SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શતાવધાન : ‘ સાક્ષાત્ સરસ્વતીના વિજય (ર) કજોડાં માટે હિન્દુઓના તિરસ્કાર–એ વિષય(મનહરછંદ) કુળ મૂળ પર મેાહી શૂળ હાથે કરી રોપા, ભૂલ થકી ધૂળ કેમ કરી નિજ ખાળિકા ? કરો છે. કસાઈ થકી, એ સવાઇ આય ભાઈ, નક્કી એ નવાઈની ભવાઇ સુખ ટાળિકા; ચેતા ચેતા રે ચતુર નર ચેતેા ચિત્ત, ખાળે! નહી' હાથે કરી ખાળ અને ખાળિકા; અરે ! રાયચ કહા, કેમ કરી માને એઠુ, ચડી બેઠી જેની કાંધે ક્રાધ કરી કાળિકા ? શીઘ્રતાથી કરેલાં કાવ્યેામાં પણ કેટલી બધી ચમત્કૃતિ રહી છે ! ૧૧૫ (૩) કવિનું નામ પોતાના પિતાના નામ સહિત આવે તથા તે જ દોહરામાં મહાત્માને પ્રણામ થાય, એ વિષય આપ્યા હતા. (દોહરો) રાખે યશ ચંદ્રોદયે, રહે વધુ-જીવ નામ; તેવા નરને પ્રેમથી, નામ કરે. પરણામ. આમ બાવન અવધાનનું સવિસ્તર વર્ણન આપી ‘સાક્ષાત્ સરસ્વતી’કાર શ્રી વનેચંદભાઈ પેાપટભાઇ દફતરી ઉપસંહાર કરે છે કે-એમ ખાવન અવધાન સંબંધી મે ટૂંકમાં પતાવ્યું છે. વિસ્તાયુ હેાય તેા કેટલું બધું થાય તે વાંચનાર જાણી લેશે. આટલું બધું વાંચતાં કેટલી બધી અજાયબી ઉત્પન્ન થાય, તે હું કહી શકવાને સમ નથી, ત્યારે એ જોવાથી એ પુરુષને અવધાનના જોનાર કેવા માનતા હશે ? લીંબડી વગેરે સ્થળે એમણે ઘણાં અવધાનેા કર્યાં છે, પરંતુ આ નાનકડા ગ્રંથમાં તે લખવાનું બન્યું નથી તે માટે ક્ષમા ચાહું છું. મહાકવિ શ્રી રાજચંદ્રને કયા સત્ય અલંકારો આપવા એ મારી શક્તિથી અગ્રાહ્ય છે. એટલે હું ચૂપ રહ્યો છું. લીંબડી વગેરેના માનપત્રમાં એ ‘સાક્ષાત્ સરસ્વતી’ તરિકે એળખાય છે તેથી ગ્રંથનું નામ એ જ ગાઠવ્યું છે. હમણાં એ મહાકિવ શતાવધાની સ્થિતિ ભાગવે છે.’ સાક્ષાત્ સરવસ્તીના શતાવધ વિજયના સુવણ વાદ વદી, આ મહાત્માના અનુપમ ગુણગણુથી ર ંજિત થયેલ સાક્ષાત્સરસ્વતીકાર અંતર્ના ઉમળકાથી આ મહામાનેા સગુણાનુવાદ કરતાં ઉપસ'હરે છે.—‘ જન્મથી એક મહાત્મામાં જેટલા સદ્ગુણા જોઈએ તેટલા આ પુરુષમાં છે. × ૪ મે' કોઈપણ એવા મહાત્મા સાંભળ્યેા નથી કે જે મહાત્માની શક્તિ આ મહાત્માની સમાન વયે આટલી હાય. હું ધારૂ' છું કે આ તે એક સૃષ્ટિરત્નના નમૂના છે. શતાવધાન જેવી દિવ્ય શક્તિ જ્યારે પંદર વષઁની ઉમરે એ મનુષ્યમાં આવીને વસી છે ત્યારે એ દેવાંશી હવે શું ન કરે! હ એમની ચઢતી વય છે. જેણે પેાતાના એક પ્રખળ તર્કથી આખી દુનિયાની ભાષાનેા જેમાંથી આખી સૃષ્ટિમાંના સઘળા શબ્દો નીકળી શકે છે, તેની શબ્દકષ રચ્યા છે, કુદરતી શક્તિ કેટલી
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy