SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ અધ્યાત્મ રાજયક કોંકણથી લેશમાત્ર ખળભળાટ થતા નથી. કંકણના સમૂહ વડે કરીને માથુ ફેરવી નાખે એવા ખળભળાટ થતા હતા. અહા ચેતન ! તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સ'સારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભાગવવાનું શું અવશ્ય છે? તેને ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. જો આ એક કકણુ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભાગવતું હતું ? તેવી જ રીતે તું પણ કકરૂપ છે. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સ્નેહ કુટુ બીરૂપી ક ંકણસમુદાયમાં પડયા રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે. અને જો આ કકણુની વત્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધીશ તેા સિદ્ધગતિરૂપી મહા પવિત્ર શાંતિ પામીશ.’ (ર) અન્યત્વ ભાવના દૃઢ કરતું ભરત ચક્રવર્તીનું ચરિત્ર રજૂ કરતાં, મહાકવિએના મસ્તક ડાલાવે એવું ભરતેશવૈભવનું તાદૃશ્ય સ્વાભાવેાક્તિમય શબ્દચિત્ર આલેખી, આરીસા ભુવનમાં ભરત મહારાજને એક આંગળીમાંથી વીંટા સરી પડતાં અડવી જણાઇ તે પરથી જે પરમ અદ્ભુત વૈરાગ્યની સ્ફુરણા થઈ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું, તેનું પરમ અદ્ભુત વૈરાગ્યમય આલેખન કરી અન્યત્વભાવના દઢીભૂત કરાવી છે કે ના મારાં તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં મૃત સ્નેહિયા સ્વજન કે ના ગાત્ર કે જ્ઞાત ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મેાહ અજ્ઞાતના, રે! રે! જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના.' (૩) સંસાર ભાવનાને પરિપુષ્ટ કરી નિવૃત્તિયેાધ મેધતું મૃગાપુત્રનું પરમ વૈરાગ્યપ્રેરક ચરિત્ર પરમ વૈરાગ્યવાહી ભાષામાં વણવી દેખાડી ચતુગ`તિમય સ`સારના તાદશ્ય ચિતાર રજૂ કરી, પ્રમાણુશિક્ષારૂપ સારોાધ આપ્યા છે કે· સ’સારાટવીમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખ છે એ વિવેક-સિદ્ધ છે. અને એમાં પણ મેષાનુમેષ જેમાં સુખ નથી એવી નરકાધેાગતિનાં અનંત દુઃખ યુવજ્ઞાની ચેાગીદ્ર મૃગાપુત્રે જનકજનેતા પ્રતિ વણુબ્યાં છે, તે કેવલ સંસારથી મુક્ત થવાના વિરાગી ઉપદેશ પ્રદર્શિત કરે છે. આત્મચારિત્ર અવધારણ કરતાં તપપરિષહાર્દિકનાં મહિદુઃખને દુઃખ માન્યું છે; અને મહાધાગતિનાં પરિભ્રમણરૂપ અનંત દુઃખને મહિર્ભાવ માહિનીથી સુખ માન્યું છે. એ જો કેવી ભ્રમવિચિત્રતા છે? આત્મચારિત્રનું દુઃખ, તે દુઃખ નહી પણુ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખતર’ગપ્રાપ્તિનું કારણ છે; તેમજ ભાગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને અહિ શ્ય સુખ તે કેવલ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રના વૈરાગ્ય અહીં દર્શાવ્યેા છે.’ અને તે જ સ્થળે આ જ ભાવનું સંવર્ધન કરતું-નિવૃત્તિબાધ બેધનું આત્મ જાગૃતિ પ્રેરે એવું પરમ સુંદર ભાવવાહી અપૂર્વ કાવ્ય પ્રકાસ્યું છે કે- અનંત સૌષ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અન ́ત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા !! ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારિ તે પ્રવૃત્તિ આળ તું.’ આમ બીજી ભાવનાઓના અધિકારમાં પણ તે તે વૈરાગ્યભાવનાના પેાષક ચરિત્રાનું પરમ સુંદર શખ્તચિત્રમય આલેખન કરી, આ ભાવનાએાધ ગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્રે જે વૈરાગ્ય-અમૃતસિંધુ સમુલ્લસાજ્યેા છે,-એ પરથી તે વખતે (સં. ૧૯૪૬માં) શ્રીમદ્ના
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy