SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ અધ્યાત્મ રાજ્ય લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરી. પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિના કિંચિત્ ભાગ ભળે ત્યારે, નહીં તેા નહી' જ, આમ મારૂં મત છે. આત્મસ્તુતિના સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પેાતાની જૂઠી આપડવાઈ ચીતરવી. અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરૂં' લખાણુ તેમ પામતું નથી; અને જ્યારે ખરૂ સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તે પછી મહાત્માએ પ્રખ્યાતિમાં આવે જ કેમ ? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત્ આપની માગણી પરથી જણાવતાં અહી આગળ મેં આંચકા ખાધેા નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્ણાંક હું દોષિત પણ થયેલેા નથી.' આમ નિરહુ નિખાલસભાવે પ્રવેશક લખી, શ્રીમદ્જી પ્રસ્તુત ખા. યથાસ્થિત સ્વસ્વરૂપ આલેખે છે— પ ંડિત લાલાજી મુંબઈનિવાસીનાં અવધાના સંબંધી આપે મહુચે વાંચ્યું હશે. એ પંડિતરાજ અષ્ટાવધાન કરે છે, તે હિંદપ્રસિદ્ધ છે. આ લખનાર બાવન અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂકયેા છે; અને તેમાં વિજયવંત ઉતરી શકયા છે.’ આમ સામાન્ય સૂચન કરી તે ખાવન અવધાન વર્ણવે છે. ત્રણ જણ સાથે ચાપાટે રમ્યા જવું ૧, ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું ૧, એક જણ સાથે શેતર જે રમ્યા જવું ૧, ઝાલરના પડતા ટંકારા ગણતા જવું ૧, સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જવું ૪, માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી ૧, આઠેક નવી સમસ્યાએ પૂ કરવી ૮, સેાળ નવા વિષયેા વિવાદકાએ માગેલા વૃત્તમાં અને વિષયે પણ માગેલા—રચતા જવું ૧૬; ગ્રીક, અંગ્રેજી, સઔંસ્કૃત, આરખી, લેટિન, ઉર્દૂ, ગુર્જર, મરેઠી, બંગાળી, મરુ, જાડેજી આદિ સેાળ ભાષાના ચારસે શબ્દો અનુક્રમ વિહીનના કર્તા–કમ સહિત પાછા અનુક્રમ સહિત કરી આપવા, વચ્ચે ખીજા...કામ પણ કર્ય જવાં ૧૬, વિદ્યાથી'ને સમજાવવેા ૧, કેટલાક અલંકારના વિચાર ૨,-પર, આમ કરેલાં ખાવન અવધાનની લખાણ સંબંધે અહીં આગળ પૂર્ણાહુતિ થાય છે.' આ ખાવન સખ્યા ગણી દેખાડી શ્રીમદ્દજી આ અંગે કેટલીક પ્રાસંગિક સ્પષ્ટતા કરે છે—આ કામે એક વખતે મનઃશક્તિમાં સાથે ધારણ કરવાં પડે છે, વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરા સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું કે આ સઘળું યાદ જ રહી જાય છે. (હજી સુધી કોઈ વાર ગયું નથી.) આમાં કેટલુંક મામિક સમજવું રહી જાય છે. પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે. એટલે અહી આગળ ચીતરવું વૃથા છે. આપ નિશ્ચય કરો કે આ એક કલાકનું કેટલું કૌશલ્ય છે? ટૂંકા હિસાબ ગણીએ તેા પણ ખાવન àાક તે એક કલાકમાં યાદ રહ્યા કે નહીં ? સેાળ નવા, આઠ સમસ્યા, સેળ જુદી જુદી ભાષાના અનુક્રમ વિહીનના અને માર ખીજા' મળી એક વિદ્વાને ગણતી કરતાં માન્યું હતું કે ૫૦૦ શ્ર્લાકનું સ્મરણ એક કલાકમાં રહી શકે છે. આ વાત હવે અહી. આગળ એટલેથી જ પતાવી દઇએ છીએ.' આમ ખાવન અવધાન અંગે લખી શતઅવધાન આદિના નિર્દેશ કરે છે—તેર મહિના થયાં દેહેાપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂકયા જેવી જ થઈ ગઇ છે. (બાવન જેવાં સે અવધાન તે હજી પણ થઈ શકે છે) નહીં તેા આપ ગમે તે ભાષાના સાàાકે ખાવન
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy