SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજચંદ્ર બતાવ્યાં હતાં. તેમાં કાંકરા’ વિષે કવિતા કરવાનું કહેવામાં આવતાં, કવિએ આ શીઘ કાવ્ય કર્યું હતું— એમ સૂચવે કાંકરે, મનદ્રગ બેલી દેખ; મનખા કેરા મુજ સમા, વિના ધર્મથી લેખ.” કાંકરો એમ સૂચવે છે કે હે મનુષ્ય! તું હારી મને-દ્રષ્ટિ એલીને દેખ! મનુષ્યને વિષે જે ધર્મ વિનાનો હોય તે મહારા જેવો (કાંકરા જેવ) લેખ! કાંકરા જેવા ગમે તેવા તુચ્છ નિર્માલ્ય નિઃસાર વિષય પરથી પણ કેવો માર્મિક ઉત્તમ સારભૂત બેધ અવતાર્યો છે,–એ કવિનું ઉચ્ચપ્રાહિત્ય અને બાહ્ય પ્રસંગે મધ્યે પણ ધર્મ પ્રત્યેની નિરંતર પરિણતિ-લક્ષનું સહજ સૂચન કરે છે. એ જ અવધાનમાં ચોપાટનો તિરસ્કાર એ વિષે શીઘ્ર કવિતા ભૂજંગી છંદમાં કરી આપી હતી— કયું રાજ્ય તે ધર્મનું ધૂળધાણી, વળી ફેરવ્યું કૌર શીર પાણ! તજી તું પ્રતાપે નળ નીજ રાણી; હવે જોઈ ચોપાટ તારી કમાણી !' હે ચોપાટ ! તે ધર્મનું અથવા ધર્મરાજાનું રાજ્ય ધૂળધાણ કરી દીધું, તે કૌરવોને માથે પાણી ફેરવી દીધું, હારા પ્રતાપ નળરાજાએ પોતાની રાણી ત્યજી દીધી, હે ચપાટ ! હારી કમાણી હવે જોઈ લીધી, જોઈ લીધી!—એમ કે માર્મિક કટાક્ષ કર્યો છે! તે જ પ્રસંગમાં વંઝયા પુત્ર મારવાને કઈ ચાલ્યા જાય છે એ સમશ્યા પૂરવાનું કવિને કહેવામાં આવ્યું હતું, તેની સમસ્યા૫ત્તિ આ શીઘ્ર કવિએ આવા ઝમકદાર કવિતમાં કરી આપી હતી— પ્રેમ ધરી પૂછ્યું એક, કવિ કને કામિનીએ, ખલકનો ખેલ અહા! અજબ દેખાય છે; સર્વને સંતાનસુખ, સંસારમાં સાંપડે છે, એ જ માટે વંઝયા તણે, જીવ તલખાય છે; કહે કવિરાય એનું, કૃપાથી કારણ મને, કહે કવિ કયાંથી થાય? એનું આમ થાય છે, ઉદર પ્રવેશ પલાં, પ્રભુને ત્યાંથી પડાવી, વંઝયા પુત્ર મારવાને, કોઈ ચાલ્યો જાય છે !” એક કવિને કામિનીએ પ્રેમ ધરી પૂછયું--અહો ! ખલકનો-જગને ખેલ અજબ દેખાય છે! સંસારમાં સર્વને સંતાનસુખ પ્રાપ્ત થાય છે, એ જ સુખ માટે વંધ્યાનોવાંઝણીને જીવ તલસે છે ! અહો કવિરાજ ! એનું કારણ કૃપા કરી મને કહે ! કવિ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy