દોષ ભાવે શ્રીમદ્જીએ પણ અવધાન સંબંધી થાડુ' સ્પષ્ટીકરણ કર્યું છે. આ શતાવધાનના સૌથી મહાન પ્રયાગ મુંબઇ નગરીમાં થયેા હતેા. શ્રીમના આ પરમ અદ્ભુત અસાધારણ અદ્વિતીય શતાવધાનપ્રયાગેાના સમકાલીન સાક્ષીરૂપ મુંબઈ સમાચાર, ગુજરાતી, ટાઈમ્સ ઓફ ઇન્ડિઆ, ઈન્ડીઅન, સ્પેકટેટર આદિ તત્કાલીન સામિયકામાં તત્સંબંધી વિસ્તૃત વર્ણન અને ભવ્ય પ્રશસ્તિઓ છૂપાયેલ છે. તે પ્રત્યે દૃષ્ટિપાત કરવાથી પણ આપણા ચરિત્રનાયક આ ‘સાક્ષાત્ સરસ્વતી’ના પ્રજ્ઞાચક્રે સાધેલા આ ભવ્ય દિગ્વિજયનો ખ્યાલ આવશે. પ્રકરણ અઢારમું અવધાનકાળ્યાનું રસદર્શન અને શતાવધાની કવિનું ભવ્ય વ્યક્તિત્વ શતસુખ પ્રતિભાના એજપુંજે લસતા, કવિ શતઅવધાની ભાવનામેાધવ તા.—(સ્વરચિત) સાક્ષાત્ સરસ્વતીને આ શતાવધાન દિગ્વિજય એ આપણા ચરિત્રનાયકના પ્રારંભ જીવનનું એક ઝળકતું પ્રકરણ છે; જગને આંજી ઘે એવા આ અદ્ભુત ચમત્કારિક અવધાનપ્રસ ંગેામાં પણ આપણા આ ‘સાક્ષાત્ સરસ્વતી શ્રીમદ્નની ધવૃત્તિ કેવી છે તે તેમના શીઘ્રરચિત અવધાનકાળ્યા પ્રત્યે દૃષ્ટિ દેતાં સ્વય' દેખાઈ આવે છે; તેમાંના કેટલાકનું ગત પ્રકરણમાં દિગ્દન કરાવ્યું, કેટલાક અવશિષ્ટનું અત્ર દર્શન કરાવશું. તે તે અવધાનપ્રસંગે પ્રશ્નકારને મનફાવતા કેાઈ અમુક વિષય પર ગમે તે માગેલા * શ્રીમના આ અદ્ભુત શતાવધાનપ્રયાગાથી તે વખતના મુંબઇ સમાચાર, ટાઇમ્સ, ગુજરાતી આદિ પત્રા ફીદા ફીદા થઈ ગયા હતા અને તે તે પત્રામાં તેમની ખૂબ ખૂબ પ્રશસ્તિએ આવી હતી. જેમકે— મુંબઇ સમાચાર તા. ૩ ડીસેમ્બર ૧૮૮૬ના અંકમાં શતાવધાનસભાનું વન આપે છે; અને તે જ પત્ર તા. ૪ ડીસેમ્બર ૧૮૮૬ના અંકમાં અગ્રલેખ લખે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિ તા. ૨૪ જાન્યુઆરી ૧૮૮૭ના અંકમાં ભવ્ય પ્રશસ્તિ લખે છે. ગૂજરાતી પત્ર તા. ૨૩ જાન્યુઆરી ૧૮૮૭ના અંકમાં પ્રશસ્તિ લખે છે. ઇત્યાદિ.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy