________________
શતાવધાનઃ સાક્ષાત સરસ્વતીને દિવિજય
૧૧૭ નહીં, એમ નિઃસંશય સમજવું.” આમ શ્રીમદૂના એક નિકટના પરિચયી સમકાલીન સમવયસ્ક “સાક્ષાત્ સરસ્વતી પુસ્તિકાના લેખકે શતાવધાનને સવિસ્તર વર્ણવાદ ગાઈ આ “સાક્ષાત્ સરસ્વતી શ્રીમદ્દ પરમ ભાવોલ્લાસથી ગુણાનુવાદ ગાતાં તેમના વ્યક્તિત્વનું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે, તે શ્રીમદના તત્કાલીન ચરિત્ર પર પ્રકાશ પાડતું હોવાથી અત્ર પ્રસંગોચિત પ્રકૃતોપાગી જાણી જેમનું તેમ અવતાર્યું છે. પ્રસ્તુત પુસ્તિકાના મુખપૃષ્ઠ પર કરેલે ઉલ્લેખ પણ સૂચક છે –“સાક્ષાત્ સરસ્વતી કિંવા કવિચકચૂડામણિ, સજજનમુગટશિરોમણિ, કુળદીપક ચંદ્ર, જિનશાસનવૃંગાર મહાકવિ રાયચંદ્ર રવજીભાઈને વર્તમાનકાળ (સં. ૧૯૪૩) સુધીને ટુંક વૃત્તાંત.” આ યથાર્થ ગુણનિષ્પન્ન સૂચક વિશેષણ પરથી આ પુરુષ પ્રત્યે જનતા કેવા આદરથી જોતી હતી તેને નિર્દેશ મળે છે. આ પુસ્તિકાના પ્રારંભમાં જ રત્નકુક્ષિ સૃષ્ટિની પ્રસ્તુતિ કરી લેખક આવા એક ઉત્તમ સૃષ્ટિરત્ન મહાત્માનું વર્તમાન પર્યતનું જન્મચરિત્ર રજૂ કરતાં લખે છે –“જે મહાત્માની અજાયબ શક્તિથી હું દિંગ થઈ ગયો છું, જે મહાત્માની વિચક્ષણ વિચારસંકલનાથી હું આશ્ચર્ય પામી ગયો છું, જે મહાત્માની અગાધ બુદ્ધિથી હું કર્મ સંચિતના વિષયમાં પૂરેપૂરા આસ્તિક થઈ ગયું છું, જે મહાત્માની અનુપમ ધર્મવૃત્તિથી હું તાજુબ બની ગયો છું, અને જે મહાત્માની પ્રત્યેક દિવ્ય કળાથી હું મેહિત થઈ જઈને એને ઈશ્વરાંશી પુરુષ માનું છું, તે તરુણ મહાત્માનું ચરિત્ર ઉપર કહેલા કથનને પુરવાર કરવા અહીં આગળ ટાંકી દઉં છું.” સાક્ષાસરસ્વતીકારના આ સ્વયંભૂ ઉદ્ગારે પ્રમાણે ઉપરોક્ત ચરિત્રાલેખન પરથી આ કથનની ચરિતાર્થતા સ્વયં સિદ્ધ થાય છે; અને છેવટમાં આ સાક્ષાસરસ્વતીકાર શ્રી વિનયચંદભાઈ આ “સાક્ષાત્ સરસ્વતી શતાવધાની કવિ પ્રત્યેના પિતાને પ્રેમઉમળકે આ પતે જોડેલા કાવ્યમાં પૂર્ણભાલ્લાસથી ઠાલવે છે –
(રાગ કલ્યાણ : શ્રી જગત્પતિ આપ સન્મતિ–એ ઢાળ) શ્રી રામચંદ્રને, વિશ્વના પતિ! આયુ કીત્તિ અચળ આપ, પ્રેમથી અતિ. શ્રીરાય. જ્ઞાન ધ્યાનભક્તિયુક્તિ, મુક્તિના તરંગ: સર્વને ધ્યાને, જેણે રાખ્યો છે પ્રસંગ. શ્રીરાય. ૧ ધર્મ કર્મ મર્મમાં, જે નિપુણ વિશેષ, મિથ્યાદંભ મદ તે ન, જેણે રાખ્યો લેશ. શ્રીરાય. ૨ માત્ર જેણે દશપાંચ, વર્ષની વયે જ, વિજયને કે દીધે, દેવાંશી તે એ જ. શ્રીરાય. ૩ શત અવધાની હજુ, હિંદમાં ન કઈ એ નર આજે એ તે, લીધે એ જ જોઈ. શ્રીરાય. ૪ જૈન ધર્મતણી જેણે, વૃદ્ધિનો પ્રકાશ; ચિત્ત વિષે ચાહી કીધો, રાખી ઈચ્છા ખાસ. શ્રીરાય. ૫ શીઘ્રતાથી લૅક કર્યા, એકે દી હજાર; મનાયે જે શારદાને, પિતે અવતાર. શ્રીરાય. ૬ ધન્ય તાત! ધન્ય માત! ધન્ય જન્મ ગામ! વિનેચંદ તણું તેને, સદા છે પ્રણામ. શ્રીરાય. ૭
આ બાવન અવધાન અને શત અવધાન સંબંધી ઉપરોક્ત વર્ણનને પુષ્ટ કરતું સંક્ષેપ વર્ણન સં. ૧૯૪૨ના એક પત્રમાં શ્રીમદે પોતે કચ્છના પ્રે. રવજીભાઈ દેવરાજની જિજ્ઞાસાથી કર્યું છે. તેમાં પ્રથમ તો પિતા સંબંધી અંગત વર્ણન કરતાં સંકેચ ને ઔચિત્ય અંગે શ્રીમદ્દ વિનમ્રભાવે વિવેકપૂર્ણ પ્રવેશક લખે છે–આપનું