SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શતાવધાન : ‘ સાક્ષાત્ સરસ્વતીના વિજય ૧૧ કહે છે—એમ કયાંથી થાય ? એનું આમ થાય છે—માતાના ઉદરમાં પ્રવેશ પહેલાં જ પ્રભુને ત્યાંથી પડાવી લઇ વધ્યાપુત્રને મારવાને કાઇ ચાલ્યેા જાય છે ! પછી વઢવાણમાં કવિના અવધાનપ્રયાગનું પ્રદર્શન ચેાજાયું હતું, તેમાં તેમણે ક લ એચ. એલ. નટ સાહેબ અને બીજા રાજારજવાડા તથા મંત્રીમંડળ વગેરે મળી આશરે બે હજાર પ્રેક્ષકેાની જંગી મેદની સમક્ષ સાળ અવધાન કરી દેખાડયા હતા. તે પ્રયાગા એટલા બધા અદ્ભુત હતા કે ‘સાક્ષાત્ સરસ્વતી’કારે કહ્યું છે તેમ તે દેખી આખી સભા આનંદ આનંદમય થઇ ગઇ હતી. ધન્યવાદની એક્કે અવાજે તાળીએ પડી હતી. સાહેબે, લેડિએ, રાજાઓ, કારભારીએ અને મહાવિદ્વાના એવા તે હિંગ થઈ ગયા હતા કે હદ! ઉપરાચાપરી પ્રશંસાનાં ભાષણા થતાં જતાં હતા. × મેાટામાં મેાટું માન કવીશ્વરને અહીં આગળ મળ્યું હતું.' લેાકેા આફ્રીન ! આફ્રીન ! પાકારી રહ્યા હતા, હષથી પુલકિત થતા પ્રત્યેક દૃષ્ટાની છાતી ગજગજ ઉછળતી હતી વદુરના વસુંધરા એ સૂત્રને ચરિતાર્થ કરનારા આવા નરરત્ના ભારતમાં હજી વિદ્યમાન છે એથી આનંદ અનુભવતા હતા. ભારતના મુખને ઉજ્જવલ કરનાર આવેા નરરત્ન સૌરાષ્ટ્રને આંગણે પાકયા તેથી પ્રત્યેક સૌરાષ્ટ્રવાસી હર્ષોંથી પુલકિત થઈ પ્રશસ્ત ગૌરવ આણવા લાગ્યા. આ વિશિષ્ટ અવધાનપ્રયોગના રસમય રોમાંચક વન અને પ્રશ'સાત્મક પ્રશસ્તિઓ ગૂજરાતી, મુંબઈ સમાચાર, લોકમિત્ર, ન્યાયદક, ટાઇમ્સ, પાયાનીયર આદિ સામયિક પત્રોમાં આવવા લાગ્યા. દિગ્દગંતમાં વ્યાપતી કવિરાજ રાજચંદ્રની કીર્ત્તિ–કૌમુદી ભારતભરમાં વ્યાપી રહી એટલું જ નહિં પણ વિલાયતના દરવાજા ખખડાવતી વિશ્વવ્યાપિની બની ગઇ. જે કીત્તિની પાછળ દોડતા ખીજાએ ફાંફાં મારે છે, તે કીર્ત્તિ આ સરસ્વતીના અવતાર ‘સાક્ષાત્ સરસ્વતી’ રાજચંદ્રની પાછળ દોડવા લાગી ! પછી એટાદમાં કવિએ એમના એક લક્ષાધિપતિ મિત્ર હરિલાલ શિવલાલની સમક્ષ એકદમ બાવન અવધાન કરી દેખાડયા. કયાં સેાળ ? કયાં ખાવન ? કેવા માટેા હનુમાનકૂદકા ! ખરેખર ! ‘સાક્ષાત્ સરસ્વતી'કાર કહે છે તેમ— વચ્ચે કાંઇ પણ પરિશ્રમથી પરિચય રાખ્યા વિના પરભારાં સેાળ મૂકીને બાવન અવધાને કર્યાં એ ઉપરથી કવિરાજનાં પરાક્રમ, હિંમત, શક્તિ, બુદ્ધિબળ અને ચમત્કારનું કંઈક ભાન થશે.' આ બાવન અવધાનપ્રયાગનું સવિસ્તર વર્ણન અત્ર પુસ્તિકા અનુસાર આપીએ છીએ,——જે પરથી આ અવધાનાની વિકટતાને અને અદ્ભુતતાના સુજ્ઞ વાંચકેાને યતકિંચિત્ ખ્યાલ આવશે. ‘સાક્ષાત્ સરસ્વતી’ બાવન કામઃ— ચાપાટે રમતાં જવું, શેતરંજે રમતાં જવું, ટકેારા ગણતા જવુ, માળાના પારા ગણતા જવું, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આપેલા ગણતા જવું, ગ'જી રમતાં જવું, સાળ ભાષાઓના અક્ષરો યાદ રાખતા જવું, એ કાઠામાં આડા અવળા અક્ષરથી કવિતાએ માગેલા વિષયની કરાવતા જવું, આઠ ભિન્ન ભિન્ન માગેલી સમશ્યાઓ પૂર્ણ કરતા જવું,સાળ જદા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy