________________
૧૫
દર્શનપ્રભાવક ભાવનાબેધનું સર્જન હદયની અદ્દભુત વૈરાગ્યમય દશાની ઝાંખી થાય છે, અને “ઓગણીસસેને બેતાલીસેં અદ્દભુત વૈરાગ્ય ધાર રે' એ એમના સ્વયંભૂ ધન્ય ઉગારની યથાર્થતાનું ભાન થાય છે.
શ્રીમદ્દને જ્ઞાન અત્યંત આત્મપરિણામી થયું હતું તેનું રહસ્યકારણ આ તેમનો આજન્મ પરમ વૈરાગ્ય જ છે; જ્ઞાનાવતાર વૈરાગ્યમૂત્તિ શ્રીમદને જ્ઞાનસામર્થ્ય સાથે વૈરાગ્યસામર્થ્ય હાથમાં હાથ મીલાવી વધતું જતું હતું, એ જ એમના જ્ઞાનધ્યાન-વૈરાગ્યમય અભુત અધ્યાત્મજીવનની રહસ્યચાવી છે. ખરેખર ! વૈરાગ્ય વિના જ્ઞાનનું પરિણમન સંભવતું નથી, કારણ કે વૈરાગ્યરસ વિના જ્ઞાનનું પચન પણ થતું નથી તે આત્માની સાથે એકરસભાવરૂપ પરિણમન તો કયાંથી થાય? વૈરાગ્યરૂપ પાચક રસ વિના જ્ઞાન પચતું નથી, પણ અભિમાનાદિ વિકાર દેષરૂપ અજીર્ણ ઉપજાવે છે. જેમ મંદ પાચનશક્તિવાળાને પૌષ્ટિક અન્ન પાચન ન થાય, પણ તેથી તો ઉલટું અજીર્ણ ઉપજે, તેમ વૈરાગ્યરૂપ પાચકરસવિહીન મંદ પાચનશક્તિવાળા અનધિકારી જીવને જ્ઞાનરૂપ પરમાત્ર પચે નહિં, એટલું જ નહિં પણ માનાદિરૂપે જ્ઞાનને અપચે થાય. જ્ઞાન એ તે કાચ પારો છે, એ જીરવવા વૈરાગ્યરસ જોઈએ; વૈરાગ્યરસથી જેની જ્ઞાનપાચનશક્તિ ઉદીપિત થઈ છે તેને જ જ્ઞાન પચે છે ને આત્મપરિણામી થાય છે. જેના ચિત્તમાં–અંતરંગમાં–અંતરાત્મામાં ત્યાગવૈરાગ્યનો દઢ રંગ ન લાગ્યો હોય તેને જ્ઞાન થાય નહિં-જ્ઞાન આત્મપરિણામી થાય નહિં. શ્રીમદે જ શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્રમાં કહ્યું છે તેમ-ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન,”—આ નિયમ છે. અને શ્રીમદના અંતરંગ ત્યાગ-વૈરાગ્ય તે મહામુનીશ્વરને પણ દુર્લભ એવી ઉત્કૃષ્ટ કેટિના હતા, એટલે જ્ઞાન આત્મપરિણામી થઈ એમને વૈરાગ્યમય આત્મા જ્ઞાનમય કેમ ન બને ?
અંતરંગ વૈરાગ્યને રંગ જ્યાં લગી ચિત્તમાં ન લાગ્યું હોય ત્યાં લગી જીવમાં જ્ઞાન પામવાની ચેગ્યતા પણ આવતી નથી. જ્યાં લગી ચિત્ત-ભૂમિ કઠણ હોય ત્યાંલગી સિદ્ધાંતજ્ઞાન તેમાં પ્રવેશી શકતું નથી, ઉપરછલું થઈને ચાલ્યું જાય છે. પણ જ્યારે વૈરાગ્યજલના સિંચન વડે તે ચિત્ત-ભૂમિ આદું થઈ પિચી બને છે ત્યારે જ તેમાં સમ્યગુજ્ઞાન–બીજને પ્રક્ષેપ થઈ શકે છે. સ્વ. શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતાએ (આ ચરિત્રાલેખકના પૂ. પિતાશ્રીએ) શાંતસુધારસ પ્રસ્તાવનામાં યથાર્થ જ કહ્યું છે તેમ–“જ્યાં સુધી વૈરાગ્યરૂપી રેચક દ્રવ્યથી ચિત્તવૃત્તિનો મલિન વાસનારૂપ મળ સાફ થયો નથી, ત્યાં સુધી જીવને સિદ્ધાંતબોધરૂપ-રસાયણરૂપ પૌષ્ટિક ઔષધ ગુણ ન કરે, નિષ્ફળ જાય, અથવા ચિત્તચંચળતારૂપ વિકાર ઉપજાવે. જ્યાં સુધી વૈરાગ્ય જળના સિંચનથી ચિત્તભૂમિ યથેચ્છ ભીંજાઈ ન હોય, ત્યાં સુધી તત્વજ્ઞાનરૂપ સિદ્ધાંતબેધનું બીજ તેમાં કયાંથી વાવી શકાય? ન જ વાવી શકાય; છતાં તે ત્યાં પ્રક્ષેપવામાં આવે તે તે કરે નહિ, વ્યર્થ જાય. એટલે જ જ્ઞાનીઓએ–શાસ્ત્રકારોએ વૈરાગ્યને-સહજ ભવઉદ્વેગને ગબીજ' કહેલ છે તે યથાર્થ છે. જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક આદિ દુઃખમય સંસારનું સાચું યથાતથ્ય સ્વરૂપ વિચારતાં જે સહજ-સ્વાભાવિક ભગ-સંસાર પ્રત્યે અણગમે ઉપજે, ખરે વૈરાગ્ય જન્મ, તેને જ ગબીજ કહેવા અ-૧૪